Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરંવતતીર્થ સ્તોત્ર
(સ્વ.) અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી (સ્વ.) પં. બેચરદાસ દેશી જૈન મહાતીર્થ ઉજજ્યન્તગિરિ વિષયક પુરાણી જૈન તીર્થમાલાત્મક સાહિત્ય રચનાઓ પ્રકાશિત કરવાની પહેલ કરવામાં એક હતા. એમણે તપાગચ્છીય રતનશેખરસૂરિશિષ્ય હેમહંસસૂરિની જૂની ગુજરાતીમાં રચાયેલ બહુમૂલ્ય કૃતિ –“ગિરનાર ચૈત્ર વાડી” (આ. વિ. સં. ૧૫૧૫ ઇ.સ. ૧૪૫૯) – પુરાતત્ત્વ અંક ૩ (ચૈત્ર ૧૯૭૬, પૃ. ૨૯૧-૩૨૨ %)માં પ્રકાશિત કરેલી. એમનાથી એક વર્ષ પૂર્વે વિજયધર્મસૂરિ દ્વારા એક બીજ તપાગચ્છીય મુનિ - રત્નસિંહસૂરિ શિષ્ય – દ્વારા “ગિરનાર તીર્થમાલા” એમના ઐતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયુક્ત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ (ભાવનગર સં.૧૯૭૮ . સ. ૧૯૨૨)માં પ્રગટ કરેલી. (પૃ. ૩૩-૩૭.) (.) પં. દેશી આમ આ ક્ષેત્રમાં બે અગ્રચારિઓમાંના એક હેઈ, તેમ જ હેમહંસસૂરિની ચૈત્યપરિપાટીના આધારે તેમણે ગિરનાર તીર્થ સબધે જે ગવેષણ કરી છે તે એ વિષય અનુલક્ષીને સૌ પ્રથમ જ હોઈ, ઉજજયન્તતીર્થ વિશે છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન પ્રાપ્ત થયેલી (પણ અદ્યાવધિ અપ્રકાશિત) સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં રચાયેલી કેટલીક કૃતિઓ અહીં એમને સ્મરણાંજલિ રૂપે પ્રસ્તુત થઈ રહી છે.
અહીં રજૂ થઈ રહેલી કૃતિઓમાં સૌથી પુરાણી કૃતિ જ્ઞાનચંદ્રની છે. વસન્તતિલકા છન્દમાં નિબદ્ધ આ સંસ્કૃત ડિશિકાને સંગ્રહકારે (વા લિપિકારે) “ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન” એવું શીર્ષક આપ્યું છે, જે કૃતિની અંદરની વસ્તુને લક્ષમાં રાખીને અપાયું હોય તેમ લાગે છે, પણ મૂળ કર્તાને તે “ઉજજ્યન્તગિરિતીર્થ સ્તોત્ર” વા “રેવતગિરિતીથ–સ્તોત્ર” અભિપ્રેત હોય તેમ લાગે છે. પ્રાન્ત પદ્યમાં રચયિતાએ પોતાનું “જ્ઞાનેન્દુ” અભિધાન પ્રકટ કરેલું છે; પણ પિતાના ગ૭ કે પરંપરા વિશે કંઈ જણાવ્યું નથી. સ્તોત્રમાં મંત્રીશ્વર વસ્તુપાલ અને મંત્રી બધુ તેજપાલે ગિરિ પર નિર્માણ કરાવેલ કપનો ઉલ્લેખ હેઈ કર્તા ઈ. સ. ૧૨૩૨-૧૨૩૪ બાદ જ લખી રહ્યા હોવાનું સૂનિશ્ચિત છે.
પણ બે જ્ઞાનચંદ્ર જાણમાં છે. એક તે રાજગછીય વાટીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરામાં થઈ ગયેલા અમરપ્રભસૂરિના શિષ્ય, જેમણે સં. ૧૩૭૮-ઈ. સ. ૧૩૨૨માં અબુંદગિરિ પર દેલવાડાની વિશ્વ વિખ્યાત વિમલવસહીમાં ભંગ પશ્ચાત પુનઃપ્રતિષ્ઠા કરેલી.' બીજા તે પર્ણમિક ગુણચન્દ્રસૂરિ શિષ્ય, જેમણે હર્ષપુરીયગરછને રાજશેખરસૂરિની રત્નાવતારિકા પર પ્રસ્તુત સૂરિના અનુરોધથી ટીપ્પન રચેલું. આ બીજ પં. જ્ઞાનચન્દ્રને સમય આથી ઈસવીસનના ૧૪મા શતકના મધ્યમાં પડે છે, અને એ કારણસર તેઓ રાજગચ્છીય જ્ઞાનચન્દ્રથી એક પેઢી પાછળ થયેલા. આમ નજીકના સમયમાં થઈ ગયેલા આ બે જ્ઞાનચન્દ્રોમાંથી સાંપ્રત સ્તોત્ર કેની રચના હશે તે વિશે આમ તે નિર્ણય કરે કઠણ છે, પણ દેલવાડાની સં. ૧૩૭૮ની વિમલવસહી પ્રશસ્તિમાં વચ્ચે વચ્ચે પ્રયોજિત વસન્તતિલકા પઘોના છોલય તેમ જ શૈલી-પરાગને ધ્યાનમાં રાખતાં ચર્ચા હેઠળનું રેવતગિરિ-સ્તોત્ર આ રાજગછીય જ્ઞાનચન્દ્રની, અને એથી ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫ના અરસાની રચના હેઈ શકે.
કૃતિનું સંપ્રતિ સંપાદન પ્રથમ સંપાદકે ઘણાં વર્ષો પહેલાં એક જૂની પ્રત પરથી ઉતારી લીધેલ પાના પરથી કર્યું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા એવં સંસ્કૃત ભાષા-વિશારદ શ્રીકૃષ્ણદેવે એને લક્ષપૂર્વક તપાસી લિપિકારે દાખલ કરેલા અક્ષર અને વ્યાકરણ દેષને નિવાર્યા છે અને કઈક કોઈક સ્થળે અક્ષર ઊડી જવાથી થયેલ છન્દોભંગ દૂર કર્યો છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતતીર્થ સ્તોત્ર સ્તોત્ર ઉજજ્યન્ત મહાતીર્થ અનુલક્ષિત હેઈ તેમાં સ્વાભાવિક જ તીથનાયક જિન અરિષ્ટ નેમિને પ્રધાનતા અપાઈ છે; એમને તથા રૈવતગિરિને મહિમા પ્રારંભનાં પાંચ પઘોમાં કહ્યો છે. તે પછી વાભદમંત્રી કારિત, ગિરનાર પર ચઢવાની પદ્યા (પાજા) વિશે આલંકારિક કહી, ક્રમશઃ ગિરિસ્થિત અર્ચનીય સ્થાને ને ઉલેખ કર્યો છે. જેમાં (કાશ્મીરના) શ્રેષ્ઠી રત્ન તથા મદન દ્વારા (અમ્બિકાના પ્રસાદથી) મળેલ નૂતન બિંબની પ્રતિષ્ઠા (ઈ. સ. ૯૩૪), તથા સજજન મંત્રી દ્વારા પુનર્ધારિત (ઈ. સ. ૧૧૨૯) નેમિનાથના પુરાણપ્રસિદ્ધ મૂળ મંદિર અતિરિક્ત (મંત્રી તેજપાલકારિત) “કલ્યાણત્રય” જિનાલય (આ. ઈ. સ. ૧૨૩૪), (દેપાલ મંત્રી કારિત) દેવેન્દ્ર મડ઼૫ (ઈ. સ. ૧૨૩૨) અને સમી પવતી રહેલ પુનિત પ્રાચીન ગજેન્દ્રપાદકુડ, સચિવેશ્વર વસ્તુપાલે કરાવેલ સમેતશિલ અને અષ્ટાપદની રચના સહિત આદિનાથને “વસ્તુપાલ વિહાર” (ઈ.સ. ૧૨૩૨), રાજીમતિની ગુફા, અમ્બાશિખરસ્થિત ગિરનાર-અધિષ્ઠાત્રી યક્ષ અમ્બિકા, અને અમ્બા શિખર પછીનાં અવલોકનાદિ શિખરો, સહસ્ત્રસહકારવન (સહસ્સામ્રવન, સેસાવન), તેમ જ લાખારામ એમ તે સ્થાને માં પ્રતિષ્ઠિત નેમિજિનની ચરણ–પાદુકાઓને વંદન દઈ, સ્તોત્રની સમાપ્તિ કરી છે.
સ્તોત્રકારને આ રચના બે અનિવાર્ય મર્યાદાઓ વચ્ચે રહીને કરવી પડી છે. એમનું ધ્યેય એને ચૈત્યપરિપાટી રૂપે રજૂ કરવાનું હોઈ તેમાં પૌરાણિક-ઐતિહાસિક વ્યક્તિઓનાં, તેમ જ તીર્થાશ્રિત મન્દિરાદિ રચનાઓનાં વિશેષ નામે છેડી શકાય તેમ નહોતું. વસ્તુતયા તેની પ્રધાનતા રહે છે. બીજી બાજુ તેઓ મધ્યયુગના મુખ્ય ભાગની સમાપ્તિ પશ્ચાત થયા છે. આથી એમનું કવિતા-સામર્થ્ય અને ભાષાનું આભિજાત્ય અગાઉના કર્તાઓ જેવું હોવાને સંભવ ઓછો છે; અને છતાંય જ્ઞાનચન્દ્ર આ બને મર્યાદાઓ પાર કરી સ્તોત્રને એક સફળ સજન રૂપે ઘડી શકયા છે. સાધારણતયા કવિતામાં વિવિધ વર્ણ યુક્ત વિશેષનામોની ઉપસ્થિતિ એને આકારને અસુષ્ક બનાવે છે; અને પશ્ચાત કાળની કૃતિઓમાં સામાન્યતઃ ગિરાવૈભવ અને કલ્પકતાને સાવ અભાવ નહીં તોયે એકંદર સંગુષ્કનમાં ઘણી વાર અદેદરાપણું વરતાય છે; જ્યારે અહીં તે સારુંયે સ્તોત્ર સુલલિત પદાવલિથી સુશૃંખલ બની ઋજગતિએ વહેતું લાગે છે; ને સાથે જ પદોમાં ચાતુરી અને સુરુચિ સમતોલ પ્રમાણમાં વણાયેલાં રખાય છે. તો બીજી બાજ અલંકારને અકારણ પ્રોગ, વસ્તુ-નિરૂપણમાં વૃથા વિસ્તાર કે હાશિયારીનાં પ્રદર્શનથી મુક્ત રહ્યાં છે. સમગ્ર રચના આથી અથપૂર્ણ બનવા ઉપરાંત સુચારુ, ભાવવાહી, સુઘટિત અને વ્યવસ્થિત બની શકી છે. આટલા ગુણ ધરાવતી હોવા છતાં એને અસાધારણ રચના તે કહી શકાય નહીં; તોપણ તે સરસ અને કર્ણ પેશલ જરૂર બની છે.
ચૌદમા શતકમાં થયેલા કવિ જ્ઞાનચન્દ્રની કાવ્યસૂઝ અને આવડત વિશે પ્રસ્તુત સ્તોત્રથી સહેજે જ ઊચો ખયાલ બંધાય છે; અને તેમની આ કાવ્યકતિ ઉત્તર મધ્યકાળના પ્રારંભની ઉત્તમ જૈન સ્તકાત્મક રચનાઓમાં સ્થાન લઈ શકે તેમ છે.
પાદટીપો ૧. મુનિરાજ શ્રી જયન્તવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જન-લેખસંદેહ, (આબૂ-ભાગ બીજે),
શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પૃ.૪૦, ઉજજૈન વિ. સં. ૧૯૯૪ ઈ. સ. ૧૯૩૮, લેખાંક ૧, પૃ. ૭. ૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા
૬૪૨, પૃ. ૪૩૭. ૩. રાજશેખર સૂરિના પ્રબન્ધકોશની મિતિ સં. ૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯ છે; અને તેમણે મુનિભદ્રનું
સંશોધન સં. ૧૪૧૦ ઈ. સ. ૧૩૫૪માં કર્યું છે. (દેશાઈ એજન). આથી પૌણિમાગછના સમકાલિક જ્ઞાનચન્દ્રને પણ એ જ સરાસરી સમય ગણાય.
Page #3
--------------------------------------------------------------------------
________________
श्रीरैवतगिरितीर्थ-स्तोत्रम् सौराष्ट्र-राष्ट्र-वसुधा-वनिता-किरीट
____ कल्पोजयन्तगिरि-मौलि-मणीयमान । नेमीश्वर जिनवर प्रयतः प्रणौमि
सौभाग्य-सौरभ-सुभावित-विश्वविश्वम् ।।१।। स्वामिन् स्मर प्रसरथ स्मरकान्धकार
प्रत्यूष भास्कर सुरासुर-सेव्यपादः । श्रीरैवताचल सदोदित विश्वदीप
ज्जयोर्तिमय प्रशमयामयम तरं नः ॥२॥ दुःकर्म शर्म मिदुर गलित ममाद्य
प्रोद्यन्मनोरथ-तरुः फलितश्च सद्यः । मानुष्य-जन्मदुरवाप्यमभूत्कृतार्थ
यल्लाघवी क्षणपथ त्वमुपागतोसि ॥३॥ श्रीनेमि-निष्क्रमण-केवल-मोक्षरूप
__कल्याण[क]त्रय-पवित्रित-भूमिभागं । तीर्थाधिराजमभिषिंचतियत्तडित्वात्
तत्सर्पि गर्जित महोर्जित तूर्य रायः ॥४॥ राजीमती बल सनातन सौख्यलक्ष्मी ।
सांगत्य गौरवमहो! गभिता जितेश । विश्वत्रयी प्रभवता भवता तथापि
त्यक्ते त्यजायत मुधैव जनः प्रघोषः ॥५॥ पद्यामीवाद्य दलिती किल सिद्धिसौध
सोपान-पद्धतिमिवेहसदाधिरोहन् । भव्या जनः स्मरति वाग्भटदेवम त्रि
राजन्य नेमि जिन यात्रक धर्मबन्धाः ॥६॥ आतीय कांचनबलानक तोऽम्बिकाया
___ स्तोष्येन रत्नमयबिंबमनयमेतत् । रत्नः पुरोहित निवेशितमुद्दधार
तीर्थ भवाब्धि-पतयालुमिवजीवम् ॥७॥ चैत्यं चिरंतनमिदमदनोद्दधार
___ श्रीसज्जनः सुकृतसज्जनसज्जधयः । सौवर्ण-कुभ-मणि-तोरण-रत्नदीप
यदैवताद्रि-कटके पटकायतीव ॥८॥
Page #4
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરંવતતીર્થ સ્તોત્ર रत्नानि तान्यपि चतुर्दश यत्पुरस्ता न्नूनंजगत्तृणमुलापति न स्पृशति / विश्वैकरत्न भवता तवतात्मजेन मन्ये समुद्रविजयेन जितः समुद्रः // 9 // माहात्म्यस्य भणितु भुवनातिशायि श्रीरेवतस्य न तु वागधिपः किमीशः / नेमीश्वरस्य विजिनांतर वैरिणोपि प्रेयानभूत् समवसृत्यणुबंधतो यः // 10 // कल्याणकत्रयजिनालय भूत्रयेपि नेमिं नमामि चतुराननस जनाभ। देवेन्द्रमण्डप जिनानथ दिव्य कुण्ड दौर्गत्यतापमलहारि गजेन्द्रपाद // 11 / / शत्रुअयाभिध गिरीश कृतावतार _श्रीवस्तुपालसचिवेशविहारसार / सम्मेतचैत्य भवनेन युगादिदेव मष्टापदेन च निविष्टमह नमामि // 12 // राजीमती किल स निर्झर कन्दराया मणि नेमि-विरहादि-वशो चयन्ती / अम्बेव यात्रकजने दुरितापहन्त्री दिव्यांबका जयति कामित-कामधेनु // 13 // व देऽवलोकशिखरे तमरिष्टनेमि वैषम्यमाक् शिखरशेखरतामितौ तौ / प्रद्युम्न शाम्ब मुनिकेवलिनो दिशंता वुच्चैर्महोदयपद तु यथा तथेति // 14 // श्रीमान् सहस्रसहकारवनेन लक्षा -रामेण नेमिपदपंकज-पावितेन / तीर्थात्मकः शुचिरयां क्षितिभृत्समन्तात् जीयान्निशास्वपि सदोषधिदीपदीप्तः / / 15 / / ज्ञानेन्दु रुग्विदित वैद्यसुरेन्द्र वन्य विश्वाभिन द्य यदुन'दन सम्मदेत / स्तोत्रं पठन्निदमनन्यमनाः सुतीर्थ ___ यात्राफल' शुभमतिल भते स्थितोऽपि // 16 // इति श्रीगिरनारचैत्यपरिपाटीस्तवनम् विहितं श्रीज्ञानचंद्रसूरिभिः /