Book Title: Ratnasundarsuri krut Suda bahottari athva Ras Manjari Author(s): Kanubhai V Sheth Publisher: ZZ_Anusandhan Catalog link: https://jainqq.org/explore/249553/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ રત્નસુંદરસૂરિકૃત “સૂડાબહોંતરી અથવા “રસજરી જેન કથા પરંપરામાં દાન, શીલ, તપ અને ભાવ પર અનેક કથાઓ દષ્ટાંત લેખે રચવામાં આવી છે. એમાં “શીલ' ઉપર શીલવાન પુરુષ અને ખાસ કરીને શીલવતી સ્ત્રી ઉપર અનેક કથાઓ રચવામાં આવી છે. ફળસ્વરૂપ “શીલ દેશમાલા બાલાવબોધ', “ધર્મોપદેશમલાવિવરણ, ઉપદેશમલાવૃત્તિ' વગેરે જેવા કથાસંગ્રહો સપડે છે. આ કથાઓમાં શીલવતી સ્ત્રી સાથે સાથે શીલભ્રષ્ટ સ્ત્રી કે બેવફા નારીના ચરિત્રને નિરૂપતી સ્ત્રીચરિત્રની કથાઓ પણ જોવા મળે છે. આમાં સ્ત્રી પ્રકૃતિથી જ કુશીલ અને કપટી હોવાનું નિરૂપણ મળે છે. આવી સ્ત્રી–ચરિત્રનું કથાને સંગ્રહ તે સંસ્કૃતમાં રચાયેલ ‘શુસંતતિ છે. એમાં શક (પોપટ) દ્વારા કહેવાતી સિત્તેર કથાઓ-સ્ત્રીચરિત્રની કથાઓ જોવા મળે છે. “શુકસપ્તતિના હાલ બે સંસ્કરણ ઉપલબ્ધ છે. એક તે “સાધારણ (Similicior) અને બીજુ પરિષકૃત” (ornaloor). “સાધારણ'ના કર્તા કોઈ જૈનમુનિ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જે મૂળગ્રંથ પ્રાકૃતમાં હોવાનું સૂચવે છે. “કસપ્તતિને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે એમના યોગશાસ્ત્રમાં સંજાણaત્તિરહી. નાઝa Jો એમ કર્યો છે. જે પણ ‘શૃંગારપ્રકાશમાં પણ નિદર્શન નામના સાહિત્ય પ્રકારના ઉદાહરણ તરીકે—દ્યાવાન મગ્ન મયૂર-શુક્ર-નારી” એ ઉલ્લેખ કર્યો છે. જેને ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં પણ કર્યો છે. પરિકૃતીને કર્તા બ્રાહ્મણ ચિંતામણું ભર છે. એણે પૂર્ણભદ્ર કૃત પંચતંત્ર” ઈ. સ. ૧૧૯૯ના જૈન સંસ્કરણને ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. શકન્ય છે કે બેવફા પત્નીઓ-સ્ત્રીચરિત્ર અંગેની કથાઓ પંચતંત્ર'કારે આ “શુકસતતિ’ના કોઈ પ્રાચીન સંસ્કરણના આધારે રચી હેય. “સપ્તતિ સાથે સામ્ય ધરાવતો અન્ય ગ્રંથ તે અજ્ઞાતકૃત “સિંદબાદ કથા સંગ્રહ છે, જેના અનેક રૂપાંતરે ભારત તેમજ ભારતેતર પ્રદેશની ભાષામાં થયાં છે. આ પરંપરાને અનુસરીને મધ્યકાલીન ગુજરાતી કવિ શામ પિતાની બહાંતરી કથાગ્રંથની રચના કરી છે. એમાંથી અનેક સંસ્કૃત કથાઓ નીકળી છે અને કેટલીક નવી ઉમેરાઈ છે કે અલ્પપ્રમાણમાં ફેરફારવાળી છે. શામળ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે જૈનમુનિ રત્નસુંદરસૂરિ કૃત 'સૂડાબહોંતરી” અથવા “રસમંજરી” (ઈ. સ. ૧૫૮૨માં) પ્રાચીન ગુજરાતીમાં મળે છે. જે હજી અપ્રકાશિત છે. (જેની જુદા જુદા સમયની સાતેક હસ્તપ્રત પરથી આ લેખક દ્વારા સંપાદન કરવાનું કાર્ય ચાલે છે.) રત્નસુંદરસૂરિ' સામાન્યત: “શુકસપ્તતિ’ કથાને અનુસરે છે. કેટલીક કથાએમાં તો સંસ્કૃત કથાને શબ્દશ: અનુવાદ કે પુનઃ કથન છે. તે કેટલીકમાં નજીવા ફેરફાર કે ગુજરાતીકરણ થયેલું જોવા મળે છે. કેટલીક વાર વર્ણને પણ બીબાંઢાળ ઊતરી આવ્યાં છે. પ્રસંગોનું નિરૂપણ સંક્ષેપમાં કરવામાં આવ્યું છે જેથી કેટલીકવાર કથાસંદર્ભ પકડવો પણ મુશ્કેલ થઈ જાય છે. શામળની સૂડાબહોંતરી સાથે તુલના કરતાં જણાઈ આવે છે કે તે “શુકસપ્તતિ'નું શામળ પૂર્વે એક જૈન સાધુના હસ્તે થયેલ આ પ્રાચીન ગુજરાતી સંસ્કરણ છે. શામળમાં જોવા મળતી કેટલીક કથાના શબ્દશ: મૂળ તરૂપે કથાઓ રત્નસુંદરસૂરિમાં જોવા મળે છે. પણ શામળે તે કેટલીક કથાઓ અન્ય કથાસંગ્રહમાંથી કે તત્કાલીન કથા પરંપરામાંથી લાવીને પોતાની મૂડાબહોંતરીમાં મૂકી છે, તેમ છતાં શામળ પૂર્વે સંસ્કૃત શુકસપ્તતિના એક જૈન સાધુના હસ્તે સ્ત્રીચરિત્રવિષયક પ્રાચીન ગુજરાતમાં થયેલ સંસ્કરણ લેખે એનું મહત્વ છે. કનુભાઈ શેઠ