Book Title: Vinayvijayji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249092/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શાસનપ્રભાવક અનેક ગ્રંથના રચનાકાર, બહુશ્રત વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી જન્મ વણિક હતા. તેમની માતાનું નામ રાજશ્રીરાજબાઈ અને પિતાનું નામ તેજપાલ હતું. તેઓ મુનિ તરીકે શ્રી વિજયહીરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીના શિષ્ય હતા. તેમણે પોતાની જનનીના શ્રેય માટે ચિકેશમાં મૂકેલી કથાસંગ્રહ, જ્ઞાતાસૂત્ર વગેરે ગ્રંથની પ્રતે પાટણના જૈન ગ્રંથભંડારમાં જોવામાં આવે છે. આ કવિએ પિતાના જીવનમાં અનેક તપાગચ્છ અધિપતિઓના સમયમાં ગ્રંથનું લેખન, સંશોધન, અવગાહન અને રચનાકાર્ય કર્યું જણાય છે. તેમના ગુરુબંધુ કાંતિવિજયે ‘સંવેગરસાયણ બાવની ”માં કરેલ સૂચન પ્રમાણે તેમણે બે લાખ પ્રમાણ રચના કરી, સમાજને ઉપયોગી સાહિત્ય પૂરું પાડયું હતું. આ રચનાઓથી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી આદિ ભાષા પરનું તેમનું પાંડિત્ય પ્રગટ થાય છે. ઉપરાંત, તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, ધર્મ, દર્શન અને આગમિક સાહિત્યના સર્જક પણ હતા. તેઓની પ્રખર વિદ્વત્તાને કારણે મહોપાધ્ય શ્રી યશેવિજ્યજી પણ તેમનો આદર કરતા. તેમની મુખ્ય રચનાઓ આ પ્રમાણે જાણવામાં આવી છે વિ. સં. ૧૬૮૪માં ચૈત્ર વદ ૧૦ના રચાયેલ રામચંદ્રત શ્રી શેષનૈષધવૃત્તિનું લેખન. વિ.સં. ૧૬૮૭માં યંત્રરાજ ગ્રંથનું લેખન. વિ. સં. ૧૯૮૯માં ઉપાધ્યાય ભાવવિજયજીએ રચેલી ઉત્તરાધ્યયન વૃત્તિનું સંશોધન. વિ. સં. ૧૬૯૦માં ગુરુ શ્રી કીતિવિજયજીકૃત રચના રત્નાકરનું લેખન. વિ. સં. ૧૬૯૬માં જેઠ સુદ બીજના કલ્પસૂત્ર પર ૬૫૮૦ કલેકપ્રમાણ કલ્પસુબાધિકા નામની ટીકા વિજયાનંદસૂરિના રાજ્યમાં રામવિજયપંડિતના શિષ્ય શ્રી વિજયગણિની અભ્યર્થનાથી રચી, તે શ્રી વિમલહર્ષના શિષ્ય શ્રી ભાવવિજ્ય ગણિએ શેધી. વિ. સં. ૧૬૯૭માં ધન્ય ત્રદશીએ દ્વારપુર (બારેજા)થી તંભતીર્થ (ખંભાત)માં માસું રહેલા તપાગણપતિને લખેલ વિદ્વત્તાભર્યો ચિત્ર-કાવ્યમય પાંચ અધિકારવાળો આનંદલેખ વિ. વિજ્ઞપ્તિપત્ર. વિ. સં. ૧૯૯૮માં તપાગચ્છપતિ વિજયદેવસૂરિ અને વિજયસિંહસૂરિના સમયમાં ગુજરાતી ભાષામાં રચેલી (સૂર્યપુર) સુરતની ચૈત્યપરિપાટી, જેમાં સુરત, રાંદેર, વલસાડ, ગણદેવી, નવસારી, હંસેટામાં રહેલા તે સમયનાં જેનો સારે ખ્યાલ મળી આવે છે. વિ. સં. ૧૭૦૧માં તપાગણપતિ પૂ. આચાર્યના આદેશથી–જોધપુર ચોમાસુ રહેલા–તેમના તરફ સુરતથી લખેલ “ઈન્દુદ્દત” કાવ્યલેખ. વિ. સં. ૧૭૦૫માં ધનતેરસે ખંભાતમાં શ્રીસંઘ તરફથી માસા માટે ખંભાત પધારવા વિજ્ઞપ્તિરૂપે, રાજનગરમાં રહેલા, શ્રી વિજયદેવસૂરિ તરફ લખેલ ગુજરાતી કવિતા-લેખ. વિ. સં. ૧૭૦૬માં ભાદ્રપદમાં વિજયસિંહસૂરિના આધિપત્યમાં નેમિનાથ ભ્રમર-ગીત. વિ. સં. ૧૭૦૭માં દીવ બંદરમાં વિજયદેવસૂરીશ્વર અને વિજયસિંહગુરુની તુષ્ટિ માટે સંસ્કૃત નયકુસુમાંજલિ (નયકણિકા). વિ. સં. ૧૭૦૮માં વૈશાખ સુદ પના જૂનાગઢમાં ૧૭૬૨૧ શ્લેકપ્રમાણ અતિવિસ્તૃત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ લેકવિષયક “લેકપ્રકાશ” નામના મહાન સંસ્કૃત ગ્રંથની રચના. વિ. સં. ૧૭૧૦માં રાધનપુરમાં કાંતિવિજયગણિ માટે સિદ્ધહૈમ વ્યાકરણ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો લધુપ્રક્રિયાની રચના. વિ. સં. ૧૭૧૩માં વિજયપ્રભસૂરિ પર્યત પટ્ટાવલી સક્ઝાય. વિ. સં. ૧૭૧૬માં સુરતમાં ધર્મના વિજ્ઞપ્તિરૂપ ઉપમિતિભવ–પ્રપંચ સ્તવન. વિ. સં. ૧૭૨૩માં ગંધારમાં શાંતસુધારસ ભાવના પ્રબંધ (સં. ગેય દેશીઓમાં, મધુર સંગીતમાં ઉતારેલ ઉચ્ચ જેન સેળ ભાવનાઓ). વિ. સં. ૧૭૨૬માં મહામહોપાધ્યાય યશવિજયે રચેલ ધર્મપરીક્ષા ગ્રંથનું સંશોધન, વિ. સં. ૧૭૨૮માં રદેશમાં રાજુલ–નેમિ-સંદેશ ( બારમાસ). વિ. સં. ૧૭ર૯માં સંદેશ્માં વિજયાદશમીએ પુણયપ્રકાશ (આરાધના) સ્તવન. વિ. સં. ૧૭૩૧માં ગધારમાં જિનસહસ્ત્રનામસ્તોત્ર. વિ. સં. ૧૭૩૨માં પંચકારણ (પંચસમવાય) સ્તવન, સ્યાદ્વાદ સૂચક મહાવીર સ્તવન. વિ. સં. ૧૭૩૬માં વિજયરત્નસૂરિના અધિકારમાં ગુણસ્થાપક સ્વરૂપ (વીર) સ્તવન. વિ. સં. ૧૭૩૭માં વિજયાદશમીએ રતલામમાં હેમપ્રકાશ ( હેમપ્રક્રિયા વિવરણ) વિરતૃત વ્યાકરણગ્રંથ. વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ભગવતીસૂત્ર-સબ્બાય. વિ. સં.. ૧૭૩૮માં રાંદેરમાં શ્રીપાલ રાસ. ( 750 ગાથાપર્યત અપૂર્ણ મૂકી કાળધર્મ પામતા બાકીને ભાગ તેમના વચનથી સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પૂર્ણ કર્યો. આ ઉપરાંત, તેમણે આદિનાથનવિનંતિ, ઉપધાન સ્તવન, ષડાવશ્યકતવન, પચકખાણની સક્ઝાય, આયંબિલની સન્માય, વિનયવિલાસ (સુંદર 37 પદોને સંગ્રહ), વીસી, વીસી (24 જિનનાં 24 સ્તવન), અધ્યાત્મગીતા, શાશ્વતજિનભાષ, અહંન્નમસ્કારસ્તોત્ર, હૈમલધુપ્રક્રિયા પર પણ ટીકા 34000 કલેકપ્રમાણ, ભાવવિજ્યગણિ કૃત ત્રિશજજલ્પ સંક્ષેપ તરીકે ષત્રિશતજ૫ સંસ્કૃત ગદ્યમાં રચેલ છે. ધનતેરશે પ્રભાસપાટણથી ગુજરાતની રાજધાની પાટણમાં ચોમાસું રહેલા પૂજ્ય વિજ્યદેવસૂરિ તરફ પૂર્વાર્ધ પ્રાકૃત અને ઉત્તરાર્ધ સંસ્કૃત પઘવાળું છટાદાર વિશિષ્ટ નિવેદનવાળું પર્યુષણ પર્વ-વિજ્ઞપ્તિક્ષેત્ર રચી મોકલ્યું હતું. તેઓશ્રી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા. આ બહુશ્રુત વિધાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભા શાળી નામાંકિત વિદ્વાન હતા. વિ. સં. ૧૭૬૦ના જેઠ સુદ ૬ના વિજયસિંહસૂરિના ઉપદેશથી શત્રુંજયના શિખર પર થયેલા ઉગ્રસેન (આગ્રા શહેર)વાસી એશવાલાતીય, વૃદ્ધશાયિ અને કુહાડગોત્રીય સા. વર્ધમાન (સ્ત્રી વાહાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન, અષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પિતાના પિતા વર્ધમાનના વચનથી તેમના પુણ્ય માટે આ સહસ્ત્રકૂટ તીર્થ કરાવ્યું. અને વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી વિજયહીરસૂરિ શિષ્ય મહિ૦ કીતિવિજ્યજી ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ તેની પ્રતિષ્ઠા કરી. (સંકલન : કરમશી ખેતશી ખાના) (“ઐતિહાસિક લેખસંગ્રહ' પૃ. 432 થી 436. “જેન સાહિત્યને ઇતિહાસ” પૃ. 648 અને “જૈન ગૂર્જર કવિઓ' ભા. 2, પૃ. 4 થી 19 માંથી સંકલન) 2010_04