Page #1
--------------------------------------------------------------------------
________________
ગેરસપ્પાનાં જિનમંદિરો
પચાસેક વર્ષ પહેલાં ગેરસપ્પાના ચતુર્મુખ જિનાલયનું કઝિન્સે પ્રકટ કરેલ તલદર્શન જોવામાં આવેલું, જે એ સમયે પણ ઘણીક દૃષ્ટિએ વિશિષ્ટ લાગેલું' : પણ મંદિર વિજયનગર યુગનું હોઈ, અને બહુ વર્ષોથી દક્ષિણ ભારતના પ્રાચીનતર મંદિરો પર જ (અન્વેષણાની દષ્ટિએ) લક્ષ પરોવેલું હોઈ, એ તરફના શરૂઆતના પ્રવાસ-કાર્યક્રમોમાં ગેરસપ્પાનો સમાવેશ કરવાના પ્રયોજનનો અભાવ હતો. સત્તાવીસેક વર્ષ પહેલાં કર્ણાટકમાં શિમોગા પંથકમાં ફરી એક વાર ફરવાનું થતાં, જગન્મ્યાત જોગના ધોધ પાસેથી પસાર થતાં હતાં ત્યારે એ ક્ષેત્રમાં આવેલા ગેરસપ્પા તરફ પણ એક આંટો લગાવી, ત્યાં શું છે તે જોઈ લેવાનું નક્કી કર્યું. મધ્યાહ્નનો સૂરજ ધીરે ધીરે બપોરનો બની રહ્યો હતો. ધોધથી ગેરસપ્પા ગામ કેટલે દૂર તેની કંઈ ખબર નહીં પણ પાટિયાના આધારે રસ્તો શોધી ગાડી તે તરફ વાળી. પંથ સારો એવો લાંબો નીકળ્યો. (અંદાજે વીસેક માઈલ હશે.) બે'એક હજાર ફીટના ઉતારવાળા એના વાંકાચૂંકા વળાંકોમાં સંભાળી સંભાળીને ઊતરતાં એકાદ કલાકે નીચે નદી તીરે નવા ગેરસપ્પા ગામે પહોંચ્યા. પહોંચ્યા પછી ખબર પડી કે મંદિરો તો નદીને સામે કાંઠે દૂર જંગલ વચાળે આવેલાં છે. નાવડામાં એકાદ કોશ જવું પડે અને પછી ચાલવાનું. આટલે દૂર આવ્યા છીએ તો જોયા વગર પાછા ન જ જવું એમ વિચારી જલદી જલદી નાવ કરીને ઊપડ્યા, પણ સામા વહેણમાં જવાનું એટલે પહોંચતાં પહોંચતાં તો ખાસ્સા બે કલાક વીતી ગયા.
ગામ છોડીને હોડકું આગળ વધ્યું કે આજુબાજુનું દૃશ્ય ફરી જ ગયું. હિમાલય બાદ કરતાં અહીં જેવી અલગારી નિસર્ગશોભા ભારતમાં બીજે જોવા મળતી નથીર. પણ હિમાલયની એ પ્રાકૃતિક લીલાથી અહીંની પ્રકૃતિની વાત જરા જુદી છે. વનરાજિ પણ જુદી, ને ખડકો પણ અલગ પ્રકારના. નદી શિરાવતીની ચાલ પણ જુદી જ. ઊંચાંનીચાં વૃક્ષોથી પ્રભવતી વિશિષ્ટ ભૂચિત્રરેખા, ને વનરાઈની ગહેરાઈ સાથે એની ગીચતામાં લીલાશની ઊપસતી અનેકવિધ રંગછાયાઓનો દાયરો પણ અનોખો. નાવ આગળ વધતાં ખડકાળ ભાગ આવ્યો. એમાંથી પસાર થતું વહેણ સદૈવ અતિ જોશબંધ વહે છે. મુસીબતે સમતોલન જાળવીને એ નેળ પસાર કરી ગયા. પછી નાવની દિશા પલટી અને દક્ષિણ તરફ મોરો વળ્યો. હવે બન્ને બાજુએ ઝળૂબી રહેલ, વિશેષ ગાઢાં જંગલોવાળા, સાંકડા ઊંડા પ્રવાહમાં પ્રવેશ્યા. એક નાના ટાપુ જેવું વટાવી છેવટે સામે કાંઠે પહોંચ્યા ખરા. કાંઠો સારો એવો ઊંચો નીકળ્યો. કાંઠો ચડ્યા કે સીધા જ ઘેઘૂર જંગલમાં પ્રવેશ્યા. જે દ્રશ્ય હવે નજરે પડ્યું તે દિંગ થઈ જવાય તેવું હતું. આ તે ભારત કે કંબોડિયા ? ખૂબ ઊંચાં, પાતળાં પણ અત્યંત સુષ્ઠુ અને ઉપરના ભાગે થોડુંક ફેલાતાં પિપ્પલાદ,
Page #2
--------------------------------------------------------------------------
________________
ગેરસપ્પાનાં જિનમંદિરો
શાલ્મલિ, અને અન્ય વર્ગનાં કેટલાંયે વૃક્ષોની એ ઘનઘોર હારમાળાઓમાં લક્કડખોદ, તમરાં, વનવાગોળ અને અનેક અજાણ્યાં પંખીઓના વચ્ચે વચ્ચે થતા શબ્દ સિવાય બીજો રવ સંભળાતો નહોતો. કોઈ માણસ નજરે પડ્યું નહીં પણ કેડો સાફ હતો. ઊંચે વૃક્ષોને મથાળે તેજીલો તડકો વરતાતો હતો. એનું અજવાળું ડાળીઓ અને પાનના ઘટાંબર સોસરવું ગળાઈને નીચે કેડા પર પથરાતું હતું. સંસ્થિર હવા જંગલી ફૂલોનો પરિમલ, શેવાળ, લીલ ફૂગ, અને ગરમાટભર્યા ભેજની મિશ્રિત ગંધથી વ્યાપ્ત હતી.
પા'એક ગાઉ આમ આગળ વધ્યા નહીં હોઈએ ત્યાં એક સાદા પશ્ચિમાભિમુખ મંદિરનું ખંડિયેર જોવા મળ્યું. એની આજે તો માત્ર કોરી ભીંતડીઓ જ ઊભી છે. મોઢા આગળ ખુલ્લા થઈ ગયેલ ગર્ભગૃહમાં એક કાળા પથ્થરની વિજયનગર કાળની પણ સુડોળ, પદ્માસન વાળેલી સપરિકર જિનપ્રતિમા પોતાના મૂળ સ્થાને હજી પણ વિરાજિત છે. (ચિત્ર ૯) પ્રતિમા જિન નેમિનાથની હોવાનું નોંધાયું છે.) અહીંથી દક્ષિણ તરફ થોડું તીરછું જતાં આવું જ એક બીજું પણ પૂર્વ તરફ મુખવાળું ખંડિયેર અને પ્રતિમા જોયાં. જિન પાર્શ્વનાથની નાગફણા-ઘટા નીચે સંસ્થિત, પ્રશમરસ દીપ્ત શ્યામલ સુંદર જ્ઞાસન પ્રતિમા વિજયનગર યુગમાંયે પ્રભાપૂર્ણ પ્રતિમાઓ બનતી હોવાની પ્રતીતિ કરાવી ગઈ (ચિત્ર ૧૦). સૂરજ ઢળતો જતો હતો અને અમારું લક્ષ તું ચતુર્મુખ મંદિરની શોધમાં. નાવિક ભોમિયાએ સાનથી સમજાવ્યું કે આગળ ઉપર છે, હવે દૂર નથી. છેવટે જંગલ વચ્ચોવચ્ચ કોરાણ આવ્યું, અને તેમાં મધ્યભાગે જેની શોધ કરતા હતા તે ચોમુખ દેહરું આવી રહેલું દીઠું (ચિત્ર ૨.) દેવાલય મોટું હોવા ઉપરાંત ચોબાર અને ચોકોરથી એક સરખું છે (જુઓ તળદર્શન : ચિત્ર ૧). એનું શિખર તો વર્ષો પૂર્વે નષ્ટ થઈ ચૂક્યું છે પણ નીચેનો બધો જ ભાગ સારી સ્થિતિમાં જળવાયેલો છે. મંદિરના દિદાર પણ ફરી એક વાર વનાવરણથી ઘેરાયેલા કંબોડિયાનાં દેવળોનું સ્મરણ કરાવી ગયા (ચિત્ર ૩, ૪).
ચૌમુખ જિનાલયનું અધિષ્ઠાન વિજયનગર શૈલી અનુસાર ગજપીઠ, ધારાવૃત્ત કુમુદ, અને કપોતાદિ ઘાટ-અલંકારથી શોભિત છે; પણ ખરી ખૂબી તો એના ભીતરી ભાગમાં છે. ચારે દિશાએ એકસરખા મુખમંડપ અને તેમાં ઈલોરાની ગુફાની યાદ દેવડાવે તેવા સફાઈદાર ઘડાઈના દળદાર-પહેલદાર સ્તંભો (ચિત્ર ૬), ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુ દ્વારપાલો ઉપરાંત ઘાટીલા દેવકોષ્ઠો (ચિત્ર ૭), સાદાં પણ સોહતાં વિશાળ કમલાંકનની છત (ચિત્ર ૫), અને સ્વચ્છ પ્રશાંત વાતાવરણમાં ગર્ભગૃહની માલિકોર ચતુર્દિશામાં એક એક વિશાળકાય પદ્માસનસ્થ જિનપ્રતિમાની ઉપસ્થિતિ (ચિત્ર ૮). ઉપરથી વનટવીના અનેરા એકાંત વચ્ચે “અનેકાંત”નો નિઃશબ્દ ધ્વનિ સંભળાઈ રહેતો લાગ્યો. અલંકારલીલા માટે મશહૂર મંદિરો તો અનેક જોયાં છે, પણ નિરાભરણાવસ્થાની ગરિમાનું અવિખ્યાત છતાંયે ઊર્જસ્વી દષ્ટાંત તો આ એક જોવા મળ્યું છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
આથમણી કોર નમી રહેલો સૂરજ પશ્ચિમના મુખમંડપને આખરી તેજથી ઉજમાળી રહ્યો હતો. જંગલમાં જ રાત ન થઈ જાય તેટલા સારુ પાછા ફરતી વખતે બમણી ઝડપથી ડગ ઉપાડ્યાં. નદીના ઉપરવાસે બપોરેકના વરસાદ થયો હશે. એથી વળતી વેળાએ વહેણમાં તાણ ઘણું વધી ગયેલું લાગ્યું. નળવાળા ખડકાળ ભાગમાં તો હવે પાણીના લોઢ ઊછળતા હતા. એમાં થઈને જવાને બદલે તેને પડખેથી સાચવી સાચવી, તારવી તારવી, અણિયારી દાંતી વચાળેથી હોડકાને વાંસડાના ટેકાથી અને નાજુકાઈથી, સિફતથી પસાર કરી છેલ્લે મુખ્ય વહેણમાં આવ્યા ત્યારે સાંજ ઢળી ગયેલી. હાલકડોલકે ચઢેલું ને હમણાં ઊંધું વળી જશે તેવું લાગતું હોડકું હવે સ્થિર થયું. સામા પ્રવાહનો સામનો કરવાનો ન હોઈ, વેગવાન વહેણના સહારે લાગતું જ તીરવેગે ઊપડ્યું ને અર્ધા કલાકમાં જ સામે કાંઠે પહોંચી ગયા. - વર્ષો બાદ એકાએક એ દિવસની સાહસિક યાત્રાનું સ્મરણ થઈ જતાં ગેરસપ્પા અને વિકટ અટવીથી રક્ષાયેલ એનાં દેવમંદિરોની ઐતિહાસિક સમસ્યાઓ વિશે વિચાર કરવા મન થયું. આ મંદિરોના નિર્માતા કોણ? ગેરસપ્પાની મધ્યકાળમાં શું સ્થિતિ હતી, કેવીક પ્રસિદ્ધિ હતી, એ પાસાંઓ પર ઇતિહાસ અને પુરાતત્ત્વની ઉપલબ્ધ નોંધોમાં તો કોઈ ઉજાશ પ્રાપ્ત નથી થતો, પણ ત્યાંથી મળી આવેલા શિલોત્કીર્ણ લેખો અને સંપ્રતિ ઉપલબ્ધ બનેલી દિગંબર જૈન ભટ્ટારકોની યાત્રા-નોંધોના સંક્ષિપ્ત ઉલ્લેખોથી કેટલીક સ્પષ્ટતા મળી રહે છે.
શિલાલેખોમાં ગેરસપ્પાનું “ગેરસપ્પ” નામ મળે છે. અહીંથી મળેલા જૈન લેખોમાં એક તો ૧૨મી શતાબ્દી જેટલો પ્રાચીન છે. ચૌદમા-પંદરમા શતકમાં વિજયનગર મહારાજ્યના એક સામંત રાજકુળનું અહીંથી છેક સમુદ્રના કંઠાળ પ્રદેશ પર્યત મૂડબિદરી સુધીના તુળવ-પ્રદેશમાં શાસન ચાલતું હતું. સઘન વનરાજિ, પૂર્વ અને દક્ષિણે દુર્ગમ પહાડો અને ઉત્તરે વેગવતી, સદાનીરા શિરાવતીથી રક્ષાયેલ ગેરસપ્ટેને માનવીય આક્રમણો તો નડ્યાં નથી, પણ નિસર્ગપ્રદત્ત એ દુર્જયતા, અને પ્રતિવર્ષ અતિવૃષ્ટિને કારણે જ કાળાંતરે તેનાં લય અને વિસ્મરણ થયાં છે. અને એક વાર પડતી શરૂ થયા પછી એની કાષ્ઠમંડિત, ઈંટેરી અને પથ્થરની ઇમારતો પર ઝાડીનું આક્રમણ આરંભાયા પછીથી વિના રોકટોક આગળ ધપ્યું ગયું. છેવટે પૂરા શહેર પર વગડાનું અબાધિત સામ્રાજ્ય સ્થપાઈ ગયું. ઈ. સ. ૧૬૨૫માં પોર્ટુગીઝ પ્રવાસી Della Valle અહીંથી પસાર થયો ત્યારે અહીંનો રાજમહાલય ખંડિયેર બની ચૂકેલો એવી નોંધ મૂકી ગયો છે.
અહીંનાં મંદિરો ૧૪મી-૧૫મી શતાબ્દીમાં બનેલાં. રાજકુળ સાથે સંબંધવાળા શ્રેષ્ઠી પરિવારો અહીં વસતા થયેલા અને જૈનધર્મને રાજયાશ્રય પણ સારા પ્રમાણમાં મળતો રહેલો. એ કાળે ગેરસપ્પની જૈન તીર્થરૂપે ખ્યાતિ સ્થપાઈ ચૂકી હશે કેમકે એની યાત્રાએ ઉત્તરાપથમાંથી પણ દિગંબર જૈન યાત્રિકો ૧૭મા સૈકાના આરંભ સુધી તો આવતા. અહીંની
Page #4
--------------------------------------------------------------------------
________________
ગેરસપ્પાનાં જિનમંદિરો
૨૬૩
પાર્શ્વનાથ વસતીની ૧૭મા શતકના યાત્રી વિશ્વભૂષણે નરસુપ વામસુત ગ્રાનં 1 તું વર્ણન સંપત્તિ રાIધરા કહી નોંધ લીધી છે. સોળમા શતકમાં ગુજરાતના ભટ્ટારક જ્ઞાનસાગરે ગેરસપ્પા નગરનું થોડા વિસ્તારથી અને મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવું વિવરણ દીધું છે. જ્ઞાનસાગર ત્યાં ગયા ત્યારે આ શ્રાવકો અને મુનિવરોથી શોભતી નગરીમાં ભૈરવીદેવી નામની રાણીનું શાસન હતું. એના વિશે થોડી ચારણી કવિતના પ્રભાવવાળી ગુણગાથા કહી, ત્યાં જિન પાર્શ્વનાથનો ત્રણ ભૂમિયુક્ત પ્રાસાદ થયાનો એમણે ઉલ્લેખ કર્યો છે : યથા :
નયર વિચિત્રા પવિત્રા ગિરસોપા ગુણવંત ! શ્રાવક ધરમ કરંત મુનિવર તિહાં અતિસંતહ II ભૈરવિદેવિ નામ રાણી રાજય કરંતહ | | શીલવંત વ્રતવંત દયાવંત અધહંતહ // પાર્ષદેવ જિનરાજકો ત્રણ્ય ભૂમિપ્રાસાદ-કિય T
બ્રહ્મજ્ઞાન ગુરુ પય નમી માનવ ભવ ફૂલ તેન લિય ૪૨ી. “પાર્થ તીર્થેશ્વર”ના મંદિરને દાન અપાયાનો ઉલ્લેખ અહીંથી મળેલ શ. સં. ૧૩૪૩ ઈ. સ. ૧૪૨૧ના એક શિલાલેખમાં છે. ગોકર્ણના મહાબલેશ્વર મંદિરને લગતા ૧૫માં શતકના ત્યાંના લેખમાં દાનરક્ષામાં ગેરસીપ્ટની પિરિય-વસતિના “ચડોઝ પાર્શ્વનાથની સાખ દીધી છે, જે અહીં રજૂ કરેલ પાર્શ્વનાથ (ચિત્ર ૨) હોવા જોઈએ. પ્રસ્તુત જિનનું ગેરસપ્પામાં પ્રમાણમાં પ્રાચીન અને એ પંથકમાં સિદ્ધ મહિમા મંદિર હશે તેમ ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી જણાય છે. શ. સં. ૧૪૮૫ | ઈ. સ. ૧૫૬૩ના એક લેખમાં રાણી ચન્ન ભૈરોદેવીના શાસનનો ઉલ્લેખ છે, જે જ્ઞાનસાગરની પૂર્વકથિત નોંધનું સમર્થન કરી જાય છે. પ્રસ્તુત લેખમાં વિશેષમાં શાંતિનાથની વસતી બન્યાનો અને તેને દાન અપાયાનો પણ ઉલ્લેખ છે.
'ચતુર્મુખ જિનાલય સંબંધી તો કોઈ સીધો ઉલ્લેખ ઉપલબ્ધ શિલાલેખોમાં નથી પણ જ્ઞાનસાગર તેનું ખૂબ ઉલ્લાસથી વર્ણન કરે છે. તેને ચાર ભૂમિવાળો અને બસો થંભવાળો પ્રાસાદ હોવાનું પણ કહ્યું છે : યથા :
જિનવર ચોમુખ ચૈત્ય નયર ગિરસોપા ચંગહ ! ભૂમિ ચાર ઉતંગ ખંભ શત દોઉ અમંગલ ll પ્રતિમા દેખત સદ્ય પાપ સાવિ દૂર પલાયો ! પૂજત પરમાનંદ સ્વર્ગ મુગતિ સુખ થાય ll અભિનવ જિનવર ચૈત્યગૃહ દેખત સુખસંપતિ મલે | બ્રહ્મ જ્ઞાનસાગર વદતિ ચિંતા દુખ દૂરે ટલે ll૪જી.
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૬૪
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-
ચૌમુખ મંદિરની ફરતા ઘણા પાષાણી ઊભા ફલકરૂપી સ્તંભોથી વીંટળાયેલો મંડપ હતો (હાલ વિનષ્ટ), જેનો નિર્દેશ યાત્રી કવિએ “બસો થંભ” દ્વારા કર્યો છે. અને ઉપર ચતુસ્તલને તે ઉપર શિખરયુક્ત ભાગ હશે તે પણ નષ્ટ થઈ ચૂકયો છે. શક સંવત ૧૩૦૦ અને ૧૩૧૪ (ઈ. સ૮ ૧૩૭૮–૧૩૯૨) વચ્ચેના ગાળામાં દંડનાયક સોમષ્ણના પુત્ર રામણની પત્ની રામક્કે અહીં તીર્થકર અનંતનાથની વસતી કરાવેલી તે આ તો નહીં હોય? એક નેમિનાથની પ્રતિમા અજણ શ્રેષ્ઠીએ કરાવી તેવો, તેના સાલ વગરના પણ અંદાજે ૧૫મા શતકના લેખમાં ઉલ્લેખ કરેલો છે, જે કદાચ અહીં ચિત્ર ૯માં રજૂ કરેલી પ્રતિમા હશે. મૂડબિદરીના એક ૧૫મી-૧૬મી શતાબ્દીના તામ્રપત્રમાં ગેસોપેની લલિતાદેવી દ્વારા નિર્માપિત વસતીને અપાયેલ દાનનો ઉલ્લેખ છે. પેડેહલ્લિના શ. સં. ૧૫૦૬, ૧૫૦૭, અને ૧૫૦૯(ઈ. સ. ૧૫૮૪, ૮૫, ૮૭)ના એમ ત્રણ શિલાલેખોમાં ગેરસોમ્યુના (મુનિ) વીરસેનદેવને મળેલાં ભૂમિદાનોની વિગતો અપાયેલી છે. તો ઊલટ પક્ષે ગેરસપ્પના ઈમેડિ દેવરાય ઓડેયરે લક્ષ્મણેશ્વરનગરની શંખજિન-વસતિને