Book Title: Udayana Mantri ane Dikra Ambada ane Bahada Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201033/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ 33. ઉલ્યન મંત્રી અને તેના દીકરા આંબS અને બાહS ઉદયન મંત્રી સોલંકી યુગના રાજા કુમારપાળના રાજયકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સમૃદ્ધિ સર્વોચ્ચ શિખર પર હતી. તે તેનો સુવર્ણયુગ હતો. રાજ્યને આ કક્ષાએ પહોંચાડવામાં તેના મંત્રીઓનો ફાળો મહત્ત્વનો હતો. સોલંકી યુગના મંત્રીઓ મોટે ભાગે જૈન હતા. રાજા કુમારપાળના રાજ્યની વૃદ્ધિ અને સફળતામાં ઉદયન મંત્રી અને તેના બે દીકરા આંબડ અને બાહડનો ફાળો કિંમતી હતો. ઉદયન રાજસ્થાનના ઝાલોર શહેરની બાજુમાં આવેલા વાઘરા ગામનો સામાન્ય વેપારી હતો. તેની જિંદગી બહુ તકલીફો વચ્ચે પસાર થઈ હતી. બે છેડા માંડમાંડ ભેગા થતા. તેની પત્ની સુહાદેવીએ વેપારની દૃષ્ટિએ વિકસિત હોય તેવા સ્થળે રહેવા જવા સૂચવ્યું. એ સમયે ગુજરાતમાં સિદ્ધરાજનું રાજ હતું, અને તેની જાહોજલાલી કૂદકે ને ભૂસકે વધી રહી હતી. ઉદયને ગુજરાતમાં જવાનું વિચાર્યું. એ સમયે સિદ્ધરાજે ગુજરાતમાં પોતાના પિતા કર્ણદેવની સ્મૃતિમાં કર્ણાવતી (અમદાવાદ) નામનું નવું શહેર વસાવ્યું હતું. કર્ણાવતી ઝડપથી વિકસતું શહેર હોઈ ઉદયને ત્યાં જવાનું વિચાર્યું. તે ત્યાં કોઈને ઓળખતો ન હતો તેથી ત્યાંના જૈન મંદિરમાં તે ગયો. ઉદયન ત્યાં ગયો ત્યારે ધાર્મિક વૃત્તિવાળી લચ્છી નામની સ્ત્રી ત્યાં ભક્તિ કરતી હતી. તે મંદિરની બહાર આવી ત્યારે અજાણ્યા દંપતિને જોઈ તેઓ ક્યાંથી આવ્યા છે તેવી પૂછપરછ કરી. ઉદયને જણાવ્યું કે તે ધંધાર્થે રાજસ્થાનથી આવ્યો છે. લચ્છી દયાળુ સ્ત્રી હતી. આવનાર દંપતિ જૈન છે એમ જાણતાં સાધર્મિક ભક્તિ માટે બે-ચાર દિવસ માટે તેમને પોતાને ઘેર લઈ ગયા. તેમને રહેવા માટે પોતાનું જૂનું ઘર આપ્યું. ઉદયને ત્યાં રહી નાનો સરખો ધંધો શરૂ કર્યો. નીતિથી ધંધો કરતાં ટૂંકા ગાળામાં જ તેનો ધંધો સારો ચાલ્યો અને થોડી બચત થતાં જૂના ઘરનું સમારકામ કરાવ્યું. ઘરની જમીન ખોદાતી હતી ત્યારે જમીનમાંથી દાટેલું ધન મળ્યું. તે ખૂબજ પ્રામાણિક હોવાથી તે ધન લઈને તે ઘર લચ્છીનું હોવાથી તેને આપવા ગયો. હવે તે મિલકત ઉદયનની હોવાથી તે ધન પણ ઉદયનનું જ ગણાય એમ કહી લચ્છીએ તે ધન લેવાની ના પાડી. ઉદયન પાસે હવે મોટી મૂડી ભેગી થવાથી મોટો ધંધો શરૂ કર્યો. ધંધામાં તે ઘણું કમાયો અને કર્ણાવતીનો સૌથી ધનિક માણસ ગણાવા લાગ્યો. રાજાએ પણ તેને કર્ણાવતીના પહેલા નાગરિકનો દરજ્જો આપ્યો. તેણે પણ કર્ણાવતીના લોકોની ઉત્તમ સેવા કરી. એ સમયે ખંભાત (અમદાવાદથી ૯૦ કી.મી. દૂર) પશ્ચિમ ભારતનું ખૂબ જ મહત્ત્વનું ઉપયોગી બંદર હતું. રાજકારણીઓ તે શહેરના ગવર્નર થવા પડાપડી કરતા. ઈ. સ. ૧૧૨૦ ની સાલમાં ઉદયનની યોગ્યતા અને શક્તિ જોઈને તેમને ખંભાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. ઉદયને ઘણાં લાંબા સમય સુધી તે પદ સારી રીતે શોભાવ્યું. તેમના સેવાકાળ દરમિયાન બે મહત્ત્વના બનાવો શહેરમાં બન્યા ૧. રાજમાતા મીનળદેવીના સૂચનથી ભોલાદનો યાત્રાળુ કર માફ કર્યો. ૨. પાંચ વર્ષના ચાંગદેવ નામના બાળકને જેનામાં મહાન સાધુ થવાની સુષુપ્ત શક્તિ હતી તેને દીક્ષા અપાવવામાં દેવચંદ્રસૂરિ મહારાજને સહાય કરી. (પાછળથી ચાંગદેવ જૈન આચાર્ય હેમચંદ્ર બન્યા.) ( 128 જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉલ્યન મંત્રી અને તેના દીકરા - આંબડ અને બાહડ જૈન શ્રાવકને મદદ કરતી શ્રાવિકા લચ્છી રાજા પ્રત્યેની ઉદયનની નિષ્ઠા નિર્વિવાદ હતી. તેથી રાજા સિદ્ધરાજથી ગામેગામ છુપાતા ફરતા કુમારપાળને મદદ કરવામાં તેમને દ્વિધા હતી. છતાં જ્યારે આશ્રયની શોધમાં કુમારપાળ ખંભાત આવ્યા તો હેમચંદ્ર આચાર્યએ ઉદયનને મદદ કરવા કહ્યું. આચાર્ય પ્રત્યેના અહોભાવને લીધે તેમણે કુમારપાળને પોતાના ઘરના ભોંયરામાં છુપાવી દીધા. થોડા જ સમયમાં સિદ્ધરાજનું અવસાન થયું અને કુમારપાળ ગુજરાતના રાજા બન્યા. રાજા કુમારપાળે ઉદયનને એમની જગ્યા પર જ ખંભાતના રાજ્યપાલ તરીકે ચાલુ રાખ્યા. અને થોડા જ વખતમાં પાટણમાં (ગુજરાતની રાજધાની) પોતાના અંગત સલાહકાર તરીકે નીમ્યા. પોતાના ખરાબ વખતમાં સહાય આપનાર પોતાના જૈન ધર્મને ઉદયન ભૂલ્યા ન હતા, તેથી જૈનધર્મની પ્રભાવના કરવા માટે તેમણે પોતાની પદવી અને પૈસાનો ઉપયોગ કર્યો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રૂપે તેમણે કેટલાક જૈન મંદિરો બંધાવ્યાં. તેમાંના ત્રણ તો જૈન ઇતિહાસમાં નોંધાયેલા છે. એક તો કર્ણાવતીમાં આવેલું ઉદયન વિહાર, બીજું ઉદાવસહી ધોળકામાં (કર્ણાવતીની નજીકમાં આવેલું) અને ત્રીજું ખંભાતમાં હતું. જિંદગીના પાછલા ભાગમાં કુમારપાળ ઉદયનને સૌરાષ્ટ્રના તોફાની હુમલાખોર સુમવારને પકડવા મોકલ્યા. આ કામ માટે તેમણે પાલીતાણામાંથી પસાર થવું પડે. તેમણે શત્રુંજય પર્વત પર આવેલા તીર્થધામોના દર્શને જવાનું નક્કી કર્યું. તીર્થધામમાં પોતાની જૈન કથા સંગ્રહ 129 Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ જાત્રાની સ્મૃતિ રૂપે એક ઊંટ પર બેસાડેલું પોતાનું પૂતળું દેરાસરના મુખ્ય સંક્લમાં જવાના રસ્તામાં મૂકાવ્યું, હાલમાં તે પાપપુણ્યની બારી તરીકે ઓળખાય છે. તે સમયે પર્વત પર લાકડાનું મંદિર હતું. જ્યારે ઉદયન ત્યાં ભગવાનની ભક્તિ કરવા બેઠા હતા ત્યારે એક ઉદર સળગતી ફની વાટ મોંમાં લઈને આજુબાજુ ઘૂમ્યા કરતો હતો. તેમણે ઉંદરના મોંમાંથી વાટ તો લઈ લીધી પણ તેમને થયું કે કો’ક દિવસ આ ઉંદરને કારણે આગ લાગે, તેથી તેમણે ત્યાં નવું આરસનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. સુમવારને પકડવામાં તેઓ સફળ થયા પણ ઝપાઝપીમાં તેઓ બહુ જ ખરાબ રીતે ઘવાયા અને મોત સામે ઝઝુમ્યા. મરણ પથારીએ પડેલા ઉદયને પોતાના દીકરાઓને શત્રુંજયની ટેકરીઓ પર આવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કહ્યું. તેઓએ પિતાને તેમની ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું. પોતાની ઇચ્છા પરિપૂર્ણ થશે એમ જાણતાં ઉદયનનું ખૂબ જ શાંતિથી મૃત્યુ થયું. આંબડ અને બાહડ – ઉદયનને ચાર દીકરા હતા. આંબડ, બાહડ, ચાણ્ડ અને સોલ્લક, આંબડ કવિ અને બહાદુર યોદ્ધો હતો. તે રાજા કુમારપાળનો અમલદાર બન્યો. એણે શત્રુંજયની ટેકરીના પશ્ચિમ વિભાગે પગથી (રસ્તો) બનાવી, જે આજે ઘેટીની પાગ તરીકે ઓળખાય છે. એણે ધોળકામાં આવેલા ઉદાવસહી દહેરાસરનો વિસ્તાર કર્યો, અને ભરુચમાં આવેલા શુકનિકા વિહારનો જીર્ણોદ્ધાર કર્યો. આંબડે રાજા કુમારપાળને વચન આપ્યું હતું કે રાજ્યની સેવા નિષ્ઠ અને નીતિથી કરીશ. રાજા પછી તેના વારસદાર રાજા અજયપાલ ગાદી પર આવ્યા. તેણે રાજા કુમારપાલની તમામ નીતિઓ બદલી નાંખી. અજયપાલે આંબડને તાબે કરવા ટુકડી મોકલી. આંબડ અજયપાલને તાબે ન થયો, અને લડતાં લડતાં મૃત્યુ પામ્યો. બીજો દીકરો બાહડ (જે વાહદ તરીકે પણ ઓળખાતો) મુત્સદ્દી અને રાજકારણી હતો. તેણે પહેલા રાજા સિદ્ધરાજ સાથે કામ કર્યું. અને રાજા કુમારપાળના અમલ દરમિયાન તેમનો વિશ્વાસ જમણો હાય બનીને રહ્યો. જ્યારે કુમારપાળે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું તો આખું કામ બાહડને સોંપવામાં આવ્યું જે એણે ખૂબ જ સીફતપૂર્વક પાર પાડ્યું. પિતાએ આપેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા તેણે શત્રુંજય પર્વત પર દેરાસર બંધાવવાનું કામ. ઈ. સ. ૧૫૫૫ માં શરૂ કર્યું. એકવાર તીવ્ર વંટોળિયાને કારણે દેરાસરનો એક ભાગ તૂટી પડ્યો. બાહડે ભવિષ્યમાં ગમે તેવો વંટોળ આવે તો પણ તૂટી ન પડે તે પ્રમાણે મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરના બાંધકામ પાછળ એક રસિક ટૂંકી વાર્તા સંકળાયેલી છે. બાહડે જ્યારે મંદિરનું કામ હાથમાં લીધું ત્યારે ઘણાં લોકો તેમનો ફાળો આ કામમાં આપવા માંગતા હતા. સખાવત કરનારની યાદી તૈયાર કરવામાં આવી. એ સમયે ભીમ નામનો ઘી વેચતો ગરીબ માણસ તે ગામમાં રહેતો હતો. જ્યાં યાદી બનતી હતી તે જગ્યાએ એક દિવસ તે પહોંચી ગયો. તેને પણ આ કામમાં ફાળો આપવાની તીવ્ર ઇચ્છા હતી, પણ એ દિવસે તેને ફક્ત એક જ સિક્કો મળ્યો હતો. લોકો જ્યાં લાખો સિક્કા આપતા હોય ત્યાં પોતાના એક સિક્કાની કિંમત શું? બાહડ તેની ઉત્કંઠા જાણી ગયો. તેને એક બાજુ બોલાવ્યો. એણે ખૂબ જ નમ્રતાથી એ જે કંઈ આપવા ઇચ્છે તે આપવા કહ્યું. ભીમને ખૂબ જ સંકોચ થયો. છતાં તેણે કહ્યું, “આજના દિવસે એ જે સિક્કો કમાયો છે તે ફાળામાં આપવા ઇચ્છે છે.” બાહડે સિક્કો સ્વીકાર્યો એટલું જ નહિ પણ ભીમનું નામ દાતારની યાદીમાં ટોચ પર લખ્યું. બીજા બધાએ તેમ કરવાનો ખુલાસો માંગ્યો તો બાહડે જણાવ્યું કે બીજા ફાળો આપનાર – પોતે સુદ્ધાં – પોતાની મૂડીનો થોડો ભાગ આપે છે જ્યારે ભીમે તો એની સમગ્ર મૂડી આમાં આપી છે. 130 જૈન કથા સંગ્રહ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉદયન મંત્રી અને તેના દીકરા - આંબડ અને બાહS ભીમ ઘેર ગયો ત્યારે તેની પત્નીએ ગાયને બાંધવા માટે લાકડાનો થાંભલો લગાવવા કહ્યું. તે ખોદી રહ્યો હતો ત્યાંથી જમીનમાંથી દાટેલી લાકડાની પેટી મળી. તેણે પેટી ખોલી તો તેમાં સોનાના સિક્કા અને બીજી કિંમતી વસ્તુઓ હતી. તેણે વિચાર્યું કે મેં મંદિરમાં ફાળો આપ્યો તેનું પરિણામ છે. તે ખજાનો ભરેલી પેટી બાહડ પાસે લઈ ગયો અને મંદિરના નિર્માણમાં આપી દીધી. મંદિર નિર્માણનું કામ ઈ. સ. 1157 માં 2 કરોડ 97 લાખ સિક્કાના ખર્ચે પૂર્ણ થયું, અને તેનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્યશ્રી હેમચંદ્રની હાજરીમાં ઉજવવામાં આવ્યો. શ્રમિઠ, સખત મહેનત શ્રાવક ઉદયનની વાતૉ સહુને પ્રેરણા આપે તેવી છે. તે ખૂબ જ નમ્ર હતા અને પૉતાના પર ઉપકાર કરનારને ક્યારૅસ ભૂલતા નહી. આાંબડ અને બાહડ નામે ખૂબ જ ગુણકા જૈન સંઘના હીરા જેવા બે દીકરાઓને તેમણે ઉછે. ભીમની ઉદારતા પણ ખૂબ જ વખાણવા લાયક હતા. દાંતાસ્ત્રોની સાદીમાં ભીમનું નામ સૌથી ઉપર મૂકવાનું બાહડનું કામ બિન પક્ષપાતી નૈતૃત્વ અને ધર્મની સાચી સમજ સૂચÒ છે. | જૈન કથા સંગ્રહ 131