SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ પણ તેઓ તો કૂરગડુ પાસે ગયા, અને તેમને વંદન કરવા લાગ્યા. સર્વ સાધુ સમુદાય મૂંઝવણમાં મૂકાઈ ગયો. પોતે આટલી આકરી તપશ્ચર્યા કરે છે તો અમને તેનું કોઇ જ ફળ નહિ, દેવો દ્વારા વંદન નહિ અને તે કૂરગડુ કંઈ જ કરતા નથી છતાં દેવો વંદન કરે અને એમને પૂર્ણ જ્ઞાન મળે!. આવી મૂંઝવણ અનુભવતા તેઓ આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે શું બન્યું તે જાણવા ગયા. આચાર્યએ કહ્યું કે તમને બધાંને તમારી આકરી તપશ્ચર્યાનું અભિમાન હતું અને કૂરગડુને ઉપવાસ નહિ કરી શકવાને કારણે બીનજરૂરી ઉતારી પાડતા હતા. પણ આ બધું પાછલા કોઈ કર્મનું જ પરિણામ છે એમ તે સમજતા હતા. ક્ષમાગુણ હોવાને કારણે બધું જ સહન કરી લેતા હતા. વર્તમાન જીવનમાં ઉદયમાં આવેલાં કર્મો ખપાવવા, તે આત્માને જાગૃત કરવા જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. તમે બધાએ કૂરગડુને ખોટી રીતે મૂલવ્યા છે. પોતાના પૂર્વના કર્મોનો કોઈપણ પ્રકારનું બંધન વધાર્યા વગર નાશ કરવામાં તેઓને આ સમતા મદદરૂપ બની. તેઓ ધર્મના હાર્દને સમજ્યા છે. પૂર્વેના સંચિત કર્મો તેમની તપશ્ચર્યામાં બાધારૂપ બન્યા હતા. તેઓને તે અંગે દુઃખ હતું. ઉદયમાં આવેલ કર્મોને નિષ્ઠાપૂર્વકના પશ્ચાત્તાપથી ખપાવ્યા છે. તે કર્મો બદલ દિલગીરી હોવા છતાં તે કર્મોની અસર તરફ તેઓ સમતાવાળા હતા. ઉદયમાં આવેલા કર્મોને વધાવીને તેઓને સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને આખરે નવા કર્મો ન બાંધતા અને જૂના કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બદ્યા જ સાઘુૉ સમજી ગયા કે સાચું જ્ઞાન મૅળવવા પોતાનું બીનજરૂ? મથ્યાભિમાન નડતરરૂપ હતું. આચાર્યએ પણ સમજાવ્યું કૅ આત્માને શાશરિક સ્થિતિ કે પ્રવૃતિ જોડે કાંઈ લેવા-દેવા નથી. શર્સર તો બાંધેલા શર્માને ભોગવવા માટે મળેલું છે. કર્મના સાચા રવભાવને જાણવા માટે કેવળ એક સાધન તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ. તેનો યોગ્ય ઉપયોગ થાય તો તે અસરકારક સાધન છે. આત્માનું સાચું ૨વશ્વપ સમજી લેવું એ ધર્મનો સાર છે. અને જ એક માત્ર આ જીવનમાં કરવા યોગ્ય છે. કોઈ સંયમ ઠે પ્રાયશ્ચિત ન કરી શકતાં હોય અથવા ધમૅના સિદ્ધાંતોને પાળી ન શકતા હોય તેચ્યો તરફ અણગમો કરવાની જરૂર નથી. આવા માણસોને નીચા પાડચા વિના તેમને પ્રાયશ્ચિત માર્ટેની સહાનુભૂતિપૂવૅક હિંમત આપવી જોઈએ. જેથી તેને સમજાય કે પોતાના કર્મોને કારણે તે કંઈ ક8 શકતો નથી. તપશ્ચર્યા ક૨ના૨ે કદી પોતાની તપશ્ચયોનું અભિમાન ન કરવું. જૈન કથા સંગ્રહ
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy