Book Title: Anekantna Upyoge Vishal Drushti
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249585/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ અનેકાન્તના ઉપગે વિશાલ દૃષ્ટિ આત્માના શુદ્ધ ધર્મનું જ્યારે સ્મરણ કરવામાં આવે છે, ત્યારે બાહ્યાચારથી વધી પડેલા મતભેદથી મહત્ત્વ જણાતું નથી. સર્વ પ્રકારના મતભેદેવાની બુદ્ધિ જેનામાં ઉત્પન્ન થાય છે, એવા આત્માના ગુણોની શુદ્ધિ કરવામાં આવે તે પિતાના આત્માનું હિત સાધી શકાય છે. પિતાના આત્માની શુદ્ધિ કરવામાં અન્યમાં રહેલા મતભેદનું નડતર પિતાને થતું નથી. જેને પિતાના આત્માને શુદ્ધતારૂપ સાધ્યને સમ્યગ ઉપગ નથી, તેને એકેક નયથી ઉઠેલા એકાન્ત મતભેદની અસર થાય છે. જેમ સમુદ્રમાં શૃંગીમસ્યા રહે છે અને ખારા જલમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે, તેમ સમ્યગજ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નયથી ઉઠેલા એવા અનેક પંથરૂપ ખારે સાગર છતાં અનેકાન્ત નયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુચગવડે જ્યારે આત્માનું સમ્યક સ્વરૂપ વિચારવામાં આવે છે, ત્યારે અન્ય પશે અને અન્ય મતવાદીઓ પર મૈત્રીભાવના રહે છે અને મતસહિષ્ણુતા નામને ગુણ પ્રગટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધર્મસાધક બંધુઓએ સમજવું જોઈએ કેઅમારે જન્મ જગતમાં ઉત્તમ કાર્યો કરવાને માટે થયો છે, માટે સર્વ અને પિતાના આત્મા સમાન માનીને પિતાના આત્માની પેઠે અને આત્માઓનું શ્રેય કરવા પ્રયત્ન કરવો જોઈએ. વીતરાગધર્મથી દૂર રહેલા મનુષ્યો પર કદિ પણ Page #2 -------------------------------------------------------------------------- ________________ થથાલા 96 ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા શત્રુતા ધારણ કરવી નહિ, તેમજ જૈનધર્મને નહિ પાળનારા મનુષ્યોની જાતિનિંદા કરવી નહિ. વિશાળ દૃષ્ટિમાં લેહચુંબકના જેવી શક્તિ રહી છે. જેમાં અનેકાન-વિશાળ દષ્ટિને ધારણ કરે છે અને તેને સમ્યક ઉપયોગ કરે છે, તેઓ અન્ય મનુષ્યોને પિતાના સુવિચારોનું દાન આપી શકે છે. જૈન શાસ્ત્રો અને જેનેતર ધર્મશાસ્ત્રોના રહસ્યોને જેઓ સારી પેઠે જાણી શકે છે અને વિશાળ દષ્ટિથી આત્માના સત્ય ધર્મને અવબોધે છે, તેઓ જૈનધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય છે. અનેક પંથેના વચ્ચે ઉભા રહીને તેવા જૈનો ખરેખર અનેક મતવાદીઓને પણ “અનેકાન્ત” ધર્મનું અમૃત પાન કરાવવા સમર્થ થાય છે. ઉપાદાન–સાધન જેમ માટીમાં ઘડે થવાની સત્તા છે, પણ દંડ, ચક્ર, કુંભારાદિ સાધને મળે તે ઘડે થાય, તેમ આત્મા માટીરૂપ છે તે સદ્ગુરૂ આદિ સાધનો મળે તે આત્મજ્ઞાન થાય.