SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ ૧૫. સાધુ નંદિષણ સાધુ નંદિષેણ મહાન જ્ઞાની અને સેવાભાવી સાધુ હતા. એમના સેવાભાવની સ્વર્ગમાં પણ પ્રશંસા થતી. એક દિવસ ઇંદ્રએ પોતાની સભામાં પોતાના દેવો સમક્ષ નંદિષણની પ્રશંસા કરી. ઇન્દ્ર દ્વારા કરાયેલી નંદિષણની પ્રશંસાથી શંકાશીલ બનેલા બે દેવોએ નંદિષણની પરીક્ષા કરવાનું નક્કી કર્યું.દૈવી શક્તિને કારણે દેવો ગમે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકતા અને ક્ષણમાં ગમે ત્યાં પહોંચી શકતા. બે દેવો, એક ઘરડા અને એક જુવાન સાધુનું રૂપ લઈને નંદિષેણના ગામની બહારની વાડીમાં આવી પહોંચ્યા. આજે નંદિષણને ઉપવાસનું પારણું હતું. તેઓ હમણાં જ ગોચરી લઈને આવ્યા હતા, અને પારણું કરવા બેસતા હતા. ત્યાં જ જુવાન સાધુએ આવીને કહ્યું, ‘‘ધર્મલાભ, ત્યાં વાડીમાં એક ઘરડા સાધુ ભૂખ તરસથી તડપી રહ્યા છે. તેઓ ખૂબ જ અશક્ત છે. તમારી મદદની જરૂર છે.” આ શબ્દો સાંભળતાં જ નંદિષણ ઊભા થઈ ગયા. સ્વચ્છ પાણી લઈને વૃદ્ધ સાધુ પાસે પહોંચી ગયા. નંદિષેણને જોતાં જ વૃદ્ધ સાધુ તાડૂકી ઊઠ્યા, “ઓ, મહાનાલાયક, હું અહીં પીડાઈ રહ્યો છું અને તું મારી કોઈ દરકાર જ નથી કરતો?” વૃદ્ધ સાધુની સેવા કરતા સાધુ નંદિપેણ જૈન કથા સંગ્રહ
SR No.000123
Book Title$JES 202G Jain Katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy