SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ || શજીવની ભવિતવ્યતા જ એવી છે. તેથી તેને માટે હવે કોઈ ઉપાય થઈ શકે તેમ નથી. માયાના મિ આ પાપને કારણે ૮૦ ચોવીસી સુધી તેમનો જીવ સંસારમાં ધકેલાઈ ગયો. હવે આવતી ચોવીસીએ લક્ષ્મણા સાધ્વીજીનો આત્મા મોક્ષે જશે. આ દૃષ્ટાન્તમાંથી એ વાત જાણવા મળે છે કે ધર્મશાસન મુખ્યત્વે વ્યવહારથી ચાલે છે. | બાળકક્ષાના જીવો બાહ્ય આચારને જોતા હોય