Page #1
--------------------------------------------------------------------------
________________
ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિ મા લે છે*
કાંતિલાલ ફૂલચંદ સોમપુરા નવનીતલાલ આનંદીલાલ આચાર્ય
ઘોઘા ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે આવેલું પ્રાચીન બંદર છે. ભાવનગર વસ્યું એ પહેલાંનું એ છે.
* ભાવનગરથી તે ૨૨૪ કિ.મી. દૂર આવેલું છે. પ્રાચીન સમયથી જ ઘોઘામાં જૈનોની વસતિ સારા પ્રમાણમાં હતી. જેનોની પ્રાચીન જાહોજલાલીના પ્રતીકરૂપ ત્રણ વિશાળ જૈન મંદિરોનવખંડા પાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ તથા જીરાવાલા પાર્શ્વનાથ–ત્યાં આવેલાં છે. તેમાં નવખંડ પાર્શ્વનાથનું મંદિર સુવિખ્યાત છે. તેના વિશાળ પ્રાંગણમાં નેમિનાથ, સમવસરણ, સુવિધિનાથ તથા શાંતિનાથનાં મંદિરો આવેલાં છે.
આ લેખોમાંની વિગતોની તારવણી કરી તીર્થકરોનાં, સૂરિઓનાં, ગોનાં, જ્ઞાતિઓ અને અટકોનાં, સ્થળોનાં તથા સ્ત્રીપુરુષોનાં નામની સૂચિઓ લેખમાં આપેલી છે. તે ઉપરથી ઈસુની ૧૩મી સદીમાં ઘોઘાના જૈન સમાજના પ્રવર્તમાન ગચ્છો, જ્ઞાતિઓ, અટકો વિશે માહિતી મળી શકે છે. વળી, આ સમયથી જ બહુધા પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રત્યેનો સવિશેષ ભાવ પણ પ્રકટ થતો વરતાય છે. ગુજરાતમાં મુખ્યત્વે આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર પ્રત્યે સવિશેષ ભક્તિભાવ પહેલેથી જ હોવાનું આ લેખો પરથી સૂચિત થાય છે. વળી, ઘણાખરા લેખોમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરાવનાર સૂરિનું નામ છે, જે તેમનો સમયનિર્ણય કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. લેખોના સમય દરમ્યાન
ઘોઘાનો જૈન પ્રતિમાનિધિ' એ શીર્ષક નીચે શ્રી મધુસૂદન ઢાંકી તથા શ્રી હરિશંકર પ્ર. શાસ્ત્રીએ એક ટૂંકો પરિચયલેખ પ્રકટ કર્યો હતો (ફાર્બસ ગુજરાતી વૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૬૫). ઘોઘાની ઉપર્યુકત પ્રતિમાઓ પર ઉકીર્ણ લેખોની વાચના અને શ્રી ઢાંકીએ મોકલી આપી છે તે માટે અમે શ્રી ઢાંકી તેમ જ ગુજરાત સરકારના પુરાતત્ત્વ ખાતાના ઋણી છીએ. પ્રસ્તુત લેખોમાં ઉપર્યુક્ત પ્રતિમાલેખોના આધારે ઉપલબ્ધ વિસ્તૃત માહિતી રજૂ કરી છે,
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૧૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ ઘોઘાના જૈન સમાજમાં શ્રીમાલી અને મોઢ જ્ઞાતિનાં પ્રાબલ્ય અને વૃદ્ધિ હશે તેમ લાગે છે. થળનામમાં એક જ નામ “વિઘરાજપુર’નો ઉલ્લેખ મળ્યો છે, પણ આ સ્થળ ઓળખાતું નથી.
પ્રસ્તુત અઢાર પ્રતિમાલેખો નીચે પ્રમાણે છે : (૧) સંવત ૧૨૭૬ વર્ષે શ્રી બ(ા )ણગ છે માઘ વદિ ૯. (૨) સંવત ૧૨૭૯ વર્ષે ૪ વદિ ૩ શ્રી વાયટીયગચ્છ શ્રી જિનદત્તસૂરિસતાને વિશ્વરાજપુર વીલૂણ(ત)
માતૃ રાજૂ શ્રેયોર્થ શ્રી આદિનાથ કારિતઃ | (૩) સંવત ૧૨૯૬ મોઢ જ્ઞાતીય જાયોધરગથ્વીય રાજસીહેન(પિ) નાગપાલ રાણુ શ્રેયોડર્થ નેમિનાથ
બિંબ કારિત છે પ્રતિષત જાલ્યોધરગચ્છ દેવસૂરિશિષ્ય શ્રી હરિભદ્રસૂરિભિઃ | (૪) સંવત ૧૨૯૬ માઘ સુદિ ૧૧ શ્રીમાલજ્ઞાતીય શ્રેઠ પાસેનસુતા વાવિણિ શ્રેયાર્થે શ્રી રિષભદેવા
બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી રત્ન(વ)તસૂરિભિઃ. (૫) સંવત ૧૨૯૭ વર્ષે ચૈત્ર વદિ ૫ ભોમ મહા કાકલ......સીસીહ સહિતેન પિતૃ.....બિ.....
કારિત પ્રતિષ્ઠિત શ્રી દેવસૂરિશિષ્ય પ્ર....સૂરિભિઃ | (૬) સંવત ૧૨૯૮ વર્ષે વૈશાખ સુદિ ૪ શની શ્રેટ દેકપુત્રી માદકારણ (પિ) તા શ્રી દેવ મહાવીર......
બિંબ વાયડગ છે પ્રતિષ્ઠિત શ્રી છવદેવસરિભિઃ || (૭) સંવત ૧૩૦૫ આષાઢ સુદિ ૧૦ શ્રી કષભનાથ પ્રતિમા શ્રી જિન..તિ સૂરિ શિષ્યઃ
શ્રી જિનેસર સૂરિભિઃ પ્રતિષ્ટિતા સા....શ્રાવકેણ કારિતાઃ | (૮) સંવત ૧૩૦૫ અષાઢ સુદિ ૧૦ શ્રી ઋષભનાથ પ્રતિમા શ્રી જિન...તિસૂરિશિષ્ય
શ્રી જિનસરસૂરિભિઃ પ્રતિષ્ઠિતા સા...(લૌ) લૂ શ્રી વકણકારિતા | (૯) સંવત ૧૩૧૧ શ્રી શ્રીમાલય છે. જયતાસુત આસલેન સ્વભાર્યા માતૃરાદેવિ શ્રેયોડર્થ બિબે કારિતઃ
પ્રતિષ્ઠિત શ્રી (સો)મચંદ્ર સૂરિભિઃ | (૧૦) સંવત ૧૩૨૯ વૈ૦ ૦ ૯ શુકે પિતૃ સાંગા માતૃ શ્રી લૂણદેવિ શ્રેયસે રવીભા ભીમાભ્યાં શ્રી આદિનાથ
બિંબ કારિત શ્રી બહચ્છીય શ્રી ગુણાકર સુરિભિઃ પ્રતિષ્ઠિત | (૧૧) સંવત ૧૭૩૩ વૈશાખ વદિ ૫ શ્રીમાલ જ્ઞાતીય છે. સાંગણ સિંગાદેવિ શ્રેયોડર્થ સુત નરસિંહન
શ્રી મહાવીર બિંબ કારિત શ્રી હેમતિલકસૂરિનાં ઉપદેશેન (૧૨) સંવત ૧૩૩૪ વૈશાખ સુદ ૪ સુરેન ઠ૦ ઉક્ષણકેનાકષા......ન હુવંજના શ્રેયસે શ્રી આદિનાથ
બિંબ કારિત પ્રતિષ્ઠિત કનાપલ્લીયે શ્રી નરભદ્રસૂરિભ / (૧૩) સંવત ૧૩૩૪....૫ શન છે. કુંજલ સુટ પાસદેવ સુટ વીરપાલ....ના રતના જ્યતા
વીરપાલ સુઇ પદમસીંહનભાર્યા પતિ પાલ્પણવિ............. (ચં) દેવ શ્રી પારસ્વનાથ
બિંબ કારાપિતઃ || (૧૪) સંવત ૧૩૩૭ વર્ષે વૈશાખ સુદિ ૨ સોમે શ્રી શ્રીમાલ જ્ઞાતીય શ્રે....... શ્રેય....તનયરસિંહ
શ્રી પાર્થસુતે વીરમેન દેવ શ્રી શાંતિનાથ બિબ કારાપત: || (૧૫) વિ. સં. ૧૩૪ો જેક સુદિ ૧૫ લઘુભાતુ ધનપાલ શ્રેયોથે વિજયસિંહેન શ્રી નેમિનાથ બિબ
કારિત પ્રતિષ્ઠિત | (૧૬) સંવત ૧૩૪૪ વર્ષ જેઠ સુ. ૧૦ બુધે લખમસીહેન સહજા ભાર્યા સહજલદેવિ શ્રેયાર્થે
શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત છે. (૧૭) સંવત ૧૩૪૬ ચિત્ર સુદિ ૧ ભમે પિતૃ સમરસિંહ બૃહદભાતૃ સોહડ શ્રેયસે શ્રે રન શ્રી શાંતિનાથ
કારિત પ્રતિષ્ઠિતઃ શ્રી યશોભદ્રસૂરિશિષ્ય શ્રી વિબુધપ્રભસૂરિભિઃ ||
Page #3
--------------------------------------------------------------------------
________________
ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિમાલેખાં : ૧૧૩ (૧૮) સંવત ૧૩૫૯......મોઢ જાતીય ૪૦ દેાકેન ભાત હીરલ પુણ્યાય બિંબં કારિત પ્રતિ શ્રી જાણ્યોધરગચ્છે શ્રી હરિપ્રભસૂરિભિઃ ॥
આ અઢાર લેખો(૧-૧૮)નો સમયપષ્ટ સં૦ ૧૨૭૬(ઈ૦ ૦ ૧૨૨૦)થી સં॰૧૩૫૯ (ઈસ૦ ૧૩૦૩) એટલે કે ૮૩ વર્ષનો છે. આ સમયે ગુજરાતની ગાદી પર સોલંકી રાજાઓ ભીમદેવ ખીજો (લવણુપ્રસાદની મદદ દ્વારા પુનઃ સત્તાપ્રાપ્તિનો સમય ઈ. સ૦ ૧૨૨૫-૧૨૪૨), ત્રિભુવનપાલ (ઈ સ૦ ૧૨૪૨-૧૨૪૪) અને વાઘેલા—સોલંકી વંશના રાજવીઓ હતા. આમ આ સમય દરમ્યાન સોલંકીની મુખ્ય શાખાનો અંત અને ઉપશાખા વાધેલા–સોલંકીનો ઉદય તેમ જ અસ્ત જોવામાં આવે છે.
આ બધા લેખો અનુક્રમે (૧) સં૦ ૧૨૭૬ (ઈ સ૦ ૧૨૨૦); (૨) સં૦ ૧૨૭૯ (ઈ સ૦ ૧૨૨૩); (૩-૪) સં૦ ૧૨૯૬ (ઈ સ૦ ૧૨૪૦); (૫) સં૦ ૧૨૯૭ ( સ૦ ૧૨૪૩); (૬) સં૦ ૧૨૯૮ (ઈ॰ સ૦ ૧૨૪૪); (૭-૮) સં૦ ૧૩૦૫ (ઈ॰ સ૦ ૧૨૪૯); (૯) સ૦ ૧૩૧૧ (ઇ સ૦ ૧૨૫૫); (૧૦) સં૦ ૧૩૨૯ (ઈ૦ સ૦ ૧૨૭૩); (૧૧) સં૦ ૧૩૩૩ (ઈ॰ સ૦ ૧૨૭૭); (૧૨-૧૩) સં૦ ૧૩૩૪ (ઈ॰ સ૦ ૧૨૭૮); (૧૪) સં૦ ૧૩૩૭ (ઈ સ૦ ૧૨૮૧); (૧૫) સં૦ ૧૩૪૧ (ઈ. સ૦ ૧૨૮૫); (૧૬) સં૦ ૧૩૪૪ (૦ સ૦ ૧૨૮૮); (૧૭) સ૦ ૧૩૪૬ (ઈ સ૦ ૧૨૯૦); અને (૧૮) સં૦ ૧૩૫૯ (ઈ સ૦ ૧૩૦૩)ના છે.
આ લેખો પૈકીના બે લેખ (૩-૪) સં૦ ૧૨૯૬ (ઈ॰ સ૦ ૧૨૪૦)ના છે. તે પૈકી એક લેખ(૩)માં મિતિ કે વાર આપેલ નથી; તો બીજા લેખમાં મિતિ આપી છે પણ વારનો ઉલ્લેખ નથી. બીજા એ લેખ (૭–૮) સં૦ ૧૩૦૫ (ઈ॰ સ૦ ૧૨૪૯)ના છે. બંનેમાં મિતિનો ઉલ્લેખ કર્યો છે, પણ વારનો નિર્દેશ નથી. સં૦ ૧૩૩૪(ઈ૰ સ૦ ૧૨૭૮)ના પણ એ લેખો છે (૧૨-૧૩). તે પૈકી એક લેખ(નં૦ ૧૨)માં મિતિનો ઉલ્લેખ કર્યો છે, પણ ધસારાના કારણે વાર વંચાતો નથી. બીજા લેખ– (નં૦ ૧૩)માં તિથિ અને વારનો ઉલ્લેખ સ્પષ્ટ વંચાય પણ માસ–પખવાડિયાના અક્ષરો ધસાઈ ગયા હોવાને કારણે વાંચી શકાતા નથી.
આ અઢાર લેખો પૈકી ત્રણ લેખો(નં૦ ૩, ૯ અને ૧૮)માં માત્ર સાલનો જ નિર્દેશ કર્યો છે અને મિતિ, વારની વિગત મળતી નથી. વળી છ લેખો(નં ૫, ૬, ૧૦, ૧૩, ૧૪, ૧૭)માં અનુક્રમે ભોમ (મંગળ), શિન, શુક્ર, શનિ, સોમ, ભોમ(મંગળ)વારનો ઉલ્લેખ કર્યો છે. બાકીના લેખોમાં વારનો નિર્દેશ કર્યો નથી. આ અઢાર લેખો પૈકીના નં૦ ૧ અને ૪માં માઘ માસનો અને નં૦ ૫ અને ૧૭માં ચૈત્રનો; નં૦ ૬, ૧૦, ૧૧, ૧૨ અને ૧૪માં વૈશાખનો, નં૦ ૨, ૧૫ અને ૧૬માં જ્યે(જે)નો અને નં૦ ૧ તથા ૮માં અષાઢ માસનો ઉલ્લેખ કર્યો છે.
આ સર્વ લેખોનું લખાણ સુવાચ્ય અને સ્પષ્ટ છે. તેમ છતાં ધસારાને કારણે કેટલાક લેખોની વિગતો ભૂંસાઈ ગઈ છે. દા. ત॰, નં૦ પના લેખમાં પિતૃ...... પછીના અક્ષરોમાં પ્રતિમાના નામનો ઉલ્લેખ ધસાઈ ગયો લાગે છે. લેખ નં૦ ૭માં બિંબ ભરાવનાર વ્યક્તિનું નામ ધસાઈ ગયું છે. લેખ નં૦ ૮માં જેમની પ્રેરણાથી ઋષભનાથની પ્રતિમા ભરાવી છે તે જિનસરસૂરિના શિષ્ય સુરિનું નામ તથા પ્રતિમા ભરાવનાર વ્યક્તિનું નામ ધસાઈ ગયેલ છે. લેખ નં૦ ૧૨માં વાર ભૂંસાઈ ગયો છે તે સાથે જેના શ્રેયાર્થે આદિનાથનું બિંબ ભરાયું છે તે વ્યક્તિનું નામ ઘસાઈ ગયું છે. લેખ નં૦ ૧૩માં માસ, પક્ષ અને અંતિમ પંક્તિના કેટલાક અક્ષરો ધસાઈ ગયા છે. નં૦ ૧ના લેખમાં સંવત અને ગચ્છના ઉલ્લેખ સિવાય બીજી કોઈ વિગત નોંધાઈ નથી. આથી બાકીનું લખાણ સંભવતઃ ભૂંસાઈ ગયું હશે તેવું અનુમાન થાય છે. લેખ નં૦ ૫, ૯ તથા ૧૮માં તીર્થંકરોનાં નામનો ઉલ્લેખ ન કરતાં માત્ર બિંબ ભરાવ્યાનો જ નિર્દેશ કર્યો છે.
સુશ્ર્ચ૦૮
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૧૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ચ
સૂચિ (જમણી બાજુએ લખેલો અંક જે તે પ્રતિમાલેખને નંબર સૂચવે છે.)
તીર્થકરોનાં નામ આદિનાથ (ઋષભદેવ) (૧)
૨, ૪, ૭, ૮, ૧૦, ૧૨ શાંતિનાથ (૧૬)
૧૪, ૧૭ નેમિનાથ (૨૨)
૩, ૧૫ પાર્શ્વનાથ (૨૩)
૧૩, ૧૬ મહાવીર (૨૪)
૬, ૧૧ સૂરિઓનાં નામર ગુણાકરસૂરિ (બૃહગચ્છ) જિનદત્તસૂરિ (વાયટીયગચ્છ) જિન...તિસૂરિ જિનેસર રિપ
૭-૮ છવદેવસૂરિ (વાયડગચ્છ) દેવસૂરિ (જાલ્યોધરગચ્છ)
નરભદ્રસૂરિ
પ્ર...... (ધ) દેવ (2)
૧ અઢાર પ્રતિમાઓ પૈકીની ચૌદ પ્રતિમાઓ પર તીર્થંકરોનાં નામનો ઉલ્લેખ કર્યો છે અને તે પૈકીની છ પ્રતિમાઓ
આદિનાથ અને બાકીની આઠ પ્રતિમાઓ પૈકી શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ દરેક તીર્થંકરની
બએ પ્રતિમાઓ હવાનું આ લેખ પરથી સૂચવાય છે. ૨ પ્રતિમાલેખ નં. ૫ અને ૧૩માં સુરિનું નામ ઘસાઈ ગયું હોય તેમ લાગે છે, જ્યારે લેખ નં. ૧૪, ૧૫, ૧૬માં
સૂરિના નામનો ઉલ્લેખ નથી. ૩ આ એ જ સૂરિ લાગે છે કે જેમણે સંવત ૧૨૯૬માં નાગાર્જુનકૃત “યોગરત્નમાલા' પર વૃત્તિ રચી હોવાનું નોંધાયું છે.
(મો. ૬૦ દેસાઈકૃત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ૦ ૩૯૭, પરિછેદ ૫૭૧.) ૪ શ્રી જિનદત્તસૂરિ સં. ૧૨૬પમાં વાયટ (વાયડ) ગામમાં થયા. તેમણે વિવેકવિલાસ' નામનો ગ્રંથ રચ્યો છે. તેઓ
વસ્તુપાલની સાથે શત્રુંજયની યાત્રાએ ગયેલા સૂરિઓ પૈકીના એક હતા એમ સુકૃતસંકીર્તનમાં જણાવ્યું છે. છવદેવસૂરિ તેમના શિષ્ય હતા (જૈ. સા. સં. ઈ. પૂ૦ ૩૪૧, પરિ૦ ૪૯૬). જીવદેવસૂરિનો ઉલ્લેખ અહીં લેખ નં. ૬માં થયેલો છે. અહીં સૂરિના નામમાં એક અક્ષર ઘસાઈ ગયો છે, પરંતુ આ જ લેખમાં તે સૂરિના શિષ્યનું નામ જિનેસરસૂરિ હોવાનું નોંધાયું છે તે પરથી અનુમાન થાય છે કે આ સૂરિ જિનેસરસૂરિજિનેશ્વર)ના ગુરુ ખરતરગચછના જિનપતિસૂરિ હોવા જોઈએ. આ સૂરિએ શ્રેષ્ટિ નેમિચંદ્ર ભાંડાગારિકને જૈનધર્મી બનાવ્યા હતા. આ શ્રેષ્ઠિના પુત્રે સંવ ૧૨૫પમાં તેમની પાસે દીક્ષા લઈ તેમના પટ્ટધર શિષ્ય જિનેશ્વરસૂરિ નામે પ્રસિદ્ધ થયા (જૈ. સા. સં. ઈ. ૫૦ ૩૪૦,
પરિ૦ ૪૯૩). ૬ જુઓ ટિપણ નં. ૩. જીવદેવસૂરિ યોગવિદ્યાના ભારે જાણકાર હતા (જે સાવ સં૦ ઈ૦, ૫૦ ૩૪૧, પરિ. ૪૯૬). ૭ આ રસૂરિએ પ્રાકૃતમાં “પદ્મપ્રભચરિત' રચ્યું હતું. તેની એક હસ્તપ્રત છાણીમાં પ્રવર્તક કાંતિવિજયજી પુસ્તક
ભંડારમાં છે (જૈ. સા. સં. ઈ૦, ૫૦ ૩૪૦, પરિ૦ ૪૯૬).
Page #5
--------------------------------------------------------------------------
________________
ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિમાલેખ : ૧૧૫
પ્ર......(સૂરિ) યશોભદ્રસૂરિ રત્ન(વ) તસૂરિ વિબુધપ્રભસૂરિ (સો)મચંદ્રસૂરિ હરિપ્રભસૂરિ (જાલ્યોધરગચ્છ) હરિભદ્રસુરિ (જાલ્યોધરગચ્છ) હેમતિલકસૂરિ
(૪)
ગોનાં નામ (૧) કનાપલ્લીય
જાલ્યોધર બહદ
૧૦ બ્રમ્હાણ
૧ વાયટીય કે વાટ
૨, ૬ જ્ઞાતિઓ અને અટકોનાં નામ ૧ ઠ૦ (ઠક્કર) (અટક)
૧૨, ૧૮ ૨ મોઢ (જ્ઞાતિ)
૩, ૧૮ ૩ રાણુ (અટક) ૪ શ્રાવક (જ્ઞાતિ) ૫ શ્રીમાલ–લી (જ્ઞાતિ)
૪, ૯, ૧૧, ૧૪
ચંદ્રગરમાં વિબુધપ્રભસૂરિ નામના સૂર થઈ ગયા છે. તેમના એક શિષ્ય પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રતચરિત (પિટર્સન હસ્તપ્રતોનો રિપોર્ટ નં. ૩ (૧૮૮૪-૮૬), નં. ૩૦૨ અને કુંથુચરિત (જેની સં. ૧૩૦૪ની હસ્તપ્રત જેસલમેરના ભંડારમાં છે) રચ્યાં હતાં (જૈ. સા. સં૦, પૃ. ૩૯૬, પરિ૦ ૫૬૯). આ લેખના વિબુધસૂરિ ઉપર્યુક્ત ચંદ્રપ્રભસૂરિના
ગુરુ હોવાનું અનુમાન છે. ૯ આ લેખના (સો)મચંદ્રસૂરિ પ્રસિદ્ધ વાદિદેવસૂરિના શિષ્ય જયમંગલસૂરિના શિષ્ય હોવાનું અમારું અનુમાન છે.
સોમચંદ્રસૂરિએ સં. ૧૩૨૯માં વૃત્તરત્નાકર નામના છંદના ગ્રંથ પર ટીકા લખી હતી. લેખોમાં મોઢ અને શ્રીમાલ-લીનો જ્ઞાતિઓ તરીકે ઉલ્લેખ થયો છે. આ બંને જ્ઞાતિઓ તેના મૂળ ઉદભવરથાનપ્રદેશ સાથે સંકળાયેલી છે. આ બંને જ્ઞાતિઓ ગુજરાતમાં જૈન તેમ જ જૈનેતર સમાજ સાથે સંકળાયેલી છે, પરંતુ જૈનેતર સમાજમાં મોઢ અને શ્રીમાલી જ્ઞાતિ બ્રાહ્મણ અને વૈષ્ણવ વાણિયાંઓમાં જેમ પ્રચલિત છે તેમ જૈન સમાજમાં પણ તે જૈન વાણિયાના વર્ગ સાથે સંકળાયેલી છે. લેખોમાં નિરૂપિત ઠક્કર અને સાહ (શાહ) અટક
વ્યાપારીવર્ગની સૂચક છે. ૧૧ પ્રસ્તુત ધાતુ પ્રતિમાલેખોમાં આવતી શ્રેટ (શ્રેણી), મહા (મહાજન), સા (શાહ) વગેરે અટકે ઔપચારિક હોવાથી
તેમનો સમાવેશ આ સૂચિમાં કર્યો નથી. બેઠી' શબ્દ ગુપ્તના અભિલેખોમાં ગામના શ્રીમંત વેપારી વર્ગ માટે પ્રયોજાયેલો જોવા મળે છે. તેઓ વેપાર ઉપરાંત નાણાં ધીરધારનો ધંધો પણ કરતા હતા. આ પ્રણાલિકાને અનુસરતી વ્યક્તિ માટે “શ્રેણી” શબ્દ ભારતમાં લાંબા સમયથી પ્રચલિત છે. એનું હાલનું રૂપાંતર “શેઠશબ્દમાં મળે છે. મહાવ એ “મહાજન', “મહામાત્ય', “મહત્તર વગેરેનું સંક્ષેપ સંભવે છે. લેખ નં. પમાનો ઉલ્લેખ જે
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૧૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
સ્થળોનાં નામ
વિદ્યરાજપુર २
પદ્માનિ પાનદેવી માત્રાદેવી
માદકારણે
રા
ભૃગુદેવિ
આસલ
ઉક્ષણાક
કાકલ
કુલ
તા
દેક
દેદાક ધનપાલ
નારસિંહ
નરસિંહ
નાગપાલ
પદ્મસિંહ
પાર્થ
પાસક
પાસદેવ
ભીમાભા
સ્ત્રીપુરુષોનાં નામ
ીઓનાં નામ
૧૩
૧૩
૯
૬
ગ્
૧૦
હું
૧૨
૫
વિવિણ
સહજલદેવી
સિંગારવિ
પુરુષોનાં નામ
૧૩
૯, ૧૩
૬
૧૮
૧૫
૧૪
11
૩
૧૩
૧૪
મ
૧૩
૧૦
હીય
ુવંજના
રત્ન
રતના
રવીભા રાજસી
લેખનસીહ
વણ
વિજયસિંહ
વીરપાલ
વીરમ
વીણ (ત) સમરસિંહ
સાંગણુ
સાંગા
સાવસાહ
સોહડ
૧૬
૧૧
૧૮
૧૨
૧૭
” ” ”
૧૦
૧૬
८
૧૫
૧૪
૨
૧૭
11
ܪ
‘મહામાત્ય’ના અર્થમાં ઘટાવવામાં આવે તો મહામાત્ય ‘કાકલ' કાંણ અને આ સમયના ઇતિહાસમાં તેનું કેવું અને કેટલું મહત્ત્વ વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે,
૫
१७
‘ ઢક્કર’ શબ્દ ચૌલુથ સમયના અભિલેખોમાં ગુજરાતમાં સર્વપ્રથમ દૃગોચર થાય છે. ‘ ઠકકુર ' શબ્દ સ્પષ્ટતઃ ગામના મુખી કે જાગીરદારની સાથે વપરાતો હતો. રાઞાતમાં તે નાના અને ગૌણ વર્ગના સ્થાનિક અધિકારી માટે વપરાતો હોવાનું માલૂમ પડે છે. ગુજરાતમાં હાલમાં લુહાણા અને ભાટિયા કોમ માટે તે સર્વમાન્ય અટક થઈ પડી હોય તેમ લાગે છે. ઠકકુર, ટક્કરમાંનો ' કા' શબ્દ પ્રાકૃત છે અને તે વેપારીના અર્થમાં પ્રયોજાતો. આ અર્થમાં તે ઈસુની પહેલી સદીના એક અભિલેખમાં ઉલ્લેખાયેલ છે (મોનિયર વિલિયમ્સ “ સંસ્કૃત કોશ ', પૃ૦ ૪૬૦), ‘રાણુ ’(લેખ નં૦ ૩)ની અટક સંસ્કૃત ‘રાણક'માંથી ઉદભવેલી લાગે છે.
.
*
Page #7
--------------------------------------------------------------------------
________________ ઘોઘાના અપ્રટ જૈન પ્રતિમાલેખો H 117 આ ધાતુ પ્રતિમાલેખોમાં મધ્યકાલીન ગુજરાતના વણિક વર્ગની વ્યક્તિઓનાં જે નામો મળે છે, તેનાં વર્ગીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીપુરુષોનાં ઘણાં સંસ્કૃત નામો મિશ્ર સંસ્કૃત (Non-Sanskrit) થયાં છે. સામાન્યતઃ આપણે આ નામને ચાર વિભાગમાં વહેંચી શકીએ : (1) શુદ્ધ સંસ્કૃત, (2) અર્ધ કે મિશ્ર સંસ્કૃત, (3) શુદ્ધ પ્રાકૃત, (4) અર્ધ કે મિશ્ર પ્રાકૃત. નાગપાલ, નરસિંહ, વીરપાલ, પદ્મસિંહ, ધનપાલ, પાર્થ, અમરસિંહ, રત્નવિજયસિંહ, પાવતી વગેરે નામ શુદ્ધ સંસ્કૃતરૂપે વપરાતાં જોવા મળે છે; તો રાજસીહ, સીવસીહ, જયતા, રવીભા, ભીમાભા, રતના, વીરમ, નરસિંહ, લખમસિંહ, રાજ, લણદેવી, મારાદેવી, સિંગાદેવિ વગેરે મિશ્ર કે અર્ધસંતરૂપ ધારણ કરે છે. વીલૂણ, પાસા, કાકલ, દે, વકણ, આસલ, સાંગા, સાંગણ, હુંવજના (2), કુંજલ, પાસદેવ, સોહા, દેદાક, વાવિણિ, માદકરણ, પાલ્લણદેવી, સહજલદેવી, હીરલ વગેરે નામો શુદ્ધ તેમ જ મિશ્ર પ્રાકૃતના સ્વરૂપોમાં દગોચર થાય છે. જે નામોને અંતે સિંહ, પાલ, દેવી કે વતી શબ્દ આવે છે તે બહુધા તત્સમ સ્વરૂપ જાળવી રહ્યાં છે; દાત., પદ્મસિંહ, વિજયસિહ, સમરસિંહ, નાગપાલ, વીરપાલ, ધનપાલ, લૂણદેવિ, પાવતી. પણ ક્યારેક આવાં નામોનાં પૂર્વે આવેલ સ્વરૂપ વિકત પણ થયા છે; દાતે પાસદેવ, માતૃરાદેવી, સિંગારદેવી, સહજલદેવી, સીવસીહ અને લખમ(લક્ષ્મણ)સીહ પણ આવાં જ વિકૃત તત્સમો છે. અહીં તભવ નામો “લ” (દા. ત., કાકલ, આસલ, કુંજલ, હીરલ), “ક” (દેદાક, ઉષ્ણક). આ (સાંગા, રત્ના), “ભા' (રવીભા, ભીમાભા), તા (તા), ડ” (પાસડ, સોહેડ), “ણું” (સાંગણ, વકણ, વીલૂણ), “ઈણિ” (વાવિણિ), “ઉ” કે “ઉ” (દક, રાજ), “મ” (વીરમ) વગેરે પ્રત્યયો લઈ રૂપવિધાન સાધતાં જણાય છે. છે તેમ જ ર મ મ કર્યું. સોલ 12 વૅ કવે છે' અંતવાળા નામો બહુધા શક કે મુર્જર જાતિવાચક હોવાનું સૂચવે છે. ડો. સાંકળિયા તેમના મતને અનુમોદન આપતાં જણાવે છે કે પ્રાગ્વાટ, ઓસવાલ તેમ જ ઘરકર્કટ જૈનોમાં તે સામાન્ય હોય છે. વિખ્યાત પિડિશાહ રાજસ્થાનની ગુર્જર જાતિમાંથી ઉતરી આવ્યા હતા. ગુર્જરો મધ્ય એશિયામાંથી પ્રથમ પંજાબમાં સ્થિર થયા અને તે પછી ઉત્તરોત્તર તેઓએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સ્થળાંતર કર્યું. સોલંકી સમય દરમ્યાન તેઓની રાજ્યમાં અમલદાર તરીકે નિયુક્તિ થતી તેથી તેઓ ખૂબ પ્રતિષ્ઠા ને મહત્તા પામ્યા હતા. ગુજરાતના પ્રદેશને ગુજરાતનામાભિધાન અર્પણ કરવામાં તેઓનો ફાળો મહદ અંશે હોવાનું ઘણું વિદ્વાનો સ્વીકારે છે. આ પરદેશી જાતિએ ભારતમાં સ્થિર થયા પછી ભારતના ઈતર ધર્મોની માફક જૈન ધર્મને પણ અંગીકાર કર્યો હોવાનો સંભવ છે. (ડૉ. સાંકળિયાઃ સ્ટડીઝ ઇન હિસ્ટોરિકલ ઍન્ડ કલ્ચરલ લ્યોગ્રાફી ઍન્ડ ઇનોગ્રાફી ઑફ ગુજરાત (1949, પૂના), 50 140 તથા “ઓરિજિન ઑફ ગુજરાત’ જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટી, 1946, પૃષ્ઠ 82-87.) --= ========== ==