SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૧૧ હર્ષ અને વિષાદના હિંડોળે ન હીંચતા પ્રસન્નતાના સ્થિર આસન પર સ્થિર થાય છે. એટલે “રતિ અને અરતિ'ની ગણના પાપસ્થાનકમાં કરવામાં આવી છે. પ-પરિવા-બીજાનું વાંકું બોલવું અને પોતાની વડાઈ કરવી તે. ઘરેષાં પરિવાઃ પૂર-પરિવાવો વિત્થનમિત્યર્થ.” (સ્થા. ટી. સ્થા. ૧. સૂત્ર ૪૮-૪૯). બીજાનું ખોટું બોલવું, ઘસાતું બોલવું કે વાંકું બોલવું, તે પર-પરિવાદ. સપુરુષો પોતાના દોષને પર્વત જેવા કરીને જુએ છે ને અન્યના દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવે છે, કારણ કે “આત્મ-શ્લાઘા અને પરનિંદા” જેવું કોઈ પાપ નથી. માયા-મૃષાવાદ-છેતરપિંડી, પ્રતારણા. માયાથી ઉત્પન્ન થયેલો મૃષાવાદ કે માયાવાળો મૃષાવાદ, તે “માયામૃષાવાદ”. વ્યવહારુ ભાષામાં તેને જાળ બિછાવવી, કાવતરાં કરવાં, છેતરપિંડી કરવી કે પ્રતારણા કરવી કહેવાય છે. માયા સાથે મૃષાવાદ ભળવાથી-એ બંનેના યોગથી ઉત્પનન થયેલું સ્થાન એક રીતે ભિન્ન હોવાથી માયા-મૃષાવાદ'ની ગણના જુદા પાપસ્થાનક તરીકે કરવામાં આવી છે. જિત્વ-ચે-મિથ્યાત્વ-દોષ. તત્ત્વભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ ન હોવી એ જ મિથ્યાત્વ છે. વસ્તુ-સ્વરૂપને વિપરીત રીતે સમજવું કે અન્ય રીતે માનવું તે મિથ્યાત્વ' કહેવાય છે. મિથ્યાજ્ઞાનનો ભાવ તે “મિથ્યાત્વ”. “શલ્ય’ શબ્દ અહીં પાપ કે દોષના અર્થમાં વપરાયેલો છે. એટલે મિથ્યાત્વનું સેવન કરવું કે મિથ્યાત્વ દોષના ભાગી થવું, તે પાપસ્થાનક ગણાય છે. તેના વિવિધ પ્રકારો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સેવ્યું હોય-જાતે આચર્યું હોય, કર્યું હોય. સેવરાવ્યું હોય-સત્તા, લાલચ કે સૂચનાથી બીજાની પાસે આચરાવ્યું હોય, બીજાની પાસે કરાવ્યું હોય. સેવતાં અનુરો હોય-તેવું જે પાપસ્થાનક-આચરણ કરી રહ્યા હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy