Page #1
--------------------------------------------------------------------------
________________
ગિરનાર ચૈત્ય પ્રવાડિ વિનતિ
સં, વિધાત્રી વોરા કર્તાના નામનિર્દેશ વગરની આ ચૈત્ય પરિપાટી આ પહેલાં જે “ગિરનાર ચેર પ્રવાડી' જોઈ ગયા એને કેટલેક અંશ મળતી આવે છે, તેમજ ઐતિહાસિક માહિતી પણ ઘટાડે છે. પરંતુ વિશેષમાં પ્રસ્તુત રચના એક સુંદર કાવ્યકૃતિ પણ છે. કવિનું અનુભાવન-સંવેદન આગળની કૃતિ કરતાં ગાઢ લાગે છે. અને અભિવ્યક્તિ પણ તદનુરૂપ રોચક અને ભાવવાહી છે.
આ પહેલાં ચચી એ કૃતિ માત્ર પ્રાસંગિક તથ્યલક્ષી જ છે. આ મૂળગત ભેદ, બને કૃતિઓ એક પછી એક જોઈ જતાં સહજ રીતે વરતાય છે. બંનેને કાવ્ય ઢાંચે જ એવી રીતને છે. પહેલી પરિપાટીને આરંભ સીધેસીધો યાત્રાવર્ણન રૂપે જ છે, જ્યારે આ તીર્થ વંદનામાં તે કવિ સખીને ઉબધી ચૈત્યપ્રવાડી ગાઈ સંભળાવે છે. અને ખરેખર સારીએ રચના ગેય અને રક્તિપૂર્ણ હોવાને અનુભવ થાય છે.
ગિરનાર પરના અને નીચે જૂનાગઢ અને અન્ય યાત્રાનુષગિક સ્થાનોને માટે બને કાવ્યોમાં લગભગ સમાન કહી શકાય એવા ઉલ્લેખ છે. જો કે એકમાં એક વાત વિશેષ છે, બીજામાં બીજી આખરે એક જ તય વિષે કહેવાનું હોઈ, વિષય એક જ હેઈ, સમાનતા સામાન્ય રીતે સંભવી શકે છે. આ વાત કાવ્યનું કથાવસ્તુ તપાસતાં સ્પષ્ટ બની રહેશે.
આરંભમાં સરસ્વતીની સ્તુતિ કરીને કવિ ગિરનારમંડન, યાદવવંશવિભૂષણ નેમિનાથનાં ગુણ ગાય છે. કવિ સખીને સંબોધીને કહે છે, “સખિ, ગિરનાર ઉપર જઈએ અને જન્મનું સાફલ્ય લઈએ, (વળા) ત્યા ચતુર્વિધ સંધના મેળાપ થતાં બેવડે લાભ મળે.' એમ તીર્થમાળાનું પ્રવેશ પદ ઉચ્ચારે છે.
યાત્રા “મંગલપુર” (માંગરોળ)થી શરૂ કરે છે, ત્યાં પાર્શ્વનાથને પ્રણમી, “વણથલી (વંથળી)માં સોળમા તીર્થંકરના દર્શને આવે છે. આ કવિ સ્થૂળ દષ્ટિ રાખી યાત્રાએ નથી નીકળ્યા, પણ ક૯પનાવિહાર કરતા હોય એમ લાગે છે. વ થળીથી “તેજલપુર' (ઉપરકોટની નીચ)માં પાર્શ્વનાથને નમે છે.
ત્યાં કોઈ તળાવના ઉલ્લેખ કરે છે, જે તેજપાળ કારિત 'કેમરસર' જ હોવું જોઈએ.– હવે જુનાગઢમાં (ઉપરકેટમા) પ્રવેશ કરી ત્યાં મહાવીર અને આદિનાથનું પૂજન કરે છે. તે પછી સોવનરેખ સોનરેખ) નદીને ઉલલેખ કરી, “દામોદર વાટ પકડે છે; ત્યા ડાબી બાજ “કાલમેધ ક્ષેત્રપાલના મંદિરનું નિર્દેશ કરી, નજીકમાં રહેલા દાદરના ઘાટ વસ્તુપાળ મંત્રાએ બ વાવ્યાનું જણાવે છે. દામોદરથી ગિરનારની પાજ સુધીના માર્ગનું રોચક વર્ણન કરે છે. ત્યાં દેખાતા નિસર્ગનાં દશ્યોના સો દર્યનું વર્ણન કરતાં કવિ રસપ્રવણ બની, સખીને કહે છે કે કોઈ પ્રણયી યુગલ એ માર્ગે જતાં જરા વિશ્રામ લેવાને વિચાર કરે છે, પણ પ્રેયસ માનતો નથી. એમ સાંસારિક ભાદ્રકમાં બેડું આવી જઈ, ગિરનારની પાજ સુધી આવી રહેતાં, કવિ પાકના ઉલ્લેખ સાથે જ એના બનાવનાર બાહડદે (વાગભટ મંત્રી)ને ધન્યવાદ આપી દે છે. પર્વતનાં ચઢાણ સાથે સાથે કર્મો ખપતાં જાય છે, એમ કહી સીધા જ કેટ સુધી આવી પહોંચે છે. પરંતુ એ પહેલાં માર્ગની પ્રાકૃતિક અદ્દભુતતાનું સંવેદના કવિ અનુભવે છે તેનું મને હર વર્ણન કરે છે. કેટના દરવાજાથી ખડકી બંધ માર્ગ વટાવતાં (મિજિનના) મૂળ ગભારે પ્રવેશતાં જ મંદિરમાંથી આવતી સુવાસિત દ્રવ્યની દિવ્ય સુગંધને
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ગિરનાર ચૈત્ય પ્રવાડિ વિનંતિ નિર્દેશ કરી, મંદિરમાં ‘નેમિનાથ’તે પ્રણમે છે. એ પછી ઇંદ્રમ`ડપ'માંથી પસાર થઈ, ‘ગુજપાદ કુંડમાં સ્નાન કરી, કવિ પૂજનવિધિ વર્ણવે છે. ખેતર બિંબ અને અષ્ટાપદ'ના આર્ડ બિંબનુ પૂજન કરે છે. આમ ક્રમે ક્રમે ‘શત્રુંજયાવતાર આદીશ્વર', ‘અષ્ટાપદ', સમેત શિખર'ના દેવા, મરુદેવ અને ‘કવડીલ યક્ષ' (કપદી યક્ષ) તેમજ ‘નૈમિનાથ'ના કલ્યાણુત્રય' મંદિરમાં દર્શન કરી, રથનેમિ-રાજીમતીના મંદિરાની મુલાકાત લઈ, અંબાજીની ટ્રેક સુધી પહેાંચી જાય છે. પછી અવલાકન શિખર', અને ‘શાસ્થ્યપ્રદ્યુમ્ન'ને નમી, ‘હેમખલાનક' બિંબને જુહારે છે. ત્યાંથી ટાઈ કવિ સહસારામ’ (શેષાવન), ‘લાખારામ’, ‘ચંદબિંદુ’ (ચંદ્રગુફા), સહસ્રબિન્દુ ગુડ્ડા; સાતપુડા અને કાળકા (?)) ગુફામાં નમસ્કાર કરી, ચૈત્યપ્રવાડી પૂર્ણ કરે છે. આ સિવાય ખીજા' નહિ નિર્દે શાયેલાં અનેક સ્થાનક અને ‘છત્રશિલા’ (ભૈરવ જપ?))ને પણ ઉલ્લેખ કરે છે.
આ પ્રમાણે કવિ સખીને પૂરી ચૈત્યપ્રવાડી ગાઈ સંભળાવે છે. કવિ ભાવિક છે, માટે પૂજાવિધિના વર્ણનમાં ખાસી કડી શકે છે, (૧૫ થી ૨૧) કવિ હૃદય પ્રકૃતિનુ ચેતેાહર સૌ દ નીરખી રોમાંચિત થઈ પહેલી ૮ કડી તે! તેનુ વધ્યુંન ગાવામાં રોકે છે. આમ પરિપાટીનેા અŕભાગ કાવ્ય વ્યંજના માટે રાખી, શેષ ભાગમાં ઐતિહાસિક માહિતી આપે છે. ને ત્યાં પણ કવિની કાવ્યકળા તા છતી થતી રહે જ છે. (૬ઠ્ઠી કડીના પૂર્વાધ નથી.)
આગલી ‘ગિરનાર ચેત્ત પરિપાટી'માં નથી આપ્યા એવા, માઁગલપુરના પાનાથ, વંથલીના શાંતિજિન, દામેાદરના ધાટ વસ્તુપાળે બધાવ્યાના ઉલ્લેખ, હેમબલાનક (કાંચન મલાણુ), છત્રશિલાના ઉલ્લેખા, ઇત્યાદિ આ કૃતિમાં મળે છે.
આ રચના જે પ્રતિમાંથી મળા છે અને લેખન સવત સત્તરમા શતકને લાગે છે. પ્રતિ લા.દ.ભા,સ', વિદ્યામ`દિરમાંથી પુણ્યવિજયજી સંગ્રહની (ન.. ૮૨૮૫) છે. પ્રતિ પરિમાણ ૨૬.૪× ૧૧.૧ સે. મિ; પંક્તિ ૧૪; અક્ષર ૪૮ (દરેક પત્રમાં સરાસરી) છે. કાવ્યની ભાષા પણ આગલી કૃતિ ‘ગિરનાર ચેત્ત પ્રવાડી' કરતાં ઘેાડી પાછાતરા સમયની છે. વ્રજભાષાના કવિ જેવુ... પદલાલિત્ય પણ છે. ગિરિસ્થ સ્થાને માટેની ઐતિહાસિક વિગતાની ચર્ચા આગલી કૃતિ વખતે કરેલી છે, એટલે અહી' તે પર વિશેષ ચર્ચા અનાવશ્યક બની રહે છે. કૃતિ રથનૈમિનુ` મ`દિર બંધાઈ ગયા પછીની છે અને એથી ૧૫મા શતકના દ્વિતીય ચરણમાં કયારેક રચાઈ હશે.
પાટીપ
૧. રત્નશેખરસૂરિશિષ્ય કૃત 'ગિરનાર તીર્થં માળા’ – (ક. ૧૪), પ્રાચીન તીર્થમાળા ભા ૧, ભાવનગર, વિ. સં. ૧૯૭૮,
૨. હેમહંસ કૃત ‘ગિરનાર ચૈત્યપરિપાટી' (ક. ૩૦-૩૪), સ`, ૫, ખેચરદાસ દેશી, અમદાવાદ વિ. સ’, ૧૯૭૮ પુરાતત્ત્વ ભા. ૧ (પૃ. ૨૯૩).
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી ગિરનાર ચૈત્યપ્રવાડિ વિનતિ
સરસતિ સામિણ વીનવું માગઉ એક પસાઉ ગિરનારહ ગિરિમંડણુઉ ગાસિઊં યાદવરાઉ ॥ ૧ ખિ, ઊજિગિરિવર જાઇએ એ, ફૂલ લીજઇ ઇણુ સંસારિ ચવિહુ સંઘ મેલાવડઉ ચડઉ ગઢ ગિરનાર
—સખિ૰
આંકિણી છ
મંગલપુર મહિમા ઘણ”, પણમઉ પાસ જિણુંદ સંતિજિજ્ઞેસર સેલમ, વણુથલી વીરજિષ્ણુ દ અમરિતતઉ અધિકેરડઊ', જલનિર્મલ ભરિ* તલાવ તેજલપુર પહ પણમીઇ, પાસનાડુ સકલાવ ગઢજૂન જિગ જાણીઇ, જાણે ગિરિકલાશ વીર-આદિ પૂછ તિહાં જિષ્ણુ, તિહુઁયણિ પૂરઇ આસ સેાવનરેખ નદી વહેઇ, દામેાદર તીર વાટ કાલમેઘ ડાખઈ અછઈ, વસ્તુપાલ આ ઘાટ
-સખિ॰
સખિ૦
-સખિ
—સખિ૰
—સખિ
આંબા જાબૂ આંખલી, ખીજઊરી બહુરંગ મારિગ વનરાજી ઘણી, ખડૂલી દીસઇ છાહુ એક ભણુઇ ઇહા ખઇસી, પણ પ્રેમિ ન મૂકઈ બાહુ —સખિ॰ માર મધુર કી ગારડા, કોઇલ સલલિત-સાદ
પરખત પાણી ઊતરÛ, નીઝરણે નીર નિનાદ
—સખિ॰
~સખિ॰
હવ પદ્ધિ પરવ દેખીઇ, દેખીઇ જન—વિશ્રામ પાજઇ ચડતાં સાહિલૂ, ધન માહડદે તુમ્હેં નામ —સ॰િ ખીજી ત્રીજી તર્ક વલી, વલી ગયા સિવ કર્મ તાઢ વાઉ તિ વાઇઉ, ટલઇ શરીરદ્ધિ શર્મ ખડકી એ વલી કરી, સૂયકારા િચઉથી પર્વ પાલિ પ્રવેસિદ્ધિ પુહવીઇ, મેલ્હી મનના ગર્વ દેઉલ દીઠઉ દેવન, જાણે સ્વર્ગ–વિમાન અમીય રસાયણ ઊજલૂ', અહિવા પુણ્ય-નિધાન ત્રન્તિ પ્રદક્ષણ પરિકરી, હરી દુરી સિવ પાપ મૂલિ ગભારઇ આવીયા, દુખડુ ટાલિય વ્યાપ
—સખિ॰
—સખિ
—સખિ॰
ર
૩
૪
૫
७
.
રે
૯
૧૦
૧૧
૧૨
૧૩
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ગિરનાર ચૈત્યપ્રવાડી
-સખિ૰ ૧૪
—ખિ॰ ૧૬
સખિ॰ ૧૭
કઇ કસતૂરી વજ્ર મઈ કઈ કલપતરક? સામલવન્ત સોહામણુઉ, પણમિય નયણાણુંદ ઇંદ્રમ‘ડપ માહિ થઇ ગજપતિ કુંડિ સનાન નિર્મલ ધેાતિ સુપહિરઇ, માગત-જન દીજઈ દાન —સખિ॰ ૧૫ કલસભરી સેાવન–મઇ, નીર નિાપમ ગંગ ઉત્સર્વિસિઉ સંધિ સહી, નેમીસર ભૂયણ રંગ કુસમ`જલિ વિધિ સાચવી, સનપન સામિ સરીર આદરિ અંગ વિભૂRsિઇ, પાવિત્ત હૂઇ શરીર ખાવિને ચંદન ચરચીઇ, અરચઇ કુશમહે માલ પૂજ રચી મન ભાવતી, ગુણ ગાઇ વર બાલ ચાખા આખે અતિ ઘણા, લફાલ પકવાન સાલિ દાલિ દ્યુત સાલણા, ઢોઇ વસ્તુ પ્રધાન ખેલા નાચઇ ખ'તિસિઉ, અંગિદ્ધિ રંગ અપાર પુણ્યડુ પાર ન પામઇ, ધ્વજ આરેાષિય સાર આરતી આરતિ હરઇ, મ'ગલદીપકમાલ જે ભવીયણ ભાવિ કરઇ, પ્રતપઇ તે ચિરકાલ પખે[] ખલી પૂજતાં, પૂજઈ ન(ને)હુ જગીસ પાઊમ’ડિપે પાદુકા, સતરિસઉ જગદીસ જગતિ જગતિસઊ' જોઇઇ, બહુતરિ દેહરી કિંમ આઠ તીથ'કર આગલા, તે પૂજ અવિલંખ
—સમિ૦
—સખિ૦
—ખિ॰ २०
~~સખિ॰
—સખિ૦
-સખિ૦
~~~ સખિ॰
-~સખિ॰
અભિનવ સેત્તુજ અવતરિ, આદિલ પૂય પાય અષ્ટાપદ સમેતિ સિગ, મરુદેવ કડિલ રાય કલ્યાત્ત [કલ્યાણત્રય] નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિહરૂપે નેમિ પૂઇ સફલ હૂઇ સંસારિ રાજીમતી રહનેમિસિ', અભિક આગઇ ત્રુગિ ફૂલનાલીયરે ભેટીઇ, પૂરઇ મનના રંગ અવલેાણા સિદ્ધિરિ નમી, સામિપજૂનકુમાર હેમ બલાણુઇ બિંબ અઇ, જિષ્ણુવર તીઠુ જુહારુ —સખિ॰ સહુસારામ સરૂપડું, હું લાખારામ
ચંદ્રબિંદુ શુક્ જિન નમૂ', છત્રસિલાઇ પ્રમાણુ રૂડાં થાનક છે ઘણા, ગુણણા નહી મશ્ત્ર પાડિ મનસિદ્ધિ માલ્હી કરી, કીધીય ચૈત્ય-પ્રવાડિ
૧૮
૧૯
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
—સખિ ૨૬
૨૭
—સખિ૰ ૨૮
—સંખ॰
૨૯
Page #5
--------------------------------------------------------------------------
________________ 145 સં. વિધાત્રી વોરા પુનરપિમણિ ઊલટી સહી, નેમીસર પ્રાસાદિ મનહ માહિ ઈમ માનીઉં, છતઉ જગિ જયવાદિ –સખિ૦ 30 યાદવરાય નમી વલી, તીરથપતિ ઉદયવંત વલી વિશેષિ જોઈઈ, ગુડ ન લાભઈ અંત –સખિ૦ 31 ત્ય ગુરુ બંધવ તાય તું, તૂ પરમખ પર દેવ મેં સેવક કરુણા કરી, પાતલિ દેજે વાસ –સખિ૦ 32 તીરથભાલા જેઉ ભણુઈ, ગુણઈ સદા સવિચારુ અલિય વિઘન દૂરિ પુલઈ, પામઈ સુકખ ભંડાર –સખિ૦ 33 ઇતિ શ્રી ગિરનાર ચૈત્યપ્રવાડી વિનતી