Book Title: Madhyakalin Sahityanu Prakashan Ketluk Sahitya Author(s): Shiish Panchal Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf Catalog link: https://jainqq.org/explore/249531/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન સાહિત્યનું પ્રકાશન : કેટલાક પ્રશ્નો શિરીષ પંચાલ અત્યાર સુધી મધ્યકાલીન સાહિત્યનાં જે પ્રકાશનો થયાં છે તેમાંથી મોટા ભાગનાં પ્રકાશનો માત્ર વિદ્યાપ્રીતિથી જ થયેલાં જોવા મળશે. આ સાહિત્યમાં ધંધાદારી પ્રકાશકોને રસ ન હોય એ વાત સમજી શકાય એમ છે. એમને તો જોકે માત્ર મધ્યકાલીન સાહિત્યમાં જ નહિ પરંતુ જે સાહિત્યનું વેચાણ થતું ન હોય એ બધું જ ઘણું કરીને અસ્પૃશ્ય હોય છે. સાદો અર્થ એટલો કે આપણે એ પ્રકારના તમામ પ્રકાશન માટે બીજી દષ્ટિએ વિચાર કરવો રહ્યો. મધ્યકાળના અપ્રગટ કે અગ્રંથસ્થ સાહિત્ય વિશેની જે માહિતી વિદ્વાનો. પાસેથી પ્રાપ્ત થઈ છે તે અનુસાર હજુ અઢળક સાહિત્ય ભંડારોમાં સચવાયેલું પડ્યું છે. હવે જોકે પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી એટલે કાળજીપૂર્વક એની જાળવણી કરી શકીએ છીએ - જુદીજુદી દિશાએથી એ માટેની સગવડો પણ મળવા માંડી છે. બીજી સંસ્થાની વાત ન કરતાં મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગની હસ્તપ્રતો મેળવવા માટેની સાધનસામગ્રી સંપડાવી આપવામાં આદરણીય આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી અને આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ સહાય કરી હતી. પ્રકાશન માટેની પૂર્વતૈયારીના ભાગ રૂપે આ જાળવણી અનિવાર્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સાંપ્રદાયિક હોય કે બિનસાંપ્રદાયિક હોય, જૈન હોય કે જેનેતર હોય એ આપણા સૌનો વારસો છે અને એ વારસો અત્યંત સમૃદ્ધ છે. જે પ્રજા પોતાના ભૂતકાળને ભૂલી જાય છે એ પ્રજા - અંતે તો નિષ્માણ બની જતી હોય છે. એક જમાનામાં અર્વાચીન-આધુનિક સાહિત્યની તુલનામાં આ સાહિત્યને હલકી કક્ષાનું ગણવાનો ચાલ હતો. આજે એવું ઓરમાયું વલણ સાવ અદશ્ય થયું છે એમ કહી ન શકાય છતાં પરિસ્થિતિ ખાસ્સી એવી સુધરી છે. આ સાહિત્યના પ્રકાશનની સમસ્યાઓ ઓછી કરવા માટે સૌ પ્રથમ તો આને વિશેની એક વ્યાપક સભાનતા કેળવાય એ જરૂરી છે, અને એ સભાનતા ગુજરાતનાં માત્ર બેત્રણ નગરો પૂરતી નહીં પણ સમગ્ર ગુજરાતમાં કેળવાય એ પણ અનિવાર્ય છે - એ પરિસંવાદો, શિબિરો, જાહેર પ્રવચનો દ્વારા કેળવી શકાય; વળી આ પરિસંવાદો યાદચ્છિક બની રહે એ ન ચાલે - એની પાછળ એક ચોક્કસ આયોજન હોવું જોઈએ અને આપણી પાસે હવે એવા For Privata Page #2 -------------------------------------------------------------------------- ________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ પ્રતિભાવંત આયોજકોની પણ ખોટ નથી એટલે એ કામગીરી સારી રીતે પાર પાડી શકાશે. આ પ્રકારના પરિસંવાદો બેવડી કામગીરી બજાવી શકશે. ઉપર જણાવ્યું એ પ્રયોજન ઉપરાંત એક બીજું પ્રયોજન પણ છે. કોઈ પણ પ્રકાશનની સાથે સાથે વિતરણનો પ્રશ્ન સંકળાયેલો જ છે અને ઘણી વખત તો વિતરણવ્યવસ્થાને અભાવે જ આ સાહિત્યના પ્રકાશન માટેનો ઉત્સાહ મોળો થઈ જતો હોય છે. આ પરિસંવાદો દરમિયાન પૂર્વપ્રકાશિત પુસ્તકોનું વિતરણ અને નજીકના ભવિષ્યમાં પ્રગટ થનારાં પુસ્તકોના સંભાવિત ગ્રાહકોની નોંધણી કરી શકાય. આ અને આવી બીજી કામગીરી માટે સ્વયંસેવક બનવાની મારી અને મારા મિત્રોની તૈયારી છે, સંમતિ છે. ૬૪ સાથેસાથે આ અસંખ્ય કૃતિઓનું પ્રકાશન એકસામટું થવાની કોઈ શક્યતાઓ નથી; સંપાદકીય મુશ્કેલીઓ ઉપરાંત બીજા સ્થૂળ પ્રશ્નો પણ સંકળાયેલા છે. એટલે વિદ્વાનોએ અગ્રિમતાના ધોરણે એક યાદી બનાવવી. જોઈએ; અને એ પ્રમાણે પ્રકાશનની સમયબદ્ધ આયોજના વિચારી લેવી જોઈએ. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામયિકો અવારનવાર મધ્યકાલીન કૃતિઓ વિશેની સામગ્રી પ્રગટ કરતાં રહે છે. આ પ્રકારની સામગ્રી વેરવિખેર પ્રગટ થતી હોવાને કારણે ક્યારેક એ પ્રભાવક નીવડતી નથી. એને બદલે એ સામગ્રી પણ વ્યવસ્થિત રીતે મુકાય તે ઇષ્ટ છે. દર વર્ષે દરેક સામયિક એક વિશેષાંક તૈયાર કરે. એ કોઈ અપ્રગટ કૃતિનું સંપાદન હોય તો તો અતિ ઉત્તમ જે તે સામયિકના ચોક્કસ વાચકો-ચાહકો સુધી તો એ સામગ્રી પહોંચવાની જ, તે ઉપરાંત વધારાની અઢીસો પ્રતો ગ્રંથસ્વરૂપે પણ બહુ ઓછા ખર્ચે પ્રગટ કરી શકાય. ‘એતના સંપાદકો તરીકે આ પ્રકારની કામગીરીની પહેલ કરવા માટે હું અને મારા સાથી સંપાદકો તૈયાર છીએ. આ રીતે પણ દર વરસે આઠ દસ કૃતિઓ અથવા આશરે આઠસોએક પૃષ્ઠની સામગ્રી સરળતાથી પ્રકાશિત કરી શકાય. મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનું પ્રકાશન કરવા માટેની પૂર્વતૈયારીઓનો વિચાર પણ સાથે સાથે કરવો જોઈએ. ઘણી વખત પ્રકાશન માટેની હસ્તપ્રતો મુદ્રણયોગ્ય હોતી નથી. સંપાદકોએ ભૌતિક શ્રમશક્તિ ઘટાડવા માટે વિદ્યાર્થીઓની મદદ લેવી અને એ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા જોઈએ. સાથેસાથે મુદ્રણ સુઘડ અને વ્યવસ્થિત થાય એ માટેનો આગ્રહ-હઠાગ્રહ રાખવો જોઈએ. મુદ્રણ થતાંવેંત અઢીસો જેટર્લી પ્રતો શક્ય તેટલી ત્વરાથી યોગ્ય સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવી. આ પ્રતો માટે કોઈનો આર્થિક સહયોગ સાંપડે તો એ આવકારવો. Page #3 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન સાહિત્યનું પ્રકાશન : કેટલાક પ્રશ્નો 65 પ્રકાશન માટેની યાદી તૈયાર કરવામાં આવે ત્યારે સાથેસાથે સંભવિત પૃષ્ઠમર્યાદા જણાવવામાં આવે તો થોડી સગવડ રહે. જે શિક્ષણ સંસ્થાઓ આ માટેની તૈયારી બતાવે તેમને અંદાજિત ખર્ચનો ખ્યાલ આવે. પાંચ પાંચ વરસની યોજનાઓ તૈયાર કરીને એ બધાને પહોંચાડી શકાય. જેથી આમાં જે કોઈ પોતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપવા માગતા હોય તે આપી શકે. ભાવિ પ્રકાશન માટે ભૂતકાળની જેમ આજે પણ રાજસ્થાનનો સક્રિય સહકાર પ્રાપ્ત કરીને બંને રાજ્યોના સંયુક્ત ઉપક્રમે પ્રકાશનો કરી શકાય અને આવા સંયુક્ત ઉપક્રમો સ્વાભાવિક રીતે જ આપણા વિદ્વાન જૈનાચાર્યોની સહાયથી હાથ ધરી શકાશે.