SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આવશ્યક-મૂલસૂત્રના ચોથા અધ્યયનમાં ઈરિયાવહી સૂત્રનો પાઠ આવે છે, તે છામિ પડિક્ષમિકંથી મિચ્છા મિ તુટર્ડ સુધીનો જ છે અને ઉત્તરીકરણ સૂત્રનો પાઠ પાંચમા અધ્યયનમાં આવે છે, તે ઈરિયાવહી સુત્ર પછી આવતો નથી, પણ રૂચ્છામિ હું વડાં -મિચ્છા મિ દુક્કડું પછી આવે છે. - ઉત્તરીકરણ સૂત્ર ચાર ભાગમાં વહેંચાયેલું છે. તેમાંનો પહેલો ભાગ અનુસંધાનદર્શક છે, એટલે કે તપ્ત એવા એક પદનો બનેલો છે અને તે ઈરિયાવહી સૂત્ર વડે કરેલા પ્રતિક્રમણનું અનુસંધાન દર્શાવે છે. પ્રતિક્રમણમાં જ્યાં જ્યાં આ સૂત્ર બોલાય છે, ત્યાં મિથ્યાદુષ્કૃતરૂપ પ્રતિક્રમણ થયા પછી જ બોલાય છે, એટલે શાસ્ત્રકારોએ તેને વિશેષ-પ્રતિક્રમણ તરીકે ઓળખાવ્યું છે. સૂત્રનો બીજો ભાગ ઉત્તર, પછિત્ત-રજે, વિરોહીશરો અને વિસર્જીરોri એ રીતે ચાર પદોનો બનેલો છે અને હેતુદર્શક છે, એટલે કાયોત્સર્ગ કરવાના હેતુઓ (ઉપાયો) દર્શાવે છે, ચેઈયવંદણમહાભાસમાં સ્પષ્ટ કહ્યું છે કે સત્તર( )RUTI દેદ એટલે ઉત્તરીકરણ સૂત્રમાં આવતાં ઉત્તરીવારો વગેરે ચાર પદો કાયોત્સર્ગના હેતુઓ છે. દેવવંદનભાષ્યમાં પણ એ જ અભિપ્રાય ઉચ્ચારવામાં આવ્યો છે :- ૨૩ તસ કરી રપ-પમુદ-તસ્સ ઉત્તરીકરણ વગેરે ચાર પદો કાયોત્સર્ગના હેતુઓ છે. આ ચાર હેતુઓનું વિધાન પૂર્વ-પશ્ચાદૂ ભાવને અનુલક્ષીને કરવામાં આવ્યું છે, એટલે તે ક્રમાનુસારી છે. વળી ચાર હેતુઓનો સમાસ કરીને છેડે વિભક્તિ ન લગાડતાં દરેક પદને વિભક્તિ લગાડી છે, એટલે દરેક હેતુ સ્વતંત્ર ક્રિયાનું સૂચન કરે છે અને તે દરેક ક્રિયા ઉત્તર ક્રિયાના હેતુભૂત છે. જેણે વિશેષ આલોચના અને નિંદા વડે ઉત્તરીકરણ કર્યું નથી, તે પ્રાયશ્ચિત્તને યોગ્ય કેમ થાય ? વળી જેણે શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું નથી અને એ રીતે પોતાના મનનો મેલ ધોયો નથી, તે વિશિષ્ટ પ્રકારે ચિત્તનું શોધન કેમ કરી શકે ? અને જેણે વિશિષ્ટ પ્રકારે ચિત્તનું શોધન કર્યું નથી, તે અંતરની ઊંડાણમાં ભરાઈ રહેલી શલ્યરૂપ સૂક્ષ્મ મનોવૃત્તિને કેમ શોધી શકે ? અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy