Book Title: Sat Kshetrano Mahima
Author(s): Chandrakant Mehta
Publisher: Chandrakant Mehta
Catalog link: https://jainqq.org/explore/249709/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ [[[[[ સાત ક્ષેત્રનો મહિમા ]]]]] દેરાસરના આશ્રયે થતો વહીવટ સાત ક્ષેત્રમાં વહેંચાય છે. (૧) જિન પ્રતિમા (૨) જિન મંદિર (૩) જિન આગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬)શ્રાવક અને (૭) શ્રાવિકા. આ સાત ક્ષેત્રોમાં સમર્પિત થતા દ્રવ્યના નીચે પ્રમાણે ચાર વિભાગ પડે છે. દેવ દ્રવ્ય જ્ઞાન દ્રવ્ય ગુરૂ દ્રવ્ય સાધારણ દ્રવ્ય :- જિન પ્રતિમા અને જિન મંદિર નિમિત્તે સમર્પિત કરેલું દ્રવ્ય. - જિન આગમન નિમિત્તે સમર્પિત કરેલું દ્રવ્ય. :- સાધુ સાધ્વીને કેન્દ્રમાં રાખી સમર્પિત કરેલું દ્રવ્ય. - શ્રાવક -શ્રાવિકાને કેન્દ્રમાં રાખી એકત્રિત કરેલું દ્રવ્ય. પ્રત્યેક દ્રવ્યની આવક અને ઉપયોગ ઉપર વિચારણા કરીએ. | દેવ દ્રવ્ય :- | | તીર્થંકર ત્થા સિધ્ધની પ્રતિમા ભરાઇ તેમજ પ્રતિષ્ઠાની બોલી, અઢાર અભિષેક, પ્રભુજી ઉપર થતી આંગી, રથયાત્રા, આરતી, મંગળ દીવો, શાંતિ કળશ, દેરાસરમાં મૂકાતા પટ, રંગમંડપમાં રાખેલો ભંડાર, અષ્ટ પ્રકારી પૂજાની સર્વ સામગ્રી, નવા દેરાસરના નિર્માણ માટે ત્થા જિર્ણોધ્ધાર નિમિત્તે પ્રભુ ભકિતશ્રી સમર્પિત થયેલું તમામ દ્રવ્ય અને ચઢાવાની રકમ દેવદ્રવ્ય ગણાય. દેવદ્રવ્યનો ઉપયોગ જિર્ણોધ્ધાર નિમિત્તે નવા દેરાસરના બાંધકામ નિમિત્તે થતાં ખર્ચમાં કરી શકાય. દેવ દ્રવ્યમાંથી કોઇપણ રકમ તેનાથી નીચેના જ્ઞાન દ્રવ્ય, ગુરૂ દ્રવ્ય કે સાધારણ દ્રવ્યમાં ન વાપરી શકાય. પાંચ કર્મ ગ્રંથોના રચયિતા પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસુરીશ્વરજી મહારાજ પહેલા કર્મગ્રંથના પ૬ મા શ્લોકમાં લખે છે. ઉમગ્ર - સણા - મગ્ન - નાસણા - દેવ દ્રવ્ય હરણે€િ દંસણમોહં જિણ - મુણિ - ચેઇયં - સંધાઇપડિણીઓ. આ ગાથાનો શબ્દાર્થ નીચે પ્રમાણે છે. ઉન્માર્ગની દેશના આપવાથી, સન્માર્ગનો નાશ કરવાથી, અને દેવ દ્રવ્યનું હરણ (ભક્ષણ) કરવાથી, જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. ત્થા જિનેશ્વર પરમાત્મા, મુનિ મહાત્મા, જિન પ્રતિમા ત્થા ચતુર્વિધ શ્રી સંધનો વિરોધી જીવ પણ દર્શન મોહનીય કર્મ બાંધે છે. સર્વ કર્મો કરતા વધુ ભયંકર દર્શનમોહનીય કર્મ અર્થાત મિથ્યાત્વ મોહનીય કર્મ અનંત સંસારમાં જીવને રખડાવે છે. જ્ઞાન દ્રવ્ય : દૈનિક જીવનમાં જ્ઞાન પૂજન, જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનના ગ્રંથો ઉપર મૂકાતી રકમ, પ્રતિક્રમણમાં સૂત્રોની બોલી, પર્યુષણમાં કલ્પસૂત્ર પધરાવવાની બોલી, વગેરે જ્ઞાન દ્રવ્યની આવક ગણાય. જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ લાયબ્રેરીના નિર્માણમાં, જ્ઞાનના પુસ્તકો લખાવવામાં, પુસ્તકો રાખવાના કબાટ બનાવવામાં, લાયબ્રેરીમાં રાખવાના ધાર્મિક સ્તવનો તથા સ્વાધ્યાયની CD અને DVD ખરીદવામાં કરી શકાય. | ગુરૂ દ્રવ્યઃ પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીનો યોગ પરદેશમાં મળી શકતો નથી. તેથી અમેરીકા તથા અન્ય દેશોમાં સાધુ-સાધ્વીની વૈયાવચ્ચનો યોગ ઉપલબ્ધ નથી. એટલે ગુરૂ દ્રવ્યની આવક તથા ઉપયોગનો વિસ્તાર આપણે કરતા નથી. છતાં જરૂર પડે તો સાધારણ દ્રવ્યમાંથી સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ માટે રકમ મોકલી શકાય. સાધારણ દ્રવ્યઃ દેવ-દેવિની ભરાઇ ત્થા પ્રતિષ્ઠાની બોલી, દેવ-દેવિના ભંડારની રકમ, Multi purpose હોલ માટે મળેલા દાનપત્રની રકમ, પ્રતિષ્ઠાની કંકોત્રીમાં સંઘપતિ બનીને નિમંત્રક તરીકે નામ લખવાની બોલી, કુમારપાળની આરતી માટે કુમારપાળ બનવાની Page #2 -------------------------------------------------------------------------- ________________ :: ? :: બોલી, સંઘયાત્રિકોને સંઘપૂજન કરાવવાની બોલી, ૧૪ સ્વપ્નના ચઢાવા લેનાર સાધર્મિકોને તિલક કરવાની બોલી, સાધારણ દ્રવ્ય ગણાય. સાધારણ દ્રવ્યનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકાની ભકિત, સાધર્મિક વાત્સલ્ય, Multi purpose Hall, Dining Hall ઉપાશ્રય (પૌષધશાળા), આયંબિલ, પાઠશાળા, અનુકંપા, જીવદયા અને જરૂર પડે તો ગુરૂ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને દેવ દ્રવ્યમાં કરી શકાય, કેટલેક ઠેકાણે સર્વસાધારણ દ્રવ્યનું અલગ ખાતુ રાખવામાં આવે છે. જે સાધારણ દ્રવ્યનો જ પેટા વિભાગ છે, જે નીચેના ચાર્ટથી સમજાશે. સાધર્મિક ભકિત સાધારણ દ્રવ્ય ↓ Multi purpose ઉપાશ્રય આયંબિલ પાઠશાળા Hall (પૌષધશાળા) અનુકંપા જીવદયા ગયા. શ્રાવક-શ્રાવિકા આ બધાજ ક્ષેત્રના રખેવાળ હોવાથી અહીં તેમની જવાબદારી ઘણીજ વધી જાય છે. મહાન આચાર્યો જિનશાશનમાં થઇ ત્રિશલામાતાને કોણ નથી જાણતું ? ભગવાન મહાવીરનું ઘરતી ઉપર આગમન શી રીતે શકય બન્યુ ? બાળકને જન્મતાની સાથે નવકાર કોણ સંભળાવે છે ? જો શ્રાવક શ્રાવિકા આ સંસારમાં ન હોય તો ઘણા જીવદયાના અને અનુકંપાના કાર્યો અટકી જાય. ખરેખર સાઘારણ દ્રવ્ય, આવકની દ્રષ્ટિએ જોઇએ તો પણ, ખર્ચની દ્રષ્ટિએ જોઇએ તો પણ, ચારિત્ર અને સંસ્કારની દ્રષ્ટિએ જોઇએ તો પણ અતિ મહત્વનું ખાતુ છે. તેથી જ બીજા બધા ખાતાની જવાબદારી શ્રાવક - શ્રાવિકાને સોંપવામાં આવી છે. સાધારણ દ્રવ્યનું ખાતુ જો નબળુ પડે તો અપેક્ષાએ બીજા બધા જ ખાતા નબળા કહેવાય. સાત ક્ષેત્રોમાં સૌથી છેલ્લું હોવા છતાં આ ખાતું જૈન શાશનમાં એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે. સમાજમાં એક ભૂલ ભરેલી માન્યતા પ્રર્વતે છે કે દેવદ્રવ્યમાં પૈસા લખાવો તો જ પુણ્ય મળે. હકીકતમાં જે ખાતુ નબળુ હોય તેને મજબૂત કરવામાં તે ખાતામાં પૈસા લખાવવા જોઇએ. જો આ દ્રષ્ટિથી દાન કરવામાં આવે તો પુણ્ય વધુ મળે છે. સાધારણ દ્રવ્યમાં આપેલું દાન કેટલું વિરાટ બની જાય છે તે નીચેના ચાર્ટ થી સમજાશે. દેવ દ્રવ્ય જીવ દયા અનુકંપા સર્વ સાધારણ દ્રવ્ય ગુરૂ દ્રવ્ય સાધારણ દ્રવ્ય પાઠશાળા જ્ઞાન દ્રવ્ય સાધર્મિક ભકિત Multi purpose hall ઉપાશ્રય (પૌષધશાળા) આયંબિલ સાધારણ દ્રવ્યમાં મળેલી રકમ ઉપરના કોઈપણ કાર્યમાં વાપરી શકાય. સામાન્ય રીતે જીવણ્યાનો ભંડાર જુદો રાખવામાં આવે છે. તેમાં મળેલા દાનની રકમ મુંગા પ્રાણીઓને કતલખાનામાં જતા છોડાવવા માટે, પાંજરાપોળમાં ઢોર માટે, પક્ષીઓના ચણ માટે, ત્યા તિર્યંચોના ખોરાક અને આરોગ્યની જાળવણી માટે વાપરવામાં આવે છે. તેમાં મળેલી રકમ બીજે ન લઇ શકાય. પરંતુ સાધારણ દ્રવ્ય નિમિત્તે મળેલું દાન બધેજ વાપરી શકાય. Page #3 -------------------------------------------------------------------------- ________________ :: 3 44 જેમ એક બગીચો સુંદર રીતે તૈયાર થયો હોય પરંતુ રંગબેરંગી ફૂલોથી સજાવેલો એક સુંદર છોડ કરમાઇ ગયો હોય તો માળીની ફરજ છે કે તે છોડને નવપલ્લવિત કરવામાં વધુ મહેનત કરે અને વધુ ધ્યાન આપે. જિનશાસનના બગીચાના આપણે સૌ માળી છીએ. લગભગ 1200 જેટલા સાધર્મિક બેસી શકે તેવો Multi purpose hall આપણે બનાવવો છે. પરંતુ સાધારણ ખાતામાં ખોટ છે. તેમજ દેવ દ્રવ્યમાંથી વપરાય નહિતો સંધના દરેક સભ્યની ફરજ છે કે સાધારણ દ્રવ્યમાં પૈસા આપીને સંઘના હાથ મજબૂત કરે. મા-બાપના ત્રણ દીકરા હોય અને બે ભણી-ગણીને આગળ વધ્યા હોય પરંતુ એક નબળો હોય તો મા-બાપની ફરજ છે કે નબળા દીકરા પ્રત્યે વધુ ધ્યાન આપે જેથી સમય જતાં તે પણ શકિતશાળી બને. ફ્રેન્કલીન ટાઉનશીપ પ્રોજેકટ (Phase land Phase 2) ના આપણે સૌ સર્જક છીએ. દેરાસર ત્થા લાયબ્રેરીના નિર્માણ માટે આપણી પાસે પૂરતી સગવડ છે પરંતુ Multi purpose Hall, Dinning Hall, Caretaker home માટે આપણને પૈસાની જરૂર છે. જો પ્રત્યેક પરિવાર લગભગ પાંચ હજાર ડોલર અથવા યથાશકિત રકમ સાધારણ દ્રવ્યમાં લખાવે તો આપણો સમગ્ર પ્રોજેકટ સુંદર રીતે પાર પડે. આશા છે. અને વિશ્વાસ છે કે આપ સૌ સાધારણ દ્રવ્યમાં ફાળો નોંધાવી ઉદારતા દર્શાવશો. આપણી ભાવિ પેઢીના બાળકો એક છત્ર નીચે રહી બૌધ્ધિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ પામશે તેમાં કોઇ જ શંકા નથી. જય જિનેન્દ્ર ચંદ્રકાંત મહેતા, પાસ્સીપની, ન્યુ જર્સી. આધારગ્રંથોઃધાર્મિક વહિવટ વિચાર ગ્રંથ - પૂ. ચંદ્રશેકર વિજયજી મહારાજ દ્રવ્ય સપ્તતિકા - પૂ. લાવય વિજયજી મહારાજ શ્રાધ્ધવિધિ પ્રકરણ - પૂ. પંન્યાસ શ્રી અજિતશેખર વિજયજી ગણિવર પૂ. આચાર્ય શ્રી રાજયશ સુરીજી ત્થા બેન મહારાજ સાથેની ધર્મચર્ચા * Student Volunteers Program * (Volunteering Credentials for High School / College Students) Jain Center of New Jersey has recently started Volunteer Program for High School / College Students. This Program is based on the belief that today's young generations of Jains are future pillars of a strong and vibrant Jain community. It also instills in them a sense of responsibility, compassion, community involvement and enhances their beliefs in Jain principles and religion. Many young members already provide selfless services and are always eager to help year round in JCNJ activities. On annual basis. JCNJ will provide official certification of volunteering work completed. Student Volunteer Certification committee consists of: Devang Shah, Himanshu Shah, Jayshree Mehta, Manish Shah, Paurav Vora, Prashant Shah and Sunil Vakharia. For enrollment details & questions send email to: JCNJ_Volunteer_Committee@yahoogroups.com Committee thanks following student volunteers for participating in program: Anishi Bhandari, Pine Brook Shelvi Bhandari, Pine Brook Parth Bhavsar, NJ Harsh Gnadhi, Edison Sachi Nagda, N Brunswick Deep Shah, NJ . Jenny Shah, Kendall Park Parth Shah, Monmouth Junction Rajvi Shah, Edison Ravi Shah, Denville Roshni Shah, N Brunswick Sangini Shah, Morganville Sanjana Shah, Edison Vidhi Shah, E Brunswick Charmi Vakharia, Monroe Drishty Vora, Dayton