Book Title: Vijay Vikramsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249130/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બમણુભગવંતો-ર ર૬પ સ્થળોએ ધર્મ પ્રભાવના કરી. સિકંદરાબાદ પ્રતિષ્ઠા કરાવી. સિકંદરાબાદથી શિખરજીને છરી પાલિત સંઘ કાઢયો. કલકત્તાથી શિખરજી થઈ પાલીતાણા શ્રી સિદ્ધગિરિને સંઘ કાઢયો. મિતભાષી અને સદાયે ધર્મરત, પ્રશાંતમૂર્તિ અને વાત્સલ્યમૂતિ આચાર્યદેવ શ્રી યંતસૂરીશ્વરજી મહારાજ હસ્તક અનેકવિધ શાસનપ્રભાવના થઈ છે. પ્રભુભક્તિ અને શાસનસેવામાં સદાયે નિમગ્ન રહેતા પૂજ્યપાદ મહાત્માનાં ચરણોમાં કેટિશ વંદન હજે ! ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી પ્રગટેલી અનોખી પ્રતિભા, સમર્થ તર્કનિપુણ, અપ્રમત્ત જ્ઞાનના મહાન સાધક, તપ અને ત્યાગના યુગપ્રવર્તક, વિનય-માધુર્યના ભંડાર, તીર્થોદ્ધારક : પૂ. આચાર્ય શ્રી વિજયવિકમસૂરીશ્વરજી મહારાજ જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, માતા-પિતાના સંસ્કાર સિંચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે છે. પપે છે અને સંસિદ્ધ થાય છે તેનું ગરવું દષ્ટાંત પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ છે. તેમને જન્મ નિસર્ગશ્રીથી શેભતી, ગગનચુંબી જિનાલયની ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા છોટાલાલ અને માતા પ્રસન્નબેનને ત્યાં સં. ૧૯૭૨ના જેઠ સુદ પાંચમે થયું હતું. જન્મનામ બાલુભાઈ હતું. શૈશવકાળથી જ પ્રેમપ્રપૂર્ણ વ્યક્તિત્વથી તેઓ અનેકેના વહાલા બાલુડા બની ગયા હતા. તેમની તેજનરરતી આંખે, તેજસ્વી લલાટ, સુળ દેહસૌંદર્ય પ્રથમથી જ મહાનતાને પરિચય કરાવતા હતા. ધર્મભાવનાનાં બીજાંકુરો તે પૂર્વ ભવથી પ્રગટી ચૂક્યા હતા, તેમાં શીલવતી માતાએ અને સૌજન્યશીલ પિતાએ સંસ્કારસિંચન કર્યું. બાળપણથી જ પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પ્રિય હતાં. એમાંથી બાલકુમારના વૈરાગ્યના ભાવ સાકાર થવા માંડ્યા. સંસારની અસારતા સમજાઈ. સંયમજીવનની સાર્થકતા આકર્ષી રહી. પરંતુ માતા પ્રસન્નબેનને પ્રેમ અત્યંત સંવેદનશીલ હતે. દીક્ષાની વાત થતાં તેઓ બેભાન બની જતાં. પરંતુ વિલક્ષણ બુદ્ધિશક્તિવાળા બાલુભાઈ પિતાના નિર્ણયમાંથી ચલિત થાય તેમ ન હતા. તેમણે પિતાના પિતાને દીક્ષા માટે તૈયાર કર્યા. પિતા-પુત્ર રાતોરાત ચાણસમા પહોંચ્યા, ત્યાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ બિરાજતા હતા. પિતા-પુત્રે સંયમજીવન સ્વીકારવાની ભાવના દર્શાવી. પૂ. ગુરુદેવશ્રીએ સં. ૧૯૮૫ના જેઠ સુદ ૩ને શુભ દિવસે ભટેવા પાર્શ્વનાથની પવિત્ર છાયામાં દીક્ષા આપી, ટાલાલને મુનિશ્રી મુક્તિવિજયજી અને બાળક બાલકુમારને બાલમુનિ શ્રી વિક્રમવિજ્યજી તરીકે ઘોષિત કર્યા. તેઓશ્રીના વડીલ બંધુ નગીનભાઈ પણ પૂર્વે પૂ. દાદા ગુરુદેવશ્રીના શિષ્ય બની મુનિશ્રી નવીનવિજયજી બન્યા હતા. ચૌદ વર્ષની વયે ઐશ્વર્યને કરાવી, ભેગૈશ્વર્યની સાધના કરવા કૃતસંકલ્પ બનેલા બાલમુનિને મહાગી બનતાં કેણ અટકાવી શકે? પૂજ્યશ્રી વિનમ્રભાવે ગુરુચરણે સમર્પિત થઈ. , ૩૪ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અધ્યયન-તપશ્ચર્યામાં દિનપ્રતિદિન આગળ વધતા ગયા. શાસ્ત્ર, તિષ, વ્યાકરણ, સાહિત્ય આદિનાં વિવિધ ક્ષેત્રનું અતુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક ગેમાં વૃદ્ધિ પામતાં વિદ્વાન, ગભર, શાસનપ્રભાવક મહાપુરુષ બન્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સર્વ પ્રકારની યોગ્યતા નિહાળીને સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ને દિવસે સિદ્ધાચલજીમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પદસ્થ બન્યા પછી તેઓશ્રીએ ગુરુભગવંત સાથે અનેક શાસ્ત્રગ્રંથોનું સંપાદનકાર્ય અપ્રમત્તભાવે કર્યું. તેઓશ્રીએ નંદી, અવચૂરી, વાસુપૂજ્યચરિત્ર, આચારાંગચૂર્ણિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર, હેમમધ્યમવૃત્તિ વ્યાકરણ, ચૈત્યવંદન, હેમધાતુપારાયણ, પાઈઅલચ્છિનામમાલા આદિ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું. આ સંપાદનનાં પ્રકાશનને લીધે પૂજ્યશ્રી ભારતભરમાં એક સમર્થ શાસ્ત્રવેત્તા તરીકે સુખ્યાત બન્યા. લાલબાગમાં અંતિમ ચાતુર્માસ દરમિયાન પૂ. દાદાગુરુની તબિયત બગડતાં તુરત જ મુંબઈ પહોંચ્યા. પૂજ્યપાદ કવિકુલકિરીટ દાદા ગુરુદેવશ્રીની સં. ૨૦૧૭ના શ્રાવણ સુદ પાંચમે ચિર વિદાય પછી તેઓશ્રી ઉપર સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. પૂ. ગુરુદેવ સર્વ પ્રભાવ, ભવ્ય વાર પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ દેખાતે હતો અને પૂજ્યશ્રીએ એ સિદ્ધ પણ કરી બતાવ્યું. પૂજ્યશ્રી સૂરિમંત્રના જાપના અઠગ ઉપાસક હતા. તેમણે અખંડ ત્રિકાલ સૂરિમંત્રના જાપથી વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી જે બોલે તે થઈને રહે. પ્રદેશે-પ્રાન્ત વિચરી મહાન શાસનપ્રભાવનાઓ કરી. સં. ૨૦૨૮માં સિકંદરાબાદથી શિખરજીને અને સં. ૨૦૩૦માં કલકત્તાથી પાલીતાણાને મહાન છરી પાલિત સંઘ કાઢ્યા હતા. ખંભાતમાં 108 માસક્ષમણ તપશ્ચર્યા કરાવી. ભરૂચતીર્થને ઉદ્ધાર કરાવ્યું. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ સં. ૨૦૪૦માં અમદાવાદમાં થયું. ઓચિંતા રોગને હુમલે થયે. ડોકટરે-વૈદ્યોના ઉપચાર સફળ થયા નહીં. અસંખ્ય શિ-પ્રશિષ્ય-શિષ્યાઓ--શ્રાવક-શ્રાવિકાઓના મંત્રોચ્ચાર વચ્ચે ગુરુદેવને હંસલે સ્વર્ગગામી થયે. અગણિત ભક્તજનોનાં નયનને ભીંજવી જનારે એ દિવસ હત સં. ૨૦૪૨ની દીપાવલીને. ચારિત્રધર્મની સમર્થ સાધનાના આ સાધકે ભૌતિક સંપત્તિને ત્યાગ કરી, આંતરિક નમ્રતા-ક્ષમા- સરળતા-ઉદારતાની નાનલક્ષ્મી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રીમાં વસ્તૃત્વશક્તિ, ગુરુસેવા અને ગુર્વાસાને પ્રાધાન્ય આપતા રહ્યા. પૂજ્યશ્રીને અતુલ્ય પ્રભાવ શિષ્ય-શિષ્યાઓમાં જ નહીં, પણ સામાન્યજન પર પણ અમિટ પડ્યો. પરિણામે તેઓશ્રી શાસનસેવા સાથે યશનું સામ્રાજ્ય ફેલાવી ગયા. ધન્ય એ વત્સલમૂતિ ! વંદન હજે એ મહાત્માને !!! (સંકલન : પૂ. આ. શ્રી વિજ્યસ્થૂલભદ્રસૂરિજી મહારાજ) છે 2) ( STD-1 SS 117 , કે •છે R 2010_04