________________
કોઈપણ જાતનાં શાકભાજી કરતાં દૂધમાં ઓછું પ્રોટીન હોય છે.
આપણે કદાચ માની લઈએ કે દૂધમાં પ્રોટીન ઘણું વધુ હોય છે, તો પણ તે માનવ શરીર માટે બિન ઉપયોગી છે કારણ કે માનવ શરીર દિવસ દરમ્યાન લેવાયેલ કુલ ખોરાકની શક્તિના ફક્ત 4-5% જ શક્તિ પ્રોટીનમાંથી મેળવે છે અને ભારતીય દૈનિક ખોરાક રોટલી-દાળશાકમાંથી જ તે જરૂરિયાત જેટલું પ્રોટીન મેળવી લે છે. આથી વિશ્વમાં દૂધ જ શ્રેષ્ઠ આહાર છે એવું જે લોકોને ઠસાવવામાં આવે છે, તે યોગ્ય નથી.
ખાસ કરીને એશિયન અને આફ્રિકન લોકો માટે દૂધનું પાચન કરવું મુશ્કેલ છે. આપણે પ્લાસ્ટિક કેમ ખાતા નથી ? કારણકે આપણી પાસે શરીરમાં પ્લાસ્ટીકને પચાવવા માટેના પાચક રસો (enzymes) નથી. આપણા શરીરમાં લેકટોઝ નથી માટે આપણે લેક્ટોઝ પચાવી શકતા નથી. જો દૂધ જ આપણને પચતું ન હોય તો તેનાં ઘટક દ્રવ્યો આપણને કી રીતે પ્રાપ્ત થાય ?
આથી, ઊલટું દૂધમા IGF-1 નામનું તત્ત્વ છે. કેન્સર અંગેના બધાં જ સંશોધનો દર્શાવે છે કે જો IGF-1 આપણા શરીરમાં વધી જાય તો, આપણને કેન્સર થઈ શકે છે. દૂધમાં રહેલું બધું જ IGF-1_તત્ત્વ શરીરમાં રહીને કેન્સરનું એક નિમિત્ત બની શકે છે અને તે અસ્થમાનું પણ પ્રબળ કારણ છે. ખરેખર, અસ્થમાનાં દર્દીઓને ડોક્ટરો દૂધ અને દૂધની બનાવટોનો ત્યાગ કરવાની ભલામણ કરે છે. ભારતમાં ડોક્ટરોના સંદર્ભમાં પરિસ્થિતિ એ છે કે ઔષધીય મહાવિદ્યાલયોમાં પોષણ અંગે કાંઈ જ શીખવવામાં આવતું નથી. તેથી ખોરાક અને તેની પોષણ ક્ષમતા અંગેનું જ્ઞાન ખૂબ જ મર્યાદિત હોય છે. તમારું અને મારું પોષણ અંગેનું જ્ઞાન એક સરખા જ સ્રોતોમાંથી આવે છે અને તે છે આપણાં દાદા-દાદી અને શિક્ષકો. અને તેમાં ગૂંચવણોમાં ઉમેરો કરે છે આપણા સ્થાનિક ધાર્મિક નેતાઓ, ખાસ કરીને જેઓ શાકાહારના પક્ષપાતી છે. પ્રશ્ન : દૂધમાં ખાસ કરીને શું ખોટું છે ? અને ખાસ કરીને શું નુકશાનકારક છે ?