SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય તીર્થ ઉપર અદ્ભુત ટૂંકનું નિર્માણ કરવાની ખાત્રીરૂપ પત્ર મૂકેલો જોઈએ. ભાઈએ કબૂલ કર્યું. ઉજમફઈના નામથી એ વિરાટ ટૂંક નિર્માણ પામી. ઉદા વાણિયાને ઘરનું ખોદકામ કરતાં જે સંપત્તિ મળી તે બધી સંપત્તિમાંથી તેણે ગગનચૂંબી જિનાલય બનાવ્યું, જેનું નામ રાજવિહાર (રાજ-સિદ્ધરાજ) રાખ્યું. એમાં બિરાજેલા || ૧૫૦ || મૂળનાયક ભગવંત ૭૧ ઇંચના હતા. તેવા ભગવાન અને તેવડું જિનાલય બનાવવા માટે છ ચૈત્યજરૂરી સંપત્તિ સાવ ગરીબ એવા પાસિલ ફેરિયાએ અંબાજીને બાર દિવસની સાધવાની પ્રસન્ન કરીને મેળવી. એમાં મૂળનાયક ભગવંતની પ્રતિષ્ઠા પાસિલે માનેલી બેન (વિધવા) હસુમતી ભાવસારના હાથે કરાવી. એમાંથી પ્રેરણા પામીને એવું વિરાટ શિખરબંધી જિનાલય સુમતીએ બાંધ્યું. જેના મૂળનાયક ભગવંતની પ્રતિષ્ઠા પાર્સિલના હાથે કરાવી. પરિપાટી મૃત્યુના બિછાને પડેલા કિશોર રાજકુમાર નૃપસિંહે રાજા અને પિતા ગૂર્જરેશ્વર કુમારપાળને રડતી આંખે કહ્યું કે, ‘મારી એક ઇચ્છા અધૂરી રહી ગઈ. તમે ૧૪૪૪ શિખરબંધી જિનાલયો તો બનાવ્યાં પણ આરસનાં બનાવ્યાં. કેમકે તમે કંજૂસ રહ્યા. ત્યારથી મારી ભાવના હતી કે હું જે સેંકડો જિનાલયો બનાવીશ તે બધાં માત્ર સોનાની પાટનાં બનાવીશ. કાશ ! હવે તો હું પરલોકની યાત્રામાં વિદાય થઈશ.' આ સાંભળીને પિતા કુમારપાળ અને ગુરુદેવ હેમચન્દ્રસૂરિજીની આંખો આંસુથી છલકાઈ ગઈ ! CITH TH TH અષ્ટાનિકા પ્રવચનો પાંચમું કર્તવ્ય || ૧૫૦ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy