SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ८ તેમાં પ્રતિક્રમણ સૂત્રના હેતુ આપેલા છે. અગાઉની આવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં નાનાં નાનાં ઘણાં સંસ્કરણ કરાયાં છે. અત્રે વિશિષ્ટ સંસ્કરણોનો ઉલ્લેખ કરીએ છીએ. સૂત્ર ૨૮ અડ્યાર (વિયારળ) માહા-અતિચાર (વિચારવા માટેની) ગાથાઓ પૃ. ૧૧થી ૬૭ સુધી પંચાચારના ભેદો પર બને તેટલી વિશદ સમજૂતી આપવામાં આવી છે (૧) સૂત્ર ૩૪ સાવ-પડિમળ-સુત્તું-‘વંદિત્તુ-સૂત્ર' પૃ. ૧૫૩થી ૪૦૩, આ સૂત્રને સમણોવાસગ પડિક્કમણ સુત્ત, ગૃહી-પ્રતિક્રમણ સૂત્ર, શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર અને શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર કહેવાય છે તે બતાવ્યું છે. પૃ. ૧૫૩ (૨) સ્વદારાસંતોષ વ્રતની સમજ આપતાં પરસ્ત્રી વિશે વધુ સ્પષ્ટ સમજ અપાઈ છે. (૩) માંસાહાર ત્યાગ, અભિષવ, દેશાવગાશિક, પૌષધોપવાસ વ્રતના અતિચાર, અતિથિસંવિભાગ વ્રત, દાન, નિદાન-નિયાણું, પ્રતિક્રમણનો સમય, મૈત્રી આદિ ચાર ભાવના વગેરે વિષયો અંગે આધારભૂત વિસ્તૃત વિવરણ કરાયું છે. (૪) વ્રતોના અતિચારોનું કોષ્ટક પૃ. ૩૧૮થી ૩૨૩, ચાર કષાયોના ૬૪ પ્રકારો દર્શાવતું કોષ્ટક પૃ. ૩૩૪-૩૩૫ આગવું ઉમેરણ છે. આ કોષ્ટકોથી અભ્યાસીઓને અતિચારો અને કષાયો અંગે યાદ કરવામાં સરળતા પડશે. વંદિત્તુ સૂત્ર અંગે વિચારણીય પ્રશ્નો પૃ. ૩૯૫થી ૪૦૩, શેઠશ્રીએ આ સૂત્રનું કેવું અને કેટલું ગહન અધ્યયન કર્યું છે તેની પ્રતીતિ કરાવે છે. અને સાથોસાથ સંશોધકોને આ સૂત્રના વધુ સંશોધન માટે નવું પાથેય પણ આપે છે. સૂત્ર ૪૩ શાંતિસ્તવ :- શાંતિસ્તવઃ લઘુશાંતિ પૃ. ૪૬૪થી ૫૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy