Book Title: Jambuswami Kevali Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201008/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો L. ડેવલ જંબુસ્વામી ઈ. સ. પૂર્વે ૫૪૨ માં રાજગૃહીના એક સમૃદ્ધ વેપારી ઋષભદત્તની પત્ની ધારિણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ જંબુ રાખવામાં આવ્યું. જંબુ સર્વગુણસંપન્ન હતો અને સહુને અતિ વ્હાલો હતો. અનેક મા-બાપ પોતાની દીકરીને એની સાથે પરણાવવા ઉત્સુક હતા. એ બહુપત્નીત્વનો જમાનો હતો. જંબુના માતા-પિતાએ તેને માટે આઠ કન્યાઓ પસંદ કરી. તે બધાની સાથે જંબુના ધામધૂમથી વિવાહ થયા, અને હવે લગ્નની તૈયારી કરવા માંડ્યા. તે વખતે સુધર્માસ્વામી રાજગૃહીમાં દેશના આપવા આવ્યા. જંબુ પણ તેમને સાંભળવા માટે ગયા. એમનો ઉપદેશ સાંભળીને જંબુને સાંસારિક જીવન અને કુટુંબનો ત્યાગ કરવાની ઇચ્છા થઈ. જંબુના માતા-પિતા યુવાન પુત્રની સંસાર ત્યાગ કરવાની વાતથી નિરાશ થયા. આઠ કન્યાના માતા-પિતા પણ જંબુની વાત જાણી ચિંતામાં પડી ગયા કે વિવાહિત કન્યાઓને હવે કોણ પરણશે ? બધાંએ જંબુને સાધુ થવાનો પોતાનો વિચાર માંડી વાળવા ખૂબ સમજાવ્યા. સાધુ જીવનમાં જે સર્વસ્વ ત્યાગની ભાવના છે તે પડકારરૂપ બનશે. પોતે સર્વસ્વ ત્યાગીને સાધુનું જીવન જીવવા માટે શું શું છોડી રહ્યા છે તેની તમને પૂરી સમજણ આપવામાં આવી નથી. માતા-પિતા એને પોતાના તરફની તથા પોતાની પત્નીઓ તરફની તેની ફરજ યાદ કરાવે છે. સુખ સગવડ ભરી જિંદગી જીવવાની સલાહ આપે છે. જંબુ ખૂબ જ શાંતિથી બધી જ વાતો સાંભળે છે પણ પોતાના નિર્ણયમાં તે અફર છે. માતા-પિતાએ વિચાર્યું કે એકવાર જંબુના લગ્ન કરી નાંખશું અને તે મોજ-શોખમાં પડી જશે તો સાધુ થવાનો વિચાર માંડી વાળશે. તેથી સર્વસ્વ ત્યાગના આશીર્વાદ આપતાં પહેલાં લગ્ન કરી લેવાનું સમજાવ્યું. જંબુએ લગ્નના બીજા જ દિવસે તે આ સંસારનો ત્યાગ કરી દેશે એ શરતે લગ્ન કરવાની હા પાડી. માતા-પિતાને હતું કે આવી સુંદર કન્યાઓને જોઈને તે તેમના પ્રેમમાં પડી જશે અને સંસાર ત્યાગ કરવાનો વિચાર છોડી દેશે. સહુએ પોતાની સમૃદ્ધિ અને પોતાની પદવી પ્રમાણે ખૂબ જ ઠાઠમાઠથી લગ્ન સમારંભ યોજયો. નગરના નામાંકિત અને મશહૂર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યાં. નવપરિણિત યુગલને ખૂબ જ કિંમતી ભેટ આપવામાં આવી. રાજગૃહી નગરીએ કદી આવો ભવ્ય લગ્નસમારંભ જોયો નહિ હોય. આવી સુંદર અને સોહામણી કન્યાઓ સાથે લગ્ન કરવા બદલ સહ જંબુને અભિનંદન આપવા લાગ્યા. જંબુએ તે રાત ખૂબ જ સુંદર સજાવેલા શયનખંડમાં પત્નીઓ સાથે વિતાવી પણ જંબુ ઉપર પત્નીઓની સુંદરતાની કે વૈભવની કોઈ અસર થઈ નહિ. બીજા દિવસે સંસાર છોડીને સાધુ થવાના પોતાના નિર્ણયમાં તે મક્કમ હતા. પોતાની પત્નીઓને પણ આજની રાત ધર્મ સંબંધી વાતો કરીને અસાર સંસારને છોડવા માટે તૈયાર કરવી હતી. સંસારના સંબંધો કેવા દુ:ખદાયક છે અને સંસારના સુખો કેવા ક્ષણિક છે તે સમજાવવું હતું. જંબુ જ્યારે તેની પત્નીઓને સમજાવી રહ્યા હતા ત્યારે પ્રભવ નામનો મહાચોર તેના સાથીઓ સાથે ચોરીના ઇરાદે મહેલમાં પ્રવેશ્યો. પ્રભવ રાજગૃહીના બાજુમાં આવેલા વિંધ્યનો રાજકુમાર હતો. પિતા સાથે મતભેદ થતાં તેણે રાજ્ય છોડી દીધું અને ચોરી બની ગયો. પ્રભવ ખૂબ પાવરધો કુશળ ચોર હતો. કોઈને પણ મૂછમાં નાંખી દઈને ગમે તેવા મજબૂત તાળા તોડતો. જંબુના મહેલમાં આવીને તેને લગ્નમાં મળેલી અઢળક સંપત્તિ ચોરવી હતી. જેવો તે મહેલમાં પ્રવેશ્યો તે સમયે જંબુ તેની પત્નીઓ સાથે ત્યાગની ચર્ચા કરતા હતા. ગમે તેમ પણ પ્રભવની વિદ્યા જંબુને કે તેની પત્નીઓને અસર કરી શકી નહિ. પ્રભવ બારણાંની 44 જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ કેવલી જંબુસ્વામી ખૂબ નજીક આવીને જંબુની વાતો સાંભળવા લાગ્યો. સંસારના સુખો કેવાં દુઃખ આપશે અને કેવા બંધનમાં નાંખશે એવી વાતો સાંભળીને પ્રભવને આશ્ચર્ય થયું. પણ જંબુના શબ્દો એવા અસરકારક હતા કે તે સાંભળવા ત્યાં જ ઊભો રહી ગયો. પ્રભવને થયું કે હું સંપત્તિ ચોરવા માટે આકરી મહેનત કરું છું જ્યારે આ તો મળેલી સંપત્તિનો ત્યાગ કરવાની વાતો કરે છે. જંબુ તેની પત્નીઓને સમજાવે છે અને પ્રભવ એકચિત્તે સાંભળી રહ્યો છે. તેના સાથીદારો મહેલના અન્ય સ્થળેથી ચીજ વસ્તુઓની ચોરી કરીને પ્રભાવ પાસે આવ્યા અને જંબુના શયનકક્ષમાંથી કિંમતી દાગીના સંપત્તિ વગેરે લઈને ચોકીદાર આવે તે પહેલાં જતા રહેવા કહ્યું. હવે પ્રભવને સંપત્તિની લાલસા રહી નહોતી. ઘરફોડ ચોરની જિંદગી છોડી દેવા તૈયાર થયો. તેણે તેના મિત્રોને પોતાનો વિચાર જણાવ્યો. તેઓને જે ગમે તે કરવાની છૂટ આપી પણ તેના મિત્રો તેને છોડીને જવા તૈયાર નથી. જો પ્રભવ આ ધંધો છોડી દેશે તો તેઓ પણ છોડી દેશે. જ્યારે જંબુએ પોતાની પત્નીઓ સાથે ધાર્મિક ચર્ચા પૂરી કરી ત્યારે તેની પત્નીઓ પણ સંસાર છોડી સાધ્વી થવા તૈયાર થઈ ગઈ. પોતાની પત્નીઓને ઉપદેશ આપતા જંબુકુમાર જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો તે જ સમયે પ્રભવે પણ ઓરડામાં આવીને જણાવ્યું કે જંબુ તેની પત્નીઓ સાથે વિચાર-વિમર્શ કરી રહ્યા હતા તે તેણે સાંભળ્યું હતું અને તેણે પણ આ સંસાર છોડવાનું નક્કી કર્યું છે. પ્રભવ અને પ્રભવના પ00 મિત્રો પણ જંબુના પગલે ચાલી નીકળ્યા અને જંબુના શિષ્યો બનવાનું નક્કી કર્યું. રાજગૃહીના લોકો સવારે જાગ્યા ત્યારે ચોંકાવનારા સમાચાર મળ્યા કે જંબુ, તેની આઠ પત્નીઓ, પ્રખ્યાત ઘરફોડ ચોર પ્રભવ અને તેના 500 સાથીદાર એ જ દિવસે સંસાર છોડી સાધુ થવાના છે. જેબુના માતા-પિતા પોતાનો ઇરાદો પૂરો ન થવાથી ખૂબ જ નાસીપાસ થઈ ગયા. તેઓ તથા આઠ પત્નીના માતા-પિતા પણ જંબુએ આપેલા સંદેશાનું મહત્ત્વ સમજ્યા અને જંબુ સાથે સંસાર છોડી દીધો. સહુ વરઘોડા રૂપે દીક્ષા ગ્રહણ કરવા સુધર્માસ્વામી પાસે ગયા. સુધર્માસ્વામીને નમસ્કાર કરી સહુ તેમના શિષ્યો બની ગયા. પ્રભવ અને તેના પOO સાથીદાર જંબુના શિષ્યો બન્યા. જંબુસ્વામીએ ભગવાન મહાવીરના સંપૂર્ણ ઉપદેશનો અભ્યાસ કર્યો. ભગવાનનો આ ઉપદેશ જે સુધર્માસ્વામી અને જંબુસ્વામી વચ્ચેના સંવાદ સ્વરૂપે છે તે જૈનધર્મશાસ્ત્રો અંગ આગમોમાં સચવાયેલો છે. સુધર્માસ્વામીના કેવળજ્ઞાન બાદ જંબુસ્વામી જૈનસંઘના વડા બન્યા. 44 વર્ષ સુધી આ સ્થાન નિભાવ્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. વર્તમાન આરાનાં તેઓ છેલ્લા કેવળી હતા. ૮૦વર્ષની ઊંમરે તેઓ નિર્વાણ પામ્યા. સુધમૉરવામાનો ઉપદેશ સાંભળીને જંબુ૨વામ(એ આ દુષ્યના જીવનનો ત્યાગ કરવાનો દઢપણે નિર્ણય કર્યો. ઍટલું જ નહીં તેમના વિચારૉઍ બીજા અનેકને તેમના રસ્તે ચાલવા પ્રેર્યા. તેઓ માનતા કે શરત સંયમ અને કરૂણાભર્યું જીવન જ મુક્તિ અપાવી શકેં. દુ0થવા સુખો અને શારીરિક સુંદરતા એ તૉ ક્ષક અને ઉપરછલાં છે. શોનો અનાતમાંથી ખત્રતા તરફના જીવન પરિવર્તનનો બૉસ ધ્યાનપાત્ર છે. મામાને પત્ર બનાવવો અનૅ અાને તે તરફ વાળવા માટે મદદશ્યપ થવું તે જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. 46. જૈન કથા સંગ્રહ