SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જામી જાય છે, જેના કારણે હૃદય રોગનો હુમલો/હાર્ટ એટેક આવાની શક્યતા વધી જાય છે. જે પ્રાણીઓ ગાય-ભેંસ, ડુક્કર, મરઘીઓનું માંસ ખવાય છે તેમની અકુદરતી જીવન પદ્ધતિ અને પ્રજોત્પત્તિની પરિસ્થિતિના કારણે ડોક વગેરે વાંકાં વળી જાય છે અને તેઓને ઘણા પ્રકારના રોગો પેદા થયેલ હોય છે. આ રોગોને કાબુમાં લેવા માટે તેમને મોટા પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ દવાઓ અને રસાયણો આપવામાં આવે છે. આ એન્ટિબાયોટિક્સ દવાઓ તથા રસાયણો તેમનાં માંસ, દૂધ અને ઈંડાંમાં પણ આવે છે. શાકાહારીઓ કરતાં માંસાહારીઓની કિડનીને ત્રણગણું વધારે જોર કરવું પડે છે. તેનું કારણ એ છે કે માંસ વગેરેમાં ટૉક્સિક અર્થાત ઝેરી પદાર્થો વધુ હોય છે અને તેને બહાર કાઢવા કિડનીને પ્રયત્ન કરવો પડે છે. ડુક્કરની પરિવર્તન પામેલી સફેદ ચરબી લાર્ડ (Lard) સહેલાઈથી પચતી નથી અને તેનો ધંધાદારી બેકરીવાળાઓને અને ઘણી પ્રસિદ્ધ બ્રાન્ડની બનાવટોમાં ઘણા મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. શાકાહારી દૂધમાં ઓછો કિરણોત્સર્ગ જોવા મળે છે. સામાન્ય રીતે ગાયભેંસના દૂધમાં સ્ટ્રોન્ટીયમ-90 તત્ત્વના 98 કાઉન્ટ જોવા મળે છે જ્યારે શાકાહારી દૂધમાં ફક્ત 2.1 કાઉન્ટ હોય છે. મનુષ્યની સ્ત્રી કરતાં ગાયભેંસના દૂધના ઘટક દ્રવ્યો જુદા પ્રકારના હોય છે. ગાય-ભેંસના ઘટક દ્રવ્યો તેના વિકાસમાં મદદ કરે છે. જ્યારે માનવ સ્ત્રીનું દૂધ શરીરના અન્ય ભાગોના વિકાસ કરતાં જ્ઞાનતંતુઓનો ઝડપી વિકાસ કરે છે. ફક્ત ગાય-ભેંસનું દૂધ જ કેલ્શયમનો એક માત્ર સ્ત્રોત નથી. ગાય-ભેંસના દૂધમાં દર 100 ગ્રામ ફક્ત 120 mg. કેશ્યમ હોય છે જ્યારે બ્રાઝિલની બદામમાં 176થી 186 mg, ચાલુ બદામમાં 234થી 247 mg, કોબીમાં 179થઈ 200 mg, દરિયાઈ કોબીમાં 1000 , છડ્યા વગરના તલમાં 1160 mg કેલ્શયમ હોય છે. આ સિવાય બીજા સ્રોતોમાંથી પણ કેલ્શયમ મળે છે.
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy