Book Title: Yayavara
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249260/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યાયાવર [ ૩૭] શ્રીરંગ ના ગયા અંકમાં “આપણાં યાયાવર પંખીઓ' એ નામે શ્રી. માધવસિંહ સોલંકીને અતિ સુંદર અને મહત્ત્વપૂર્ણ લેખ છપાયેલે છે. એમાં “ Migrant Birds” માટે “યાયાવર” શબ્દ યોજાયેલો છે. એ લેખ સાંભળતાં મને યાયાવર પદ એ અર્થ માટે બહુ ઉપર્યુક્ત લાગ્યું અને મિત્રે સાથે ચર્ચા થતાં ઉચિત લાગ્યું કે એ પદ વિશે અત્રે કાંઈક લખવું. સંસ્કૃતમાં ય ધાતુ છે, એને અર્થ જવું-ગતિ કરવી થાય છે. ગુજરાતી કે હિંદી ‘જા એ આ “મા” ધાતુ પરથી આવેલ છે. જા જા કરે છે એમ આપણે બેલીએ છીએ ત્યારે એવો ભાવ સૂચવીએ છીએ કે તે વ્યકિત વારંવાર અથવા બહુ જ ચાલ્યા કરે છે, જેમ ગુજરાતીમાં “જા જા’ વપરાય છે તેમ જ સંસ્કૃતમાં “યાયાતિ” એવું રૂ૫ વપરાય છે. એ જ સંસ્કૃત રૂપ ઉપરથી સ્વભાવના અર્થમાં “વર’ પ્રત્યય લાગતાં “યાયાવર” શબ્દ બનેલો છે. એટલે એને સીધે અર્થ એ થાય કે અનેક વાર કે બહુ વાર જનાર યા જવા-આવવાના સ્વભાવવાળો. આ તે શબ્દના મૂળ ધાતુ અને રૂપ વિશે સંકેત થયો. ભારતીય વાભયમાં “યાયાવર ૫૬ વિશિષ્ટ અર્થમાં વપરાયેલું છે. એ અર્થમાં એને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તો આવે જ છે, ઉપરાંત પરંપરાગત રૂઢ અર્થ પણ રહે છે. યાયાવર એ કહેવાતા, જેઓ કોઈ એક સ્થાને બંધાઈ ન રહેતાં પરિવ્રાજકની પેઠે ચાલ્યા કરતા અને જેમ પરિવાજને કઈ સ્થાનમાં ન બંધાતાં ભ્રમણ કરે તેમ યાયાવરો પણ અલિપ્તભાવે વિચર્યા કરતા. મહાભારતમાં એવા યાયાવર ગણેને નિર્દેશ છે. તે સૂચવે છે કે યાયાવર એ કોઈ એકાદ રડીખડી વ્યક્તિ ન હતી, પણ યાયાવરના ગણો યા સંઘ પણ હતા. વળી મહાભારતમાં જ જરકાર નામના ઋષિને યાયાવરમાં શ્રેષ્ઠ કહ્યા છે. આથી સ્પષ્ટ છે કે જેમ બૌદ્ધોમાં ભિક્ષુસંધ, જેમાં મુનિસંધ તેમ આ દેશમાં તાપસસંધ તપસ્વસંધ અને યાયાવરસંધ પણ હતા. પરંતુ યાયાવર કહેવાતે ઋષિ માત્ર ભ્રમણને કારણે જ એ નામથી ન Page #2 -------------------------------------------------------------------------- ________________ 1008] દર્શન અને ચિંતન ઓળખાતે સાથે સાથે એનામાં વિશિષ્ટ ગુણની અપેક્ષા પણ રહેતી. એ અપેક્ષા એટલે એનું અપરિગ્રહી જીવન. શ્રીભાગવતમાં શાલીન, યાયાવર, શિલ અને ઉંછન એવી ચાર બ્રાહ્મણની વૃત્તિઓ યા આજીવિકાનો નિર્દેશ છે. યાયાવર એ એક જાતની આજીવિકા છે. એનો અર્થ ભાગવતવૃત્તિકાર શ્રીધરે દર્શાવ્યા છે–અને તે એગ્ય જ છે કે –એ પ્રમાણે હમેશા અનાજની ભિક્ષા માંગવી તે યાયાવરવૃત્તિ. જે વિપ્ર વ્યક્તિ પિતાની પાસે કશે સંગ્રહ ન રાખતાં જરૂરિયાત પ્રમાણે હંમેશા અનાજની ભિક્ષા માંગી લે તે તેની યાયાવરવૃત્તિ કહેવાય. મૂળમાં આવી વૃત્તિ પાછળ ઉચ્ચ આશયવાળા અપરિગ્રહને ભાવ જ રહે છે. આવી વૃતિ ધારણ કરનાર હોય તે યાયાવર કહેવાય. આ રીતે આ દેશમાં અપરિગ્રહ ઉપર વન ધારણ કરતા અનેક સંત-મુનિઓમાં યાયાવર એ એક પ્રકારનો વર્ગ હતે. (આજે ભલે તદ્દન અલ્પ પ્રમાણમાં, તે પણ તેવા વર્ગની સાવ ખોટ નથી.) યાયાવર શબ્દ પાણિનિ વા વૈયાકરણએ સિદ્ધ કર્યો છે. મહાભારત, રામાયણ, સ્મૃતિ અને ભાગવત આદિમાં એ વપરાયેલે મળે છે. આવા ભાવપૂર્ણ “યાયાવર’ શબ્દને અંગ્રેજી શબ્દ “માઈગ્રેટરી બર્ડને માટે જ એના યાજકે બહુ કૌશલ દર્શાવ્યું છે, એમ મને લાગે છે. જે યાયાવર એ બ્રમણલ અને અપરિગ્રહવૃત્તિ ધારણ કરનાર એવો કોઈ વર્ગ હતા. તે યુરોપના અને ઉત્તર એશિયાના દૂરદૂરના પ્રદેશમાંથી હજારો માઈલની અલિત યાત્રા કરી ગુજરાતમાં અને આ દેશમાં આવનાર પક્ષીઓ માટે એ શબ્દ વપરાય ત્યારે કહેવું જોઈએ કે એણે પિતાને મૂળ ભાવ સાચવી રાખ્યો છે. પ્રકૃતિરસિક ભાઈશ્રી હરિનારાયણ આચાર્યું કદાચ સર્વપ્રથમ યાયાવર શબ્દ પક્ષીઓ માટે-માઈગ્રેટરી બસ માટે વાપર્યો છે, તે તેમનું બ્રાહ્મણસુલભ ચિંતન સુચવે છે. –શ્રીરંગ, એપ્રિલ 1956.