SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોડાના વાળ કે બીજાં પ્રાણીઓના વાળમાંથી બનાવેલ ન હોય તેવા બ્રશનો ઉપયોગ કરવો. કુદરતી વાળનો ઉપયોગ થયેલ ન હોય તેવા બ્રશનો ઉપયોગ કરવો કારણ કે કુદરતી વાળ પ્રાયઃ ડુક્કરના હોય છે. ગ્રીસ અને પૉલિશ જો લેબલમાં બધાં જ ઘટક દ્રવ્યો બતાવ્યાં ન હોય તો તેનાં ઉત્પાદકને લખીને પૂછાવી લેશો. દવા, વિટામીન્સના વિકલ્પો : રસીઓ, સિરમ, ઘણી દવાઓ અને વિટામીન્સમાં કાં તો પ્રાણિજ પદાર્થો હોય છે કાં તો જીવતાં પ્રાણીઓ ઉપર તેના અખતરા કરવામાં આવે છે માટે તેનો ત્યાગ કરવો. ધ્યાન અને યોગાસનોની સાથે સાથે સારો સમતોલ આહાર, તાજી ચોખ્ખી હવા, પૂરતું પાણી અને પૂરતો આરામ લઈએ તો વારંવાર દવાના ઉપયોગની જરૂર પડતી નથી. પ્રાસંગિક ઉપવાસ (દર 15 દિવસે એ ઉપવાસ) તથા કેટલીક વનસ્પતિઓ, જડીબુટ્ટીઓ કુદરતી ઔષધ છે. રમત ગમત તથા મનોરંજનના વિકલ્પો : મનુષ્યોને શિકાર, રેસ, માછીમારી, પ્રાણીસંગ્રહ, ઘોડેસ્વારી અને સર્કસ વગેરેના બદલામાં પ્રાણીઓ અંગેની શૈક્ષણિક માહિતી અંગેની ફિલ્મો, પુસ્તકો અને બીજી શૈક્ષણિક રસ ઉત્પન્ન કરે તેવી સામગ્રી પૂરી પાડવી જેથી તે શિકાર વગેરે ન કરે. પ્રાણિજ દ્રવ્યોમાંથી બનાવેલ સંસ્કરણ કરવાનાં ઉમેરણોનો ત્યાગ : કેલ્શયમ સ્ટિયરેટ્સ (Calcium Stearates) : સ્ટિયરસ મોટે ભાગે ચરબી રૂપ પદાર્થ છે, જે ડુક્કરની હોજરીમાંથી ખેંચી લેવામાં આવે છે. તે દૂધ કે પાણીમાં એક સ્નિગ્ધ પદાર્થ તરીકે ઊમેરવામાં આવે છે અને તે
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy