________________
સામાયિકની સાધના ૦૫૮૧
'મિથ્યાત્વ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (જિજીવિષા એ પાંચ ક્લેશોથી રહિત થાય, ત્યારે સામાયિકની સાધના સફળ થઈ ગણાય છે. પરંતુ આ સ્થિતિએ સાધક એકદમ પહોંચી શકતો નથી, એટલે તેણે કયા ક્રમે આગળ વધવું તે વિચારણીય બને છે.
(૧૭) સમાહિત ચિત્તની આવશ્યકતા પ્રારંભમાં ચિત્ત જ્યારે વિક્ષિપ્ત દશામાંથી પસાર થતું હોય છે, ત્યારે તેનું પરિભ્રમણ જુદા જુદા અનેક વિષયોમાં થાય છે અને તે તે વિષયોમાં મનોજ્ઞ (ગમવાપણું) અને અમનોજ્ઞ નહિ ગમવાપણું)ની કલ્પના વડે તે રાગ તથા દ્રષના ઘેરા રંગે રંગાય છે, જેના પરિણામે આત્માને કાલ્પનિક સુખ અને દુઃખનાં પ્રબળ સંવેદનો થાય છે. પરંતુ એ જ ચિત્ત જ્યારે સમાહિત (સમાધિવાળું) બને છે, ત્યારે પરિસ્થિતિમાં મોટો ફેર પડી જાય છે, કારણ કે એ વખતે તેની પ્રસરણશીલતા અટકી ગયેલી હોવાથી તે વિવિધ વિષયોના સંપર્કમાં આવતું નથી, પછી મનોજ્ઞ અને અમનોજ્ઞની કલ્પના કે તે દ્વારા થતો કાલ્પનિક સુખ-દુઃખનો અનુભવ થાય જ ક્યાંથી ? એટલે ચિત્તને સમાહિત કરવા માટે પ્રયાસ કરવો એ સામાયિકની સાધનાનું મુખ્ય કાર્ય છે.
(૧૮) ચિત્તને સમાહિત કરવાનાં સાધનો ચિત્તને સમાહિત કરવા માટે (૧) નિર્મળ વાતાવરણ, (૨) સ્થિર આસન, (૩) અનાનુપૂર્વીની ગણના, (૪) નવકારમંત્રનો જાપ, (૫) સ્વાધ્યાય, (૬) કાયોત્સર્ગ અને (૭) ધ્યાન એ સાધનો ઉપયુક્ત છે.
(૧૯) નિર્મળ વાતાવરણ મન જ્યારે પ્રથમની ત્રણ અવસ્થામાં એટલે ક્ષિપ્ત, મૂઢ કે વ્યાક્ષિપ્ત હોય છે, ત્યારે તેના પર વાતાવરણની અસર જલદી થાય છે અને ઊંડી થાય છે. એથી સાધકે સાધનાનું સ્થાન એવું પસંદ કરવું જોઈએ કે જ્યાંનું વાતાવરણ નિર્મળ હોય, યોગ-સાધનાને વિશેષ અનુકૂળ હોય.
ઉપાશ્રયો અને પૌષધશાળાઓની યોજના સામાયિકની સાધના જનસમૂહ સારી રીતે કરી શકે તે માટે થયેલી છે, એટલે તેનું વાતાવરણ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org