Book Title: Vijay Rajendrasuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249141/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ ૮૧ બેઠાં એકાંતે વાંચીને જાતે પ્રતિક્રમણની વિધિ શીખે છે. પૂર્વજન્મના વિરલ સંસ્કારે હલચંદ બાલ્યવયમાં જ વૈરાગ્યના વિચારમાં પ્રવેશે છે એવામાં પૂ. શ્રી બુદ્ધિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી શાંતિવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારાજ પાવડ પધારે છે. સદ્દગુરુનાં વચને સાંભળીને હાલચંદનું અંતર વધુ વૈરાગ્યમય બને છે. માકુભાઈ શેઠના અમદાવાદથી નીકળેલા પદયાત્રા સંઘમાં જોડાઈને પાલીતાણા પહોંચે છે અને ત્યાં જ સં. ૧૯૯૧ના ચૈત્ર વદિ ૭ને દિવસે ૧૮ વર્ષની ભર યુવાનવયે દીક્ષા અંગીકાર કરે છે, અને મુનિશ્રી શાન્તિવિજ્યજી મહારાજના વિનય શિષ્યરત્ન મુનિશ્રી સુજ્ઞાનવિજ્યજી બને છે. ધર્મના બીજ પર તપ-ત્યાગ અને સંયમસાધનાનું અમીસિંચન થતાં સાધુ-જીવન સેળે કળાએ ખીલી ઊઠયું. જ્ઞાન અને તપમાં વિશાળતા પ્રાપ્ત થતાં રવાપર કલ્યાણનાં કાર્યો થવા લાગ્યાં. ધમથી વેરાન જન્મભૂમિમાં રહીને જિનાલય-ઉપાશ્રય-જ્ઞાનમંદિર આદિનું નિર્માણ કરાવ્યું. ધાર્મિકતાનું હર્યુંભર્યું વાતાવરણ સર્યું. સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ ઘેર ઘેર થવા લાગી. બાળકે ધાર્મિક અભ્યાસથી પ્રકાશ પામવા માંડ્યાં. પૂજ્યશ્રીના સંસારીપણે પિતરાઈ ભાઈ રમણલાલ ઉર્ફે રમણીકભાઈએ પૂજ્યશ્રીના સંપર્કમાં આવતાં સં. ૨૦૦૪માં દીક્ષા લીધી અને મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી નામ ધારણ કર્યું. ત્યારબાદ પૂજ્યશ્રીના કુટુંબમાંથી મહાસુખભાઈ તથા દિનેશભાઈ વગેરે દીક્ષિત થયા અને મુનિશ્રી સિદ્ધસેનવિજ્યજી તથા મુનિશ્રી શીલચંદ્રવિજયજી તરીકે જાહેર થયા. પુત્રી જેકિલાબહેન તથા પુત્રી વિમળાબહેન પણ દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી શીલભાશ્રીજી અને સાધ્વીશ્રી શીલપ્રજ્ઞાશ્રીજી તરીકે જાહેર થયાં. એમ પૂજ્યશ્રીના કુટુંબમાંથી છ-છ મુમુક્ષુઓ સંયમમાગે સંચર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ પ્રભાવનાઓ થતી રહી. હમણાં જ સં. ૨૦૪૮ના જેઠ મહિનામાં અમદાવાદ મુકામે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. સમર્થ સાહિત્યસર્જક, કુશળ પ્રવચનકાર, મહાન શાસનપ્રભાવક અને ઘોળકા સ્થિત સુપ્રસિદ્ધ કલિકુંડ તીર્થના પ્રેરક-માર્ગદર્શક પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ થરાદ શહેરથી છ માઈલ દૂર આવેલા મોટી પાવડ ગામે થયે. પિતા બાદરમલ અને માતા પાર્વતીબહેનને ત્યાં સં. ૧૯૯૩ના માગશર સુદ ૭ના દિવસે પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ રમણભાઈ પાડ્યું. પાવડનું આ શેઠ કુટુંબ સુખી હતું, પણ રમણભાઈને બાળપણથી અન્ય પ્રવૃત્તિઓ કસ્તી ધર્મમાં વિશેષ રુચિ હતી. એવામાં સંસારપણે પિતરાઈ ભાઈ ત્યાગમૂર્તિ મુનિરાજશ્રી સુજ્ઞાનવિજ્યજી મહારાજ પાવડ પધારતાં અને બાળક રમણને તેઓશ્રીને સમાગમ થતાં રમણભાઈ ધર્મના રંગે રંગાઈ ગયા. માત્ર ૧૦ વર્ષની કુમળી 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ 482 શાસનપ્રભાવક વયે સં. ૨૦૦૪ના ફાગણ સુદ ૩ને શુભ દિવસે ભાભર પાસે લુંદરા ગામે મહત્સવપૂર્વક સંયમમાર્ગ સ્વીકાર્યો અને મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી નામ ધારણ કર્યું. મુનિરાજને બાળપણથી ધાર્મિક અભ્યાસમાં રસ હતો. તેમાં પૂ. ગુરુદેવનું માર્ગદર્શન ઉમેરાયું. તેથી તેઓશ્રીએ ધર્મશાસ્ત્રો, ન્યાય, ગ, વ્યાકરણ આદિને ગહન અભ્યાસ કરી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષા પર અપૂર્વ પ્રભુત્વ મેળવ્યું. વાચન-મનનને પરિણામે લેખનકાર્યમાં પણ આગળ વધ્યા. પૂજ્યશ્રીને હસ્તક એક પછી એક ધર્મગ્રંથની રચના થઈ. તેઓશ્રીના સાહિત્યમાં ચૈતન્યને ચમકાર, સાધનાનાં સોપાન, તરણીનાં તેજ, સાધુતાની સૌરભ, જીવનજાગૃતિ, જીવનમંગલ, જીવનઝંકાર, જીવનજત જલે, હીરાને હાર આદિ ગ્રંથે મુખ્ય છે અને ઘણાં લોકપ્રિય થયા છે. એવી જ રીતે, પૂજ્યશ્રીએ શ્રાવક પ્રપ્તિ, નંદ્યાવર્ત મહાપૂજન, શાંતિસંકીર્તન, પર્વકથાસંગ્રહ આદિ ગ્રંથિ સંપાદિત કર્યા છે. પૂજ્યશ્રીના સતત પુરુષાર્થથી શાંતિસૌરભ” નામનું માસિક અવિરત પ્રકાશિત થતું રહે છે. સાહિત્યસર્જનની સાથે સાથે પ્રવચનની અનેખી છટા પણ પૂજ્યશ્રીની આગવી વિશેષતા છે. જે વર્ષ પૂજ્ય ગુરુદેવશ્રીની છાયામાં રહીને જ્ઞાન-ધર્મને પ્રચાર કરતા રહ્યા. ત્યાર પછી પૂ. દાદાગુરુશ્રી શાંતિચંદ્રસૂરિજી મહારાજનું સ્વાચ્ય બરાબર ન રહેતાં 9 વર્ષ સુધી તેઓશ્રીની સેવામાં રહ્યા. દરમિયાન પૂજ્યશ્રી રામાયણ-મહાભારત પર ધર્મમય, જ્ઞાનમય, ભક્તિમય પ્રવચને આપીને વિશાળ જનસમુદાયને આકર્ષતા રહ્યા. સં. ૨૦૧૯ના જેઠ સુદ ૪ના દિવસે ભાભર મુકામે પૂ. દાદાગુરુની ઈચ્છાને આધીન, અંજનશલાકા મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીને ગણિ-પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગના પંદરમા દિવસે પૂ. દાદાગુરુને વિગ . પૂજ્યશ્રીએ સંયમજીવન અસ્વીકાર્યા પછી ૨૫મા વર્ષે સ્વતંત્ર ચાતુર્માસ કર્યું. મુંબઈમાં યાદગાર ચાતુર્માસ કર્યો. ગોરેગાંવમાં ઉપધાન, થાણાનો છ'રીપાલિત સંઘ, શ્રીપાલનગર-વાલકેશ્વરમાં ઉપધાન અને બે કુમારિકાઓને દીક્ષામહત્સવ આદિ ખૂબ યાદગાર ચાતુર્માસ થયા છે. ત્યાર બાદ કલિકુંડ તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્યદેવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સં. ૨૦૩૦ના ફાગણ સુદ બીજ ને ગુરુવારે પૂજ્યશ્રીને આચાર્ય પદવી અર્પણ કરવામાં આવી. અને પૂ. પંન્યાસજી આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કર્યો પાર પાડવા માટે સુદીર્ઘ અને સ્વાથ્યપૂર્ણ જીવનરિદ્ધિ પામો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશ વંદના ! (સંકલન : શ્રી અરવિંદભાઈ બી. ગાંધીના લેખને આધારે ). જિક નવાજવામાં આવી ન દે . * समक्ष 2010_04