આપેલ દાનની વિગતનો સોદેના શ, સં. ૧૪૪૫-ઈ. સ. ૧૫૨૨ના લેખમાં ઉલ્લેખ છે. આ લેખ ઉપરથી વિશેષમાં ગેરસોપેનું અપર નામ લેમપુર હતું તેવી માહિતી મળે છે. આ સિવાય હુમ્બના જૈન પક્ષી પદ્માવતીના મંદિરના પ્રાંગણમાં રહેલ આ. શિ. સં. ૧૪૫ર–આ. ઈ. સ. ૧૫૩૦–ના શિલાલેખમાં દિગંબરાચાર્ય વિદ્યાનંદસ્વામી ગેરસપ્પના જૈન મુનિગણને યોગાગમમાં દોરવણી આપતા રહેતા એવી હકીકત નોંધાયેલી છે".
આ તમામ ઉલ્લેખો-પ્રમાણો જોતાં ગેરરોપેની અને ત્યાં જૈન સમાજની ઈસ્વીસના ૧૫મા-૧૬મા શતકની જાહોજલાલીની તેમ જ એ પંથક-તુળનાડ––માં એ શહેર વિજયનગર યુગમાં મહત્ત્વનું રાજકીય, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું હોવાની પૂર્ણ પ્રતીતિ થાય છે. પણ ગેરસપ્પા આબાદ હશે ત્યારે શોભતું હશે તેથીયે વિશેષ આજે વનરાઈથી ઘેરાયેલ એનાં ખંડિયેરોથી શોભે છે એવો પ્રકલ્પ સહેજે જ ઊઠી આવે છે.
ટિપ્પણો :
9. Cf. H. Cousens, Chalukyan Architecture of The Kanarese Districts ASI, (IS), Vol
[XLII, Calcutta 1926, pl. CXXXIII, (તથા જુઓ અહીં પ્રસ્તુત પુનર્મુદ્રિત તળદર્શન) 2. $Posrid 431 424 9 : The Shairvati was the most beautiful river he (Della Valle) had
ever seen......" "It is in the lower reaches of the river, just below the falls, in the bosom of the well-nigh impenetrable and silent forests that the old site of the city
{ies”. (Chalukyan, p. 126) 3. Annual Report of Indian Epigraphy, 1956-57, p. 65, Shimoga No. B. 215.
Page #6
--------------------------------------------------------------------------
________________ ગેરસપ્પાનાં જિનમંદિરો 265 4.Cf. Cousens, tbid., p. 125. 5. सं. विद्याधर जोहरापुरकर "सर्व त्रैलोक्य जिनालय जयमाला", तीर्थवंदनासंग्रह, जीवराज जैन ग्रन्थमाला, ग्रन्थ 17, शोलापुर 1965, पृ. 93. ६.मेलन, "सर्वतीर्थवन्दना." पृ. 70. 9. Annual Report of the Mysore Archaeological Department, Mysore 1928, p. 93. 8. Annual Report on South Indian Epigraphy, 1939-40, p. 237, I, No. 108. C.ARE 1950-51, No. 24. 10. जोहरापुरकर, "तीर्थ"., पृ. 14. 11. ARMAD 1928, p. 97. 12.bid., p. 95. 13. ARSIE 1940-41, Ins. No.9. 14. ARMAD 1931, pp. 104, 108 & 110 44. ARMAD 1916, p. 69 16. Epigraphia Carnatica, Vol. VIHI, Nagar tl. No. 46. नि. 0 (मा. 2-34