Book Title: Mahavire Chauthelo Mul Marg
Author(s): Amrendravijay
Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Catalog link: https://jainqq.org/explore/230183/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે ચીધેલો મળ માર્ગ | _ લેખક: પૂ. મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી મ. સુખપુર, (તા. ભૂજ, કચ્છ) આજે ટોચના મનોવૈજ્ઞાનિકો આ વાત ઉચ્ચારી રહ્યા છે. આજની સમસ્યાઓને ઉકેલ - ધ્યાન ? કે સંવાદી અને સુરિલા માનવજીવન માટે રોટલા અને એટલા પ્રસન્ન, મધુર અને સંવાદી જીવનને આધાર શો છે ? જેટલી જ ધર્મની પણ આવશ્યકતા છે. પણ સામાન્યત: આપણા ભૌતિક સમૃદ્ધિ સાથે એને કંઈ સંબંધ નથી એ આજે પુરવાર કાને એ ફરિયાદ વારંવાર અથડાય છે કે આજે માનવીને ધર્મ થઈ ચૂકેલું તથ્ય છે. પશ્ચિમમાં આજે ભૌતિક ઐશ્વર્ય અને સુખ જોઈતો નથી. આમ કેમ? ધર્મનતાઓએ સંશોધન કરીને સગવડની વિપુલ સામગ્રી વચ્ચે પણ માનવીને ચેન નથી, તેનું ચિત્ત અશાંત છે. અપાર સમૃદ્ધિ વચ્ચે પણ જીવન તેને નિરર્થક આનું કારણ શોધવું જોઈએ. નિરસ અને અસુરક્ષિત લાગે છે. નિત નવા મનરંજનના સાધને આજની માગ: પ્રયોગ દ્વારા પ્રતીતિ અને માદક દ્રવ્યો પણ એની એ અશાંતિ અને અજંપે દૂર કરવામાં વિફળ ગયાં. ત્યારે આજે એની મીટ લેગ તરફ મંડાયેલી છે. થવ દાયકાઓ પૂર્વે જેની સંભાવના પણ હસી કાઢવામાં યોગસાધનામાં એને આશાનાં કિરણો દેખાયાં છે. આવતી એવા ટેલિફોન, રેડિયે, ટેલિવિઝન, ટેપ રેકેડર વગેરે યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ શારીરિક અનેકાનેક આવિષ્કારો આજે પ્રજાજીવનમાં વણાઈ ગયા છે. સ્વાથ્ય માટે યોગાસનની અને ચિત્ત શાંતિ અર્થે ધ્યાનની ઉપએની પાછળ કયું તથ્ય કામ કરી રહ્યું છે? વૈજ્ઞાનિકો પોતાની યોગિતા સ્વીકારી છે, જેના પરિણામે અમેરિકાની સ્કૂલો અને સામે આવેલ કોઈ નવી વાતને પ્રયોગ શાળામાં પ્રયોગના આધારે કૅલેજોમાં યોગાસનના અને દયાનના શિક્ષણને અભ્યાસક્રમમાં ચકાસે છે અને પછી એનો ઉપયોગ વ્યવહારમાં કરી દેખાડે છે. સ્થાન અપાયું છે. ત્યાંના આરોગ્ય, શિક્ષણ અને સમાજકલ્યાણ પરિણામે કેટલાંયે, ઉપેક્ષિત કે અજ્ઞાત તથ્યો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે ખાતા હેઠળની ‘નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થ” તરફથી છે, તેમ આજે “ધર્મજીવન’ના રહસ્યોને વૈજ્ઞાનિક ઢબે છતાં ધ્યાન શીખવતી હાઈસ્કૂલને ગ્રાંટ (આર્થિક મદદ ) મળે છે. કરવામાં આવે તે, ઈલેકિટ્રસિટી, રેડિયો, ટેલિવિઝન આદિ વૈજ્ઞાનિક ધ્યાનની સૈદ્ધાંતિક ભૂમિકા વિષયક અભ્યાસક્રમને (કોર્સ) ને શોધો અને આવિષ્કારોની જેમ, આધ્યાત્મિક માર્ગના ઉપેક્ષિત સાયન્સ ઓફ ક્રીએટિવ ઈન્ટેલિજન્સ' એ નામ હેઠળ સ્ટેનફર્ડ, તો પણ સમાજમાં શીધ્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. આજના હાર્વર્ડ, વેલ, યોર્ક અને કેલિફોર્નિયા તથા કોલેરેડોનાં વિશ્વ વિદ્યાયુગમાં અને વિશેષ કરીને નવી પેઢીને ધર્મનું અને સંયમી જીવ લયોમાં સ્થાન મળ્યું છે. અમેરિકાના નકાળમાં માનને ખાસ નનું મહામ્ય માત્ર શાસ્ત્ર–વચને ટાંકીને કે પારિભાષિક શબ્દોની કોર્સ દાખલ કરવામાં આવ્યો છે અને અમેરિકન એર ફોર્સના શાસ્ત્રીય વ્યાખ્યાઓ આપીને નહિ ઠસાવી શકાય, શ્રમણોએ પિતાના બજેટમાં પણ ધ્યાનના કોર્સ માટે વાર્ષિક અઢાર લાખની જોગવાઇ જીવન દ્વારા એ પ્રતીતિ કરાવવી રહી. છે. ત્યાંની રાજ્ય સરકારો દ્વારા પણ એ પ્રવૃત્તિને પ્રોત્સાહન વ્યવહારની કસોટીએ ન ચડેલો ઉપદેશ વિજ્ઞાનની બેલ મળ્યું છે. બાલામાં ઉછરેલી યુવા પેઢીના માનસમાં શ્રદ્ધાનું નિર્માણ કરવામાં માત્ર અમેરિકામાં જ નહિ પણ વિશ્વભરમાં પચાસ જેટલી વિફળ રહે છે. આજની બુદ્ધિપ્રધાન યુવા પેઢીને ધર્મની રુચિ વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ધ્યાનના પ્રાગે થઈ રહ્યા છે, અને તેમાં કે ભૂખ નથી એવું નથી. પણ ગોખેલો ઉપદેશ, અહં–મમ પ્રેરિત જર્મનીની વિખ્યાત યુનિવર્સિટી ઓફ કોલોન અને ઈંગ્લાંડની ફુલ્લક વાદ - વિવાદો અને ચિત્તશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિમાં ન યુનિવર્સિટી ઓફ સસેક સનો પણ સમાવેશ થાય છે. માનવ પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડોમાં એને રસ રહ્યો નથી. એનાથી શરીર અને મન ઉપર ધ્યાનની કેવી અદભુત અસર થાય છે તે એના માનસનું સમાધાન નથી થતું, ત્યારે એ આધ્યાત્મિક શાંતિ આ સંશોધનોએ પુરવાર કરી આપ્યું છે. સમત્વ સાથે થાન અને માટેની પોતાની ભૂખ સંતોષવા ફાંફા મારે છે. તે જાતે ચિત્તા કાન્સર્ગને જે સંબંધ છે તે પ્રયોગ વડે પ્રસ્થાપિત થાય એ આજના શુદ્ધિને અને સમતાને અનુભવ કરી શકે એવી પ્રક્રિયા તે શોધે યુગની માગ છે. સમભાવની વૃદ્ધિ થતી રહે એવી સામાયિકની કે છે. તે એને મળશે તો એની ઝંખના સંતોષાશે ને એ ધર્મ–માર્ગ કાઉસગ્ગની - કાયોત્સર્ગની પ્રક્રિયા આજે જેન કામણો બતાવી તરફ તે સ્વયં ખેંચાશે. આત્મ-તત્ત્વનો સ્પર્શ કરાવી આપતી શકશે તો આજને અશાંતિગ્રસ્ત માનવ એ ધર્મને શરણે દોડયો સાધના - પ્રક્રિયા પ્રયોગાત્મક રીતે એની સામે આપણે ધરીશું તો આવશે. તે ઉત્સાહભેર એને અપનાવશે. એક વર્ષને ચારિત્ર્ય પર્યાય થતાં મુનિ ઉચ્ચતમ દેવોના ભગવાન મહાવીરની સાધનાનું કેન્દ્ર પરમ સુખને પણ ટપી જાય છે' એવું શાસ્ત્રવચન સાંભળીને જગતને સુધારવાને કોઈ પ્રયાસ ન કરતાં, પહેલાં સાડા બાર આજના બુદ્ધિજીવી માનસને સંતોષ કે પ્રતીતિ થતી નથી. એની વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં ધ્યાન અને કાયોત્સર્ગની સાધના આગળ એ શાસ્ત્ર વચને રયે રાખવાથી કોઈ અર્થ સરતો નથી દ્વારા પોતાની જાતને પૂર્ણ શુદ્ધ કરવાના પ્રયાસમાં ડૂબી જનાર એ તો પ્રશ્ન કરે છે : “આજે સ્થિતિ શી છે? ચારિત્ર્ય-પર્યાય ભગવાન મહાવીરની સાધના માત્ર ત્યાગ, તિતિક્ષા અને ઉપસાથે પ્રથમ સુખને કોઈ અનુપાત ratio વર્તમાન મુનિ જીવન વાસમાં સીમિત નહોતી રહી. જ્ઞાનથી રસાયેલ ત્યાગ, તિતિ ક્ષા માટે આપી શકાય તેવું આજે રહ્યું નથી એની સખેદ નોંધ લઈ, ઉપવાસ ઉપરાંત એકાંત, મૌન, ધ્યાન અને કાઉસગ - કાયોત્યાગી વર્ગો અને સંઘનાયકોએ ચારિવ્ય-પર્યાય સાથે પ્રશમ- સર્ગ ભગવાનની સાધનાનાં મુખ્ય અંગે હતાં. કાન્સર્ગ એટલે સુખની વૃદ્ધિ લાવનાર કયું તત્ત્વ વર્તમાન મુનિ જીવનમાં ખૂટે છે કાયાને ઉત્સર્ગ - ત્યાગ; અર્થાત ધ્યાનાદિ દ્વારા દહાત્મ-ભાવથી તે શોધી કાઢવા તટસ્થ આત્મનિરીક્ષણ તથા તે તત્વની પૂર્તિ પર થવું કે દેહાત્મ-ભાવથી પર રહેવું એ ભગવાનની સાધનાનું કઈ રીતે શક્ય છે તે અંગે સંશોધન કરવું જોઈએ. કેન્દ્ર હતું. ૨૨ ના રાજેન્દ્ર જાતિ Jain Education Intemational Page #2 -------------------------------------------------------------------------- ________________ સાડાબાર વર્ષની ઉગ્ર સાધનામાં એ અપ્રમત્ત સાધકે કેટલું અને કયું બાહ્ય તપ કર્યું તેની વાત હોંશે હોંશે કરનારાઓ પણ, એ સમય દરમ્યાન, દિવસે, ૫ખવાડિયાં અને મહિનાઓ સુધી આહારને ત્યાગ કરીને ભગવાને અપ્રમત્ત ભાવે અંતરમાં જે ડૂબકી લગાવી તેની વાત કરતા નથી - કોઈ વાર કદાચ કરે છે તે પણ શુન્યમનસ્કપણે. એટલે ભગવાને ઘોર ઉપસર્ગો સહન કર્યા એની વાત કરે ત્યારે પણ ભગવાનની પ્રબળ ઈચ્છા શકિત કે સહનશકિત જ એમની આંખ સામે તરવરે છે, ભગવાનની ઊંડી અંતર્મુખતા - આત્મલીનતા નહિ પરંતુ હકીકત એ છે કે પરિષહ, ઉપસર્નાદિ બાહ્ય વિષમ પરિસ્થિતિ, ઊંડી અંતર્મુખતા કે આત્મલીન વૃત્તિના બળે, સહજ રીતે, સમભાવે પાર કરી શકાય છે. આપણા સૌને અનુભવ છે કે આપણે કોઈની સાથે રસમય વાતચીતમાં તલ્લીન હોઈએ છીએ ત્યારે આજુ બાજુ ચાલી રહેલ અન્ય પ્રવૃત્તિ કે વાતચીત પ્રત્યે આપણે સાવ બધિર બની જઈએ છીએ. આપણા માથા ઉપર જ ટીંગાતા ઘડિયાળના ટકોરા પણ આપણને તે સમયે સંભળાતા નથી ! એ જ રીતે શરીરમાં કંઈ પીડા હોય તે પણ આવી જ કોઈ રસમય પ્રવૃત્તિમાં આપણે પરોવાઈએ છીએ ત્યારે વિસારે પડી જાય છે એવું ઘણી વાર નથી બનતું? તેમ “ધ્યાનાદિ અંતરંગ સાધનાના બળે જ્યારે ચિત્ત આત્મામાં લીન થાય છે ત્યારે બહાર શરીરને શું થઈ રહ્યું છે એને બોધ આત્મલીન સાધકને હોતો નથી.” આ રીતે જ પૂર્વ મહાપુરુષોએ સમભાવે ઉપસર્ગો પાર કર્યા છે. (જુઓ અધ્યાત્મસાર, સમતાધિકાર શ્લેક ૯-૧૦). મહાવીર પ્રભુએ દારૂણ ઉપસર્ગો સમભાવે પાર કર્યા એની પાછળ પણ ધ્યાનાદિ અંતરંગ સાધના વડે એમને પ્રાપ્ત થયેલ સમત્વ અને અંતર્મુખતાને મુખ્ય ફાળે હતો - આ વાત જે ઉપદેશકોના હૈ ધ્યાન બહાર રહેતી હોય તે રોતાજને સુધી તે એ પહોંચે જ શી રીતે? આના ફળસ્વરૂપે જેન સંધના સામાન્ય જનસમૂહનું અને આરાધક વર્ગના પણ મોટા ભાગનું લક્ષ માત્ર બાહ્ય તપ, ત્યાગ અને તિતિક્ષા ઉપર જ કેન્દ્રિત રહે છે, એના અંતરમાં ભગવાનની જેમ ઉગ્ર તપશ્ચર્યા અને પરિષહ - ઉપસર્ગ સહન કરવાના મનેરો જાગે છે; કિંતુ, કેવળ સહનશકિત અને ઈચ્છાશકિતના જોરે જ નહિ પણ ઊંડી અંતર્મુખતાના કારણે જ ઉપસર્ગો અને પરિષહીને સમભાવે પાર કરી જવાય એ તથ્યથી અજાણ હોવાના કારણે, પરની ચિતા મૂકી દઈ પ્રભુની જેમ ધ્યાનાદિ અંતરંગ સાધનામાં ડૂબકી લગાવવાના કોડ એને થતા નથી. પણ હવે, એ વાત પ્રત્યે એનું લક્ષ ખેંચ્યા વિના ચાલશે નહિ. ત્યાગી વર્ગે પણ આજે માત્ર શાસ્ત્રાધ્યયન, ચિંતન - મનન અને સાહિત્ય સર્જન કે ઉપદેશથી સંતોષ માનવો પરવડે તેમ નથી. સાધનાને હવે પ્રાયોગિક રૂપ અપાવું જોઈએ. શ્રમ એ એ ભૂલવું ન જોઈએ કે જૈન ધર્મ નિર્દિષ્ટ સઘળીએ બાહ્ય- વી. નિ. સં. ૨૫૦૩ ચર્ચાનું લક્ષ ચિત્ત શુદ્ધિ, સમત્વને વિકાસ તથા ધ્યાનમાં પ્રવૃત્તિ અને પ્રગતિ દ્વારા આત્મદર્શન અને અંતે સ્વરૂપ રમણતા છે. “આત્મશાન અર્થે ધ્યાન આવશ્યક છે અને ધ્યાનની પૂર્વ તૈયારી રૂપે બાકીનું બધું, વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે છે. (ઉપમિતિ, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૫-૭૨૬) પૂર્વ તૈયારી : સ્વાર્થ વિસર્જન અને ચિત્ત શુદ્ધિ પ્રારંભિક કક્ષામાં નીતિમય જીવન તથા દાનાદિનો અભ્યાસ અને પછીથી એમની સાથે ઉમેરાતાં વ્રત - નિયમ અને ધાર્મિક અનુષ્ઠાને વ્યકિતના જીવનમાંથી વિચાર વર્તન ને સ્થૂલ અશુદ્રિએને દૂર કરીને ક્રમશ: સ્વાર્થવૃત્તિ, વાસનાઓ અને વિકારોને ક્ષીણ કરી તેના ચિત્તને નિર્મળ, શાંત અને ધર્મધ્યાનને યોગ્ય બનાવવા માટે છે. અર્થાત ધ્યાન સુલભ બને એવી મનેભૂમિકા ઘડાય એ આ સમગ્ર ચર્યાને ઉદેશ છે. વ્રત, નિયમ અને ધાર્મિક અનુષ્ઠાને પાછળ રહેલ આ હેતુ ખ્યાલમાં રહે, ‘તે જ', તેનું હાર્દ હાથમાં આવે. વ્યવહારશુદ્ધિ અને ચિત્તશુદ્ધિમાં ન પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડ પૂરાં કરવાથી કે શાસ્ત્રોકત અર્થાત પોતાના સંપ્રદાયને માન્ય દાર્શનિક સિ વાતની માન્યતાને મનમાં કટ્ટરતાથી ઠાંસી લેવા માત્ર જન થઈ જવાતું નથી. એ જૈન છે. કે જે કંદમૂળ નહિ ખાય'ની જેમ “એ” બેટું નહિ બોલે, એ અન્યાય - અનીતિ નહિ આચરે એ જૈન છે.” એવી છાપ પણ ઉપસવી જોઈએ. મહાવીર પ્રભુના માર્ગને અનુસરવા ઈચ્છતી વ્યકિત માટે સૌથી પહેલો નિયમ એ છે કે તેણે ન્યાય, નીતિ અને પ્રામાણિક વ્યવસાયથી આજીવિકા રળવી. શ્રેયાથી અર્થાત માર્ગાનુસારી માટેના નિયમમાં આ પ્રથમ નિયમ છે અને, શ્રાવકના આગવ્રતમાં પહેલા અહિંસા વ્રતમાં એટલે જ નિયમ છે કે નિરપરાધ ત્રસ જીવને ઈરાદાપૂર્વક ન માર. ઉપલક દષ્ટિથી સામાન્ય લાગતા આ નિયમમાં મને વૈજ્ઞાનિક દષ્ટિએ ઊંડું રહસ્ય છુપાયેલું છે. વ્યકિતની, સમાજની, દેશની અને વિશ્વની શાંતિ, ઉન્નતિ, સુવ્યવસ્થા, અને આબાદીનું બીજ તેમાં રહેલું છે. કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો અને અશાંતિને ઉગમ વ્યકિતગત સ્વાર્થમાંથી છે. વ્યકિતને સ્વાર્થની પકડમાંથી મુકત કરી તેના અંતરમાં નિ:સ્વાર્થ વૃત્તિને ઉઘાડ કરવાની યોજના રૂપ આ અને તે પછીના અન્ય અણુવ્રત છે. જેની સ્વાર્થવૃત્તિ પ્રબળ હોય તે વ્યકિત અહિંસક ન રહી શકે. અહિંસાને મૂળ સ્રોત પ્રેમ છે. સ્વાર્થ આવે ત્યાં નિર્મળ પ્રેમ પાંગરી ન શકે. કોઈ વ્યકિત દેખીતી રીતે કંઈ હિંસા કરતી ન હોય પણ તેનું ચિત્ત સ્વાર્થથી અતિદૂષિત હોય તે તે સ્વાર્થપૂર્ણ અતિ મલિન "વિચારથી ખદબદતું રહેવાનું. જ્ઞાનીઓ આવી વ્યકિતની બાહ્ય અહિંસાનું બહુ મૂલ્ય આંકતા નથી, અશુદ્ધ ભાવ એ જ પારમાર્થિક દષ્ટિએ હિંસા છે, હિંસા અહિંસાને આધારે માત્ર સ્થૂળ કર્મ નથી પણ આંતરિક વિવેક છે. અહિંસાનું લક્ષ તે નિર્વિક૯૫ ઉપ ૨૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પગમાં સ્થીર કરવાનું છે. પારમાર્થિક દષ્ટિએ ભાવની અશુદ્ધિ એ જ હિંસા છે, આથી, ધર્મ માર્ગે પ્રગતિ ઈચ્છનારે એ બરાબર સમજી લેવું જોઈએ કે ધર્મ એ છે કે જે સ્વાર્થથી પર થવામાં સહાયક હોય. નીતિન પાયો સ્વાર્થથી પર થવામાં રહેલો છે. અતિ સ્વાર્થી વ્યકિત નીતિના પાલનમાં ટકી ન શકે. એટલે ધર્મ માર્ગે ડગ મૂકનાર માટે - જૈન પરિભાષામાં કહીએ તો માર્ગાનુસારી માટે - એ પ્રથમ શરત છે કે તેની આજીવિકા બીજાના શેષણ ઉપર નિર્ભર ન હોવી જોઈએ. ' આમ, ન્યાય નીતિપૂર્વક આજીવિકા રળવાની ટેકથી શરૂ થતી ધર્મયાત્રા, વિશ્વને આલિંગતા નિ:સ્વાર્થ- નિર્વ્યાજ પ્રેમની અખંડ અનુભૂતિ સ્વરૂપ પૂર્ણ અહિંસાના રાજમાર્ગે થઈને આત્મજ્ઞાનાદિ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓનો સ્પર્શ કરતી અંતે આત્મરમણતામાં વિરમે છે. અહિંસાને મૂળ છેત: પ્રેમ-આત્મિયતા મહાવીરને અનુસરવા ઉત્સુક વ્યકિતને મહાવીરની અહિંસાનું જ્ઞાન હોવું આવશ્યક છે, એવો શ્રી મહાનિશીથ સૂત્ર અંતર્ગત, પઢમં નાણું તઓ દયા’ સૂત્રોનો બુલંદ ઉઘોષ છે. બીજા જીવમાં પિતા તુલ્ય આત્મા વિલસી રહ્યા છે એ ભાનપૂર્વકની આત્મીયતા - વાત્સલ્ય - પ્રેમ અહિંસાને મૂળ સ્ત્રોત છે. એ પ્રેમ હોય ત્યાં, કોઈને પણ લેશ માત્ર દુ:ખ ન પહોંચે એ રીતે જીવવાની કાળજી સ્વાભાવિક રહે, એટલું જ નહિ, સહાનુભૂતિ, સહકાર અને સહિષષ્ણુતા અર્થાત સામાના હિત - સુખ અર્થે જાતે થોડી અગવડ કે કષ્ટ વેઠી લેવાની વૃત્તિપૂર્વકનો જીવન વ્યવહાર પણ એની સહજ ફલશ્રુતિ હોય; એટલે, મહાવીરને અનુયાયી ન્યાય, નીતિને અડગ નિશ્ચયપૂર્વકના ઉઘમથી પ્રાપ્ત દ્રવ્યને પણ કેવળ પોતાનાં સુખ-સગવડમાં જ વ્યય ન કરી નાખતાં, જરૂર રિયાતવાળા અન્ય જીવોને સહાયભુત થવા ઉલ્લાસપૂર્વક પ્રયત્નશીલ રહે - અતિથિ સંવિભાગ કરે; એટલું જ નહિ, પરિગ્રહપરિમાણ વ્રત દ્વારા સંચયવૃત્તિને પણ તે અંકુશમાં લઈ લે. આ “પાસા ને ગંભીરતાથી વિચાર કરવો અનિવાર્ય છે. આમ આચરણમાં આત્મિયતા મૂલક અહિંસા અને વિચારમાં અનેકાંતદષ્ટિ પ્રેરિત પરમ સહિષ્ણુતા મહાવીરના અનુયાયીનું જીવનસૂત્ર હેય. ‘બીજાનો મત ખોટો છે, પણ હું નભાવી લઉં છું.’ એવી ગુરુતા ગ્રન્થિ પ્રેરિત- અહં પ્રેરિત પરમ સહિબષ્ણુતા નહિ, પણ વસ્તુના અનંત ધર્મો છે અર્થાત સત્યને અનંત પાસાં છે. છે, પોતાને એ બધાં પાસાનું જ્ઞાન ન હોઈ શકે. કોઈ પાસાનું જ્ઞાન બીજાની પાસે હોવું સંભવે - એ રીતે, પિતાની અપૂર્ણતાના ભાજનિત પરમ-સહિષ્ણુતા રોજિંદા જીવનવ્યવહારમાં ઓત-પ્રેત ન થઈ હોય તે મહાવીરના અનુયાયી હોવાનો દાવો થઈ શકે ખરો? અનેકાંતવાદના ઉદ્ઘષક ભગવાન મહાવીરને અનુયાયી અહં - મમ પ્રેરિત ક્ષુલ્લક આગ્રહ અને વિવાદોમાં જીવન પૂરું કરે - –વેડફે ખરો? અંતર્મુખ સાધનની પૂર્વ તૈયારી અને પાયારૂપે ચિત્ત શુદ્ધિ, અને ચિત્ત શુદ્ધિ અર્થે સંયમ, અહિંસા, પ્રેમ, કરુણા અપરિગ્રહવૃત્તિ અને અનેકાંત દૃષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ ભગવાન મહાવીરે ચીંધી છે. આ જીવનમૂલ્યોને રોજિંદા જીવનને વ્યવહારમાં વણવાના નિષ્ઠાભર્યા પ્રયત્ન વિના જાતને “જૈન” કહેવડાવી શકાય, ‘શ્રાવક' કે મુનિ' નું બિરુદ પણ મેળવી શકાય. પણ સાચા અર્થમાં “જૈન' - જિનના અનુયાયી (અનુ + થાયી = પાછળ પાછળ ચાલનાર) બની શકાતું નથી, એથી પોષાય છે કેવળ ભ્રાંતિ. આ ભ્રાંતિમાં જીવન વિતાવવું એ, ધર્મ ન પામ્યા સેવા કરતાં યે વધારે ખતરનાક છે. ““હું દેહ' એ ભાનમાં જીવનાર વ્યકિત ચાહે તે જેન હોય કે અજૈન, ગૃહસ્થ હોય કે સાધુ-મિથ્યા દષ્ટિ છે. મુકિતની વાટે તે ચડી જ નથી. પ્રાકૃતિથી પર અર્થાત કર્મકૃત દેહ, મન, બુદ્ધિ, અહંકાર આદિ સર્વ અવસ્થાઓ અને આભાસેથી પર-હું વિશુદ્ધ ચૈતન્ય છું,' એ ભાવમાં જીવનારો જૈન હોય કે અજૈન એ સમ્યગ દરિટ છે. એ 'વિરતધર ન હોય તે કે મુકિત પથને ગતિશીલ પ્રવાસી છે.” લેખક કૃત: “આત્મ જ્ઞાન અને સાધના પથ ”માંથી ઉધૂત 24 રાજેન્દ્ર જ્યોતિ Jain Education Intemational