Book Title: Khaputacharya Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249063/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગતે ૧૪૧ વિઘાસિદ્ધ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રી આર્ય ખપૂટાચાર્ય મહારાજ આર્ય ખપૂટાચાર્ય મહાન મંત્રવાદી અને પ્રભાવક આચાર્ય હતા. જેનશાસનમાં આઠ પ્રભાવક કહ્યા છે. તેમાં વિદ્યાબલ પર પ્રભાવના કરનારાઓમાં શ્રી ખપેટાચાર્યનું ઉદાહરણ આપવામાં આવે છે. વિશેષ વિદ્યાપ્રાપ્તિના કારણે પ્રબંધકોશકારે તેમને આચાર્યસમ્રાટ પણ કહ્યા છે. તેમના શિષ્યસમુદાયમાં ભુવન નામે એક શિષ્ય હતું. તે તેમને ભાણેજ હતું. બીજે મહેન્દ્ર નામે શિષ્ય હતે. આચાર્ય અપુસૂરિને ઉત્તરાધિકાર તેમના શિષ્ય ભુવનને પ્રાપ્ત થયો હતા. આ બન્ને શિષ્યોને ઉલેખ પ્રભાવક ચરિત્રમાં આપવામાં આવેલ છે. આચાર્ય પુસૂરિએ તેમના શિષ્ય ભુવનને અનેક પ્રકારની વિદ્યાઓ આપી હતી. શીધ્રગ્રાહી બુદ્ધિના કારણે સાંભળવા માત્રથી કેટલીક વિદ્યાઓ તેમણે ગ્રહણ કરી હતી. ભૃગુકચ્છને રાજા બલમિત્ર શરૂઆતમાં બૌદ્ધભક્ત હતા. તેમની સભામાં મુનિ ભુવનને બૌદ્ધો સાથે માટે શાસ્ત્રાર્થ થયે. રાજકીય સન્માન પ્રાપ્ત પ્રમાણુન્ન, તર્ક, ન્યાયજ્ઞ બૌદ્ધભિખુ જેને કરતાં પિતાની જાતને ઉત્કૃષ્ટ માનતા હતા. મુનિ ભુવનના અકાય તેની સામે તે જોદ્ધો પરાજય પામ્યા. તેથી જેનશાસન પર વિજય મેળવવા ઇચ્છતા વઢકર નામના બૌદ્ધાચાર્ય ગુડશસ્ત્રપુરથી ભૃગુકચ્છ આવ્યા. શાસ્ત્રાર્થમાં સ્યાદ્વાદવાદી મુનિ ભુવને તેમને પણ પરાજિત કર્યા. આથી જેનશાસનની મહાપ્રભાવના થઈ. ગુડશસ્ત્રપુરમાં એક વખત યક્ષને ઉપદ્રવ થવા લાગ્યું હતું. જેનસંઘ આ ઉપદ્રવથી વિશેષ આકાંત થયા હતા. ગુડશસ્ત્રપુરથી જૈનસંઘે મોકલેલ બે મુનિઓએ વિસ્તારપૂર્વક આ દુઃખદ ઘટના આચાર્ય બપુરસૂરિને કહી. આચાર્ય પુસૂરિએ પિતાના શિષ્ય ભુવન મુનિને પિતાની કપર્દિકા (વિશિષ્ટ વિદ્યાના સંબંધવાળું પુસ્તક) પીને કહ્યું કે, “વત્સ! આ કપર્દિકા હું તને આપું છું, તે તારે કેઈના હાથમાં આપવી નહિ, અને કૌતુકને વશ થઈ એને ખોલવી પણ નહિ.” સર્વ પ્રકારની ઉચિત શિખામણ આપી આચાર્ય પુસૂરિ ભૃગુપુરથી વિહાર કરી ગુડશસપુર પહોંચ્યા. ત્યાં સંધને મળી સમગ્ર પરિસ્થિતિ જાણું. તેઓ યક્ષમંદિરમાં ગયા અને યક્ષના કાનમાં ઉપાન (જેડા) નાંખી સૂઈ ગયા. પૂજારી આ વ્યવહારથી કેપ પામ્યો. આ વાત તેણે રાજાના કાન સુધી પહોંચાડી. રાજા આચાર્ય પુસૂરિને મારવા લાગ્યા. યષ્ટિપ્રહાર આચાર્ય ખપુસૂરિની પીઠ પર થતા હતા, પણ તેની કરુણ ચીને અંતઃપુરમાં સંભળાવા લાગી. બધા આશ્ચર્ય પામ્યા. રાજા સમજી ગયો કે આ ચમત્કાર વિદ્યાસિદ્ધ યોગી છે. તે ખપુટાચાર્ય પાસે પહેર્યો. તેણે કઠેર આદેશ માટે ક્ષમા માગી. આ વિદ્યાબલથી પ્રભાવિત થઈ રાજ પુરાચાર્યને પરમ ભક્ત બની ગયા. યક્ષપ્રતિમા પણ તેમને દ્વાર સુધી પહોંચાડવા આવી. ચક્ષને ઉપદ્રવ શાંત થે. આચાર્ય પુસૂરિ ઉપદ્રવ શાંત થયા પછી પણ સંઘની અતિ વિનંતિથી કેટલાક દિવસ ત્યાં રહ્યા. આ તરફ ભૃગુપુરમાં વિચિત્ર ઘટના બની. બે મુનિએ ભૃગુપુરથી અપુરાચાર્ય પાસે આવ્યા. તેમણે જણાવ્યું કે, “આર્ય ! તમે નિષેધ કરવા છતાં મુનિ ભુવને આપની આપેલી કપર્દિકા બોલી. તેમાંથી તેમને આકૃષ્ટિ મહાવિદ્યા પ્રાપ્ત થઈ છે અને તે આ વિદ્યાને દુરુપયોગ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક કરી રહ્યા છે. આ મહાવિદ્યાના પ્રભાવે હંમેશાં ગૃહસ્થના ઘરેથી સરસ સરસ આહાર ખેંચી તેનાથી તેમણે ઉપભેગ કરવાનું શરૂ કરી દીધું છે. રસલુપ મુનિ ભુવનને સ્થવિરેએ વારંવાર ક્યા, પણ તે માન્યા નહિ. સ્થિતિ વિકટ બની છે. જેનસંઘની સાથે પિતાને સંબંધ વિચછેદ કરી, વિદ્યાના ગર્વથી ગર્વિત ભુવન મુનિ બૌદ્ધોને મળ્યા છે, અને ત્યાં રહી આ વિદ્યાના આધારે આકાશમાર્ગે આહારપત્રો મેળવી બૌદ્ધોના ઉપાસકોને ઘેર મોકલે છે અને ભેજન થઈ ગયા પછી પાત્રોને પાછાં ખેંચી લે છે. આ ચમત્કારિક વિદ્યાના પ્રભાવથી અનેક જેને બૌદ્ધો થવા લાગ્યા છે. આ વિષમ પરિસ્થિતિ આપ ધ્યાન પર લે અને જે ઉચિત હોય તે કરે.” આર્ય પુરાચાર્ય આ વાત સાંભળી ભૃગુપુર પધાર્યા. તેમણે આકાશમાં એક શિલા વિકુવી રાખી. આથી આકાશમાર્ગે જતાં આહારપાત્ર તેની સાથે અથડાતાં ભાંગીને ભુક્કો થવા લાગ્યાં. ભુવન મુનિ ગુરુ આવ્યા જાણી અન્યત્ર નાસી ગયા. આવી જ રીતે, પાટલિપુત્રમાં જૈનસંધ સામે એક ભયંકર સંકટ ઊભું થયું. ત્યાંના રાજા દાહડને જૈન મુનિઓને આદેશ મળે કે–તેઓ બ્રાહ્મણવર્ગને નમન કરે, નહિતર તમારો શિરછેદ થશે. રાજાની ઘોષણથી જૈનસંઘમાં ચિંતા પેદા થઈ. આ ફક્ત જીવનસંકટને પ્રશ્ન ન હતા, પણ ધર્મસંકટને પણ પ્રશ્ન હતું. અનેક વિદ્યાસંપન્ન આર્ય પુરાચાર્ય અને શિષ્યમંડળ જ આ સંકટથી જૈનસંઘને બચાવી શકે તેમ હતા. જૈનસંઘે ભૃગુપુરમાં બે ગીતાર્થ સ્થવિર મુનિઓને આર્ય ખપૂટાચાર્ય પાસે મોકલ્યા. આર્ય ખપૂટાચા સઘળી પરિસ્થિતિ સમજીને તેને પ્રતિકાર કરવા માટે પિતાના વિદ્વાન શિષ્ય મહેન્દ્ર મુનિને ત્યાં મોકલ્યા. રાજા દાહડની સભામાં બ્રાહ્મણ પંડિતની સન્મુખ મુનિ મહેન્દ્ર લાલ તથા સફેદ કરેણની સેટીઓના માધ્યમથી વિદ્યાપ્રગનું પ્રદર્શન કર્યું, જે જૈનસંઘના હિતમાં થયું. રાજા દાહડે જૈન મુનિવર્ગ માટે કઠોર આદેશ આપવા બદલ મુનિ મહેન્દ્ર પાસે ક્ષમા માગી. આ ઘટનાથી જૈનધર્મની મોટી પ્રભાવના થઈ. રાજા દાહડ અને બ્રાહ્મણવર્ગ પ્રતિબોધ પામ્યા. કેટલાક સમય પછી પિલા નાસી ગયેલા શિષ્ય ભુવને પણ પિતાના ગુરુ પાસે આવી પિતે કરેલા અવિનય અંગે ક્ષમા માગી અને શ્રમણસંઘમાં ભળી ગયા. ગુરુએ પણ તેને ક્ષમા આપી. પછી ભુવન મુનિ નિષ્ઠાવાન, વિનયવાન, ચારિત્રવાન અને શ્રતવાન બની સૌના વિશ્વાસપાત્ર બન્યા. આથી આચાર્ય પુસૂરિએ શિષ્ય ભુવન મુનિને યોગ્ય જાણી, આચાર્યપદે સ્થાપ્યા અને ત્યારબાદ પિતે અનશન કરી સ્વર્ગવાસ પામ્યા. આમ, આર્ય બપુરાચાર્યના જીવન સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે. “પ્રભાવક ચરિત્ર” મુજબ આચાર્ય ખપુટસૂરિ વીરનિર્વાણની પાંચમી સદીમાં થયા હતા. 2010_04