Book Title: Mahatma Charitravijayji Author(s): Punyavijay Publisher: Punyavijayji Catalog link: https://jainqq.org/explore/230193/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા શ્રી ચારિત્રવિજયજી* જ્યારે જ્યારે કઈ પણ પ્રજાનું કે સમાજનું આંતરજીવન કાળના પ્રભાવથી કહો યા ગમે તે કારણે કહો, નિર્બળ બને છે, ત્યારે તેને પુનર્જન્મ મેળવવા માટે આરંભમાં મુખ્યપણે આદર્શજીવી મહાન આત્માઓની જીવનકથા તરફ દષ્ટિ દોડાવવી પડે છે. અને એ જીવનકથાઓમાંથી જરૂર એવું કેઈ ને કોઈ વિશિષ્ટ પ્રેરણાબળ મળી જ રહે છે કે, જે દ્વારા માનવને અવનતિના ગર્તમાંથી પુનરદ્વાર થઈ શકે. એ જ મુખ્ય કારણસર પ્રાચીન કાળથી ભારતીય પ્રજામાં વિધવિધ રીતે પવિત્ર જીવન ગાળનાર પુણ્યપુષોની જીવનકથા લખવાની પરિપાટી ચાલી આવે છે. આખાય વિશ્વમાં અતિ ચિર કાળથી સ્વાભાવિક રીતે સર્વોપરી પવિત્ર જીવન ગાળનાર પ્રજાના બાહ્ય અને આંતરજીવનનો સર્વોપરી હાસ જોઈ આજે પ્રત્યેકે પ્રત્યેક વિજ્ઞ પરષનું હૃદય કંપી ઊઠે છે અને તેથી એ દરેક, પોતાના અને પ્રજાના જીવનનું પુનરુત્થાન થાય એ માટે પોતપોતાથી જેટલો બને તેટલે ફાળો આપવા તૈયારી કરી રહેલ છે. આ રીતે અત્યારે દરેકે દરેક ધર્મ, સમાજ, પ્રજા આદિમાં થઈ ગયેલ જુદા જુદા પ્રકારે શુદ્ધ જીવન જીવનાર મહાપુરુષની સ્મારક ગ્રંથમાળા, લેખમાળા આદિ જે કાંઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે એ ખરે જ ઈષ્ટ્રમાં ઇષ્ટ છે. એકાત્મક રૂપ ભારતીય પ્રજાના અવયભૂત ગણાતી આપણી જૈન પ્રજા–જેણે એક કાળે આદર્શ જીવન ગાળવાનો માર્ગ રજૂ કરવામાં મોટો ફાળો આપ્યો છે, અત્યારે બાહ્ય અને આંતરકલહથી એટલી ખરડાઈ ગઈ છે કે, જે તેના પુનરુથાન માટે જુદી જુદી રીતે સવર ધ્યાન આપવામાં ન આવે તો સાચે જ એ જેન પ્રજાનું નાવ ક્યારે, ક્યાં અને કયા ખડક સાથે અથડાઈ તે નાશ પામશે એ કલ્પવું ઘણું જ મુશ્કેલ છે. આ સ્થિતિમાંથી જૈન સમાજને ઉગારી લેવા માટે જે મહાનુભાવોએ આ ચારિત્રસ્મારક ગ્રંથ” જૈન પ્રજાના કરકમલમાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે એને સૌ કોઈ વધાવી લે એમાં સંશય જ ન હોઈ શકે. - પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને મેં નાની વયમાં આજથી લગભગ તેત્રીસ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૬૬માં વડોદરા મુકામે યેલ તેનું કાંઈ આછું આછું સ્મરણ થાય છે. તે વખતે મારી વય નાની અને દીક્ષા લીધે માત્ર દશ મહિના થયેલા હોઈ તેઓશ્રીને * “શ્રી ચારિત્રવિજય”નું (સંપાદક શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઈ, પ્રકાશકઃ શ્રી ચારિત્ર સ્મારક ગ્રન્થમાલા, વીરમગામ, સં. ૧૯૯૨) આમુખ. Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા શ્રી ચારિત્રવિજયજી [ 277 અંગત પરિચય મને થયો છે એમ હું કહી શકું નહિ. ત્યારે આ “રમારક ગ્રંથમાં હું તે મહાપુરુષની કઈ સ્મારકકથા આલેખવાનો, એમ સૌ કોઈને સહેજે શંકા થયા વિના નહિ જ રહે. પણ તેનો ઉત્તર માત્ર એ જ હોઈ શકે કે, મહાપુરુષો સ્થૂલ દેહે મરવા છતાં ગુણો દ્વારા તેઓ જગતમાં સદાય જીવતા હોય છે. એ જ કારણ છે કે, શ્રમણ ભગવાન મહાવીરદેવજેઓને અતીત થયે સૈકાઓના સૈકાઓ વહી ગયા તેમ છતાં આજે આખું જગત અને આપણે એ મહાપુરુષને ઓળખીએ છીએ–ઓળખવાને દાવો કરીએ છીએ અને એના પુનિત નામને અશાન્તપણે જપીએ છીએ. આ જ રીતે હું શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને સ્થૂલ દેહે અદસ્ય હોવા છતાં ગુણો દ્વારા ઓળખી શકું છું અને આ સ્મારકગ્રંથમાં તે પુરુષના અલ્પરિવરૂપ ગુણાનુવાદ કરી મારી ભારતીને પવિત્ર કરું છું–કરવા પ્રયત્ન કરી રહ્યો છું. મહાપુરુષની કિંમત એના સ્થલ દેહના આકાર ઉપર, તેના માતા-પિતા ઉપર, જાતિ ઉપર કે દેશ ઉપર : એ કશાય ઉપર નથી. એની કિંમત કે મહત્તા એના આંતરજીવન અને એની કારકિર્દી ઉપર અવલંબેલી છે એટલે હું આપણા સ્મારકગ્રંથનાયક “ચારિત્રને સ્કૂલરૂપે ઓળખતો ન હોઉં અથવા તેમની મુખાકૃતિનું મને સ્મરણ ન હોય એથી એ મહાપુરુષના ગુણનુવાદ કરવા માટે મને કોઈ પણ પ્રકારને રાધ થાય તેમ નથી. પૂજ્યવર શ્રીયુત ચારિત્રવિજયજી મહારાજશ્રી કેણ હતા, ક્યાંના હતા, ઈત્યાદિ કશુંય હું જાણતો નથી. માત્ર એટલું જ જાણું છું કે, તેઓશ્રી પ્રજ્ઞાંશ આચાર્ય મહારાજ શ્રી વિજ્યકમળમૂરિ મહારાજના પ્રશિષ્ય હતા. તેમ છતાં એ પુરુષે પોતા પાછળ અવશેષરૂપે મૂકેલ બે વિશિષ્ટ સંભારણથી હું તેમને સવિશેષ ઓળખું છું. એક તો અત્યારે જગત પોતાની આંખે સાક્ષાત જોઈ શકે એવું પાલિતાણાના પાદરમાં આવેલું યશોવિજય જૈન ગુરુકુલ” જેમાં સંખ્યાબંધ જૈન બાળક વિશિષ્ટ જ્ઞાનનો વારસ મેળવી રહ્યા છે. એની શુભ સ્થાપના આપણું સ્મારકગ્રંથનાયક “ચારિત્ર”ને હાથે જ થયેલ છે અને એને એઓશ્રીના જ વિદ્વાન શિખ્યો અથાગ પરિશ્રમથી જીવન પૂરી રહ્યા છે. ખરે જ પોતાના ગુરુદેવની શક્તિ અને ઉત્સાહનો અખંડ વાર એ વિદ્વાન શિષ્યમાં ઊતરી આવ્યો છે. એથી એ મહાપુરુષમાં રહેલ ગ્યતાને આપણને સહેજે સાક્ષાત્કાર થઈ જાય છે. બીજો પ્રસંગ પાલિતાણાના જલપ્રલયનો છે. એ જલપ્રલયમાં તણાતા સંખ્યાબંધ મનુબેને તેઓશ્રીએ પોતાના જીવનની દરકાર કર્યા સિવાય દૈવી સાહસ દ્વારા બચાવીને અભયદાન આપ્યું હતું. તે પ્રસંગે તેઓશ્રીએ જે સમયસૂચકતા વાપરી હતી એ જૈન મુનિજીવનની શિલીને શેભાવે તેવી હતી. " સાધુથી કાચા પાણીમાં ઊતરાય નહિ, ગૃહસ્થને બચાવવાથી પાપ લાગે” ઇત્યાદિ અપેક્ષિક જેન શિલીનાં વાક્યોને વિકલેન્દ્રિયની માફક પકડી ન રાખતાં વિચારપૂર્વક તેઓશ્રીએ જે કાંઈ કર્યું એથી જૈનશાસ્ત્રની સ્યાદાદ શૈલીને ખચિત જ શોભાવી છે, જેના આગમનાં એ વાક્યો જડતાભર્યા નથી પણ કોઈ ગંભીર આશયથી તેમ જ કેઈ દેશ, કાળ, વ્યક્તિ વિશેપને લક્ષીને છે–સાર્વત્રિક નથી એમ સાબિત કરી આપ્યું છે. જૈન સમાજ એ મહાપુરુષને અને તેમના ગુણોને યાદ કરી તેમના પ્રત્યેના અણને અદા કરે તેમ જ એ મહાત્માના ગુણોને જીવનમાં ઉતારવા યત્ન કરે એ જ અંતિમ શુભેચ્છા સાથે એ મહાપુરુષને 1008 વાર વંદન હો. [" શ્રી ચારિત્રવિજય”નું આમુખ, સં. 1992 ]