Book Title: Sambhavno Prabhav Author(s): Girish P Shah Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf Catalog link: https://jainqq.org/explore/230253/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સમભાવનો પ્રભાવ લેખકઃ ગિરિશકુમાર પરમાનંદ શાહ, “કલ્પેશ અજ્ઞાન અને મોહને કારણે બાહ્ય વસ્તુઓમાં સાનુકૂળ અને પ્રતિકૂળ મવૃત્તિ થતાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. “આવી મનોવૃત્તિ એજ સંસાર અને તેને ક્ષય એજ મોક્ષ” માટે આત્મસુખના અભિલાષીએ સર્વવિદિનનો દઢતાથી સામનો કરી મનને રાગદ્વેષરહિત સમભાવવાળું બનાવવું જોઈએ અને સદા સમભાવમાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ; કારણ કે ક્ષપકશ્રેણિ પર ચઢવાને માટે સમભાવ એજ ઉત્તમ ઉપાય છે. જેણે આત્મનિશ્ચય કર્યો છે તે જ આવી સમભાવશ્રેણિ ઉપર આગળ વધી શકે છે. “સમભાવે આત્માને જેણે ભાવ્યો છે તે કઈ પણ સંપ્રદાયને હોય તે પણ મુકિત પામે છે તેમાં સંદેહ નથી.” કારણ કે જેની સતત ધ્યાનદશા વર્તાતી હોય તે જ શ્રેષ્ઠ સમત્વને ધારણ કરી શકે છે. જયાં સુધી મનના સંકલ્પ વિકલ્પ ટળતાં નથી ત્યાં સુધી સમતા આવતી નથી. પરંતુ જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી અહેબુદ્ધિ અને મમતા જતાં, મનગુપ્તિના યથાર્થ પરિપાલનથી વાસનાનો ક્ષય થાય છે ત્યારે જ સમતા પ્રગટે છે. પછી સચરાચર જગતની બાહ્ય વસ્તુઓમાં ઈષ્ટનિષ્ટ, પ્રિયાપ્રિય, હે પાદેય આદિ વિક૯૫ કલપનામાં રહેતી નથી. રાગદ્વેષ થતો નથી. ઉદાસીન પરિણામે વિષયો ભેગવાતા હોવા છતાં નવા કર્મો બંધાતા નથી, પણ ઉદયમાં આવતા પૂર્વકને સમભાવે વેદવાથી સવિશેષ નિર્જ રા જ થાય છે. સમભાવથી બાહ્ય પદાર્થો મળતાં હર્ષ થતો નથી તેમજ તે જતાં શેક પણ થતો નથી. માન-અપમાન, સ્તુતિ-નિંદા, જીવિત-મરણાદિ સાતવેદનીયજન્ય સુખ અને અસાતવેદનીયજન્ય દુઃખના પ્રસંગમાં પણ મનની એકરૂપતા રહે છે તથા શત્રુમિત્ર પ્રત્યે પણ “વાસી ચંદનકઃપવૃત્તિ” રહે છે. આગળ વધતાં ભવ અને મેક્ષમાં પણ ભેદબુદ્ધિ રહેતી નથી. કારણ કે સમભાવથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે ને અનુભવતાં સમયનું પણ ભાન રહેતું નથી. સમભાવના આવા અનુભવગમ્ય મહિમાને તે યોગીએ પણ વર્ણવી શકતા નથી. સમભાવથી નિશ્ચલ બનેલું મને ઘે૨ ઉપસમાં પણ ચલાયમાન થતું નથી. આવી નિશ્ચલતાથી જ અનેકવિકૃત શભાશુભ કર્મનો નાશ થાય છે. સમતાથી અહિંસાની સિદ્ધિ થતાં વૈરભાવને ત્યાગ થાય છે. સમતાવંત પ્રત્યે પ્રાયઃ કોઇ વૈરભાવ રાખતું નથી. કદાચ વૈરભાવ હોય તે પણ સમતાના પ્રભાવે ટળી જાય છે. એટલું જ નહિ પણ સમતાધારીના સાન્નિધ્યમાં સિંહ, સર્પ વગેરે કુર જી શાન્ત થઈ જાય છે અને ગાય-વાઘ, હંસ-બિલાડી, સર્પ-મયૂર વિ. પરસ્પરના જાતિવરને પણ વિસરી જાય છે. સમભાવવાળા ચગીની સંગતથી તે ઉપદેશ ન આપે તે પણ કેધાદિ દેને ક્ષય થવાથી મન અત્યંત નિર્મળ બને છે અને સમતામાં પ્રવર્તન થાય છે. સમભાવથી મનોલય થતાં વિષયગ્રહશૂન્યતા આવે છે. રાગાદિતિમિરને નાશ થતાં સમભાવની શલાકાથી જ જીવ અને કમ પૃથક-પૃથક થાય છે, નિમિષ માત્રમાં કરડે જન્મનાં કર્મો ખપી જાય છે અને પરમાત્માનું સ્વરૂપ પ્રકાશે છે. સમભાવથી જ કેવળજ્ઞાનાદિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અવિચલ સુખ અને પરમપદ પણ તેનું જ ફળ છે. અધ્યાત્મશાસ્ત્રોનો વિસ્તાર પણ મહાગ્નિનું નિવારણ કરી સમભાવને જ પ્રગટ કરવા માટે છે – દઢ કરવા માટે છે. સંતને સમતા જ પ્યારી લાગે છે. કારણ કે જ્યાં સમતા છે ત્યાં મુકિત છે. માટે મમતાને ત્યાગ કરી સમતાને આદર કરવો જોઈએ. તપ, જપ વગેરે સર્વ ક્રિયાઓ સમતા લાવવા માટે જ છે. સમતા જ શિવસુખની વેલડી છે. સમતાને ધારણ કરનારા પુણ્યાત્મા છે, મહાભાગ્યશાળી છે વસ્તુતઃ મુકિત પણ સમતાના હાથમાં જ છે, કારણ કે જ્યાં સુધી મન રાગદ્વેષાદિ દેષયુકત હોય ત્યાં સુધી આરૌદ્રરૂપ દુર્ગાનિકારક અપ્રશસ્ત થાનપરંપરા ચાલ્યા જ કરે છે. ભાવચારિત્રરૂપ સમતાના અભાવે અભવ્યજી પણ દ્રવ્ય ચારિત્ર લઈને નવ ગ્રેચક સુધી જાય છે પણ સંસાર - સમુદ્રને તરી શકતા નથી, અર્થાત્ સમતા વિના ત્રણેય કાળમાં મુકિત નથી. સમભાવને પ્રભાવ ३४७ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂરા ગુરુદેવ કવિવ્રય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જ્યારે જ્ઞાનના પરિપાકરૂપ સમભાવનું અવલંબન લેવામાં આવે છે ત્યારે કર્મોને નિર્મળ કરનાર, મોક્ષના સાધનરૂપ પ્રશસ્ત ધ્યાન ઉત્પન્ન થાય છે એટલે સમભાવ જ સધ્યાનનું પ્રધાન અંગ છે. તેથી “ધ્યાન પણ સમભાવ છે અને સમભાવ એ જ ઉત્તમ સ્થાન છે.”– આમ ધ્યાન અને સમભાવનો કથંચિત્ અભેદ હોવાથી સમભાવને આધાર ધ્યાન પર અને ધ્યાનને આધાર સમભાવ પર છે. ક્ષપશમ અવસ્થામાં અપેક્ષાએ ધ્યાન અને સમભાવ અને ક્રિયારૂપ ઘટે છે. પણ જ્ઞાન પછી આવી સૂક્ષમ ક્રિયા કરનારા જગતમાં વિરલા જ હોય છે. ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મ ક્રિયાથી અનંત્ કર્મવર્ગણાઓનો નાશ થાય છે અને અનેક કર્મપ્રકૃતિએ મૂળમાંથી જ ટળી જાય છે. તેનાથી જ ક્ષણે ક્ષણે આત્મસુખ વેદાય છે. શુકલધ્યાનનું સામર્થ્ય પ્રગટે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પછી ક્ષાયિકજ્ઞાન થતાં સમતારૂપ ભાવચાત્રિમાં મનની ક્રિયાની આવશ્યકતા રહેતી નથી, તેથી તેમાં ગુણસ્થાનકે કેવલીને ફકત દ્રવ્યમન હોય છે, ભાવમન રહેતું નથી. - ટૂંકમાં આત્મજ્ઞાનનું ફળ સમતા છે. તે જ ભાવચારિત્ર છે, તે જ આનંદરૂપ છે, અને મોક્ષનું કારણ છે. સમતાથી વર્યાન્તશય કર્મોનો ક્ષયપશમ થવાથી વીલ્લાસમાં વિશેષ વૃદ્ધિ થાય છે અને અંતે આત્મા ક્ષપકશ્રેણિ આહીને મોક્ષ પામે છે. મનવૃત્તિઓ ચંચળ છે, જ્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ સ્થિર છે. તેથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ દેતા મનની સ્થિરતા થાય છે, રાગદ્વેષની પરિણતિને નાશ થાય છે અને સમભાવદશા પ્રગટે છે. જ્યારે આ આત્મા પિતાને દારિક, તૈજસુ અને કાશ્મણ એ ત્રણે શરીરથી ભિન્ન તથા રાગદ્વેષમોહથી રહિત અને સમસ્ત પર તથા પર્યાયેથી વિલક્ષણ જાણે છે, ભિન્ન સ્વરૂપ નિશ્ચય કરે છે ત્યારે જ તે સમભાવમાં સ્થિર થાય છે. માટે કામગથી વિરકત થઈ, શરીરની આસકિત છોડી સમભાવનું સેવન કરવું જોઈએ. સમભાવના પ્રભાવે જીવનમુકતદશા અનુભવાય છે, જે તેરમાં ગુણસ્થાનકે સગી કેવળીને તથા અપેક્ષાએ કષાયના ઉપશમાદિ ભાવે સમભાવરૂપ અમૃતને લેશ હોવાથી ચેથા ગુણસ્થાનકે પણ ઘટે છે. જ્યારે બાકીના ઉપર ઉપરનાં ગુણસ્થાનમાં શુકલ શુકલ પરિણુમથી સમભાવરૂપ અમૃતની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. આમ સમભાવના અસંખ્ય ભેદ છે. તેમાંથી સર્વોચ્ચ સમત્વની પ્રાપ્તિ થતાં પૂર્ણ યોગી બનાય છે. પૂર્વે મરુદેવી માતા, ભરત ચક્રવર્તિ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ચિલાતીપુત્ર વગેરે અનેક ભવ્યાત્માઓ ધ્યાન અને સમતારૂપ સૂમ ક્રિયાથીજ મેક્ષ પામ્યા છે. એજ રીતે અનેક છ વર્તમાનમાં મોક્ષ પામે છે અને ભવિષ્યમાં પણ પામશે. માટે શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનથી જગતના સર્વ જીવોને સમભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાઓ-એજ અભિલાષા. 248 Jain Education Interational તત્ત્વદર્શન, org