Book Title: Vijay Dharmsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249102/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૩૨ બ્રહ્મચર્ય ની નિષ્ઠા અને તપેાધની તેજસ્વિતા ધારણ કરનારા નવયુગ – પ્રવ કે, શાસ્ત્રવિશારદ પૂ. આચાર્યશ્રી વિજયધમ સૂરીશ્વરજી ( કાશીવાળા ) મહારાજ પ્રાકૃતિક ક્ષેાથી નયનરમ્ય મહુવા નગરીમાં ક્યામવચ્છ ' જેવા પવિત્ર ખાનદાન કુળમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણી ઉદાર, સરળ, શીયળસપન્ન અને જૈનધર્મના રંગે રંગાયેલાં રહેતાં. સત્યરિત કુટુ એમાં ચારિત્રશીલ સતાના જન્મે છે અને સ્વ—પરના કલ્યાણમય કાર્યોં કરીને જગતને ઊધ્વગામી બનાવે છે. આવા એક પુણ્યશાળી દંપતીને ત્યાં પૂજ્યશ્રીના જન્મ થયા હતા. જન્મના મૂળચંદ હતું. આળપણથી ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા મૂળચંદને શાળાના શિક્ષણમાં મહુ રસ પડયો નહી, એટલે પિતાએ દુકાને બેસાડી દીધા. વેપાર-ધંધા કરતાં કતાં મૂળચંદ સટ્ટાને રવાડે ચડી ગયા. એમાં એક વાર મોટી ખેાટ ખાધી. પિતાએ ઠપકા આપ્યા. આ આઘાતથી મૂળચંદની વૈરાગ્યવૃત્તિ લગી ઊઠી. તે ભાવનગર આવ્યા. ત્યાં પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના વ્યાખ્યાન શ્રવણુના અવસર પ્રાપ્ત થયેા. મૂળદ મુનિવશ્રીની વાણીથી અત્યંત પ્રભાવિત થયા. તેણે દીક્ષા લેવાને અટલ નિર્ધાર કર્યાં. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધ`વિજયજી અન્યા. શાસનપ્રભાવક 6 2010-04 સસારી જીવનની તડકી-છાંયડીમાંથી મુક્ત થયેલાં પૂજ્યશ્રીએ યમજીવન સ્વીકારીને નિશ્ચય કર્યો કે ગુરુદેવનાં ચરણેાની સેવા કર્યાં વિના સૂવું નહીં; પાનપાન અને દીક્ષાપાલનમાં નિરૂદ્યમી અને નિરૂત્સાહી થવુ નહી; અસંયમનાં સ્થાને ઉપસ્થિત કરવાં નહી; ટૂંકી દૃષ્ટિને સ્થાને જૈનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની પ્રવૃત્તિઓ ચલાવવી. આવા નિષ્ઠાવાન નિહ્ યાથી તેએ બહુ જ ટૂંકા ગાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોષ ઉપરાંત આગમના અંગ અભ્યાસી બની રહ્યા. સમાજમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા દિગ્ગજ પંડિતે તૈયાર કરવાને ઈરાદે, અત્યંત પરિશ્રમ વેઠીને, કેટલાક વિદ્યાથીઆ અને મુનિરાજોને સાથે લઈ જઈ ને બનારસ ( કાશી )માં પુણ્યપવિત્ર ‘ શ્રી યશેાવિજયજી મહારાજ 'ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. આ પાઠશાળામાં સર્વ પ્રકારનો વ્યવસ્થિત અભ્યાસ આર ંભાયા. તદુપરાંત, પૂજ્યશ્રીના અથાક પ્રયત્નોથી વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કેષ આદિ ગ્રંથે! અને વિશેષાવશ્યક જેવા આગમિક ગ્રંથેનુ પ્રકાશન થયું. આ ગ્રંથે વિના મૂલ્યે ભારતમાં અને પાશ્ચાત્ય દેશમાં મેકવવામાં આવ્યા. આમ, તેએશ્રીના વરદ્ હસ્તે જૈનશાસનની અભૂતપૂર્વ સેવા થઈ, એટલું જ નહિ; પણ પૂજ્યશ્રીએ પ્રગટ કરેલાં આ ગ્રંથોનાં વિવરણાએ પણ સાહિત્યક્ષેત્રે અદ્ભુત પ્રભાવ પાથ. દા. ત. ન્યાયના ગ્રંથા શાંકરભાષ્યના ભક્તાએ જોયા ત્યારે ખબર પડી કે મહાવીરસ્વામીના સ્યાદ્વાદ સાયવાદાત્મક નથી, પણ નિર્ણયાત્મક સત્ય છે. પારસ્પરિક કલેશે અને મિથ્યા વાગ્યુદ્ધો સમાવવા માટે સથા સક્ષમ છે. તે જ પ્રમાણે, આગમિક પ્રથાને જોયા પછી પડિતાને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની મર્યાદાના ખ્યાલ આવ્યેા. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત 383 પૂજ્યશ્રી શાની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ અને નૂતન અર્થઘટન કરવામાં પારંગત હતા. પરિણામે, તેઓશ્રી સામે કઈ વિરોધ ટકી શકતે નહીં. અંગ્રેજ રાજ્યમાં ગરાઓ ચામડાના બૂટ પહેરીને આબુના જૈન મંદિરમાં જતા. એ બાબત છે. થોમસના માધ્યમથી લંડનની પાર્લામેન્ટ સાથે પત્રવ્યવહાર કરીને પૂજ્યશ્રીએ આ દુર્વર્તન બંધ કરાવ્યું હતું. આ પ્રસંગે તેમની તેજસ્વી પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે. વ્યક્તિત્વ સો ટચનું સોનું બન્યા વગર વતૃત્વમાં પ્રભાવક્તા, હિમકામિકા અને મધુરતા આવતા નથી. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના વ્યક્તિત્વમાં પણ ગુરુદેવના આશીર્વાદ હતા બ્રહ્મચર્યધર્મની નિષ્ઠા હતી, ઉઘાડાં પુસ્તક જેવું સર્વથા નિર્દભ જીવન હતું. જગડુ શાહના અન્નભંડાની જેમ પૂજ્યશ્રીનાં જીવન-કવન પણ અન્ય જીવો માટે ખુલ્લાં હતાં. આંખમાં સમતારસ હતે. કાન અન્યનાં દુઃખદર્દ સાંભળવા તત્પર હતાં. ચરણ ગમે તે સ્થળે અને સમયે ધર્મોપદેશ કરવા માટે સદા તૈયાર રહેતાં. વેદ-વેદાંત ઉપનિષદ્ ભગવદ્ગીતા–મહાભારત આદિ ગ્રંથોમાંથી લેકે ટાંકતા જઈ વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની દલીલે શ્રોતાવર્ગને બહુ સરળતાથી સમજાઈ જતી. આવા વક્તવ્ય-કૌશલ્યને લીધે તેઓશ્રી માંસાહારવિધી ચળવળને સફળ બનાવી શકયા હતા. કીડાઓના સંહારથી બનતાં રેશમનાં વસ્ત્રોને ત્યાગ કરી, શુદ્ધ ખાદી પરિધાન કરવાને પ્રચાર કર્યો. પૂજ્યશ્રીના આ અભિયાનેએ જેનશાસનમાં નવી હવાને સંચાર કર્યો. દીક્ષા પર્યાય દરમિયાન સીમિત પ્રદેશમાં જ વિહાર કરીને પૂજ્યશ્રી અટક્યા નહોતા; પરંતુ બંગાળ, બિહાર, આસામ, ઓરિસા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મારવાડ, ખાનદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તમાં વિહાર કરીને જૈનધર્મ પ્રત્યેના વિધમીઓના અજ્ઞાન–ગેરસમજને દૂર કર્યા હતાં. એવા એ અહિંસા, સંયમ અને ધર્મના આચારક અને પ્રચારક પૂજ્યશ્રીએ સં. ૨૦૩૩ના ભાદરવા સુદ 14 ને દિવસે શિવપુરી મુકામે દેહ છોડ્યો, ત્યારે ગામેગામના શ્રાવકે શાકમગ્ન બની ગયા હતા. પૂજ્યશ્રી પાછળ અગણિત ગુણાનુવાદ સભાઓ થઈ હતી. આજે પણ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાય દ્વારા શાસનના નૂતન અભિગમને પ્રચાર-પ્રસાર થતું રહે છે. ( સંક્લન : પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ “કુમારશ્રમણ’ના લેખને આધારે સાભાર. ) ફાન , TH *. [ 2010_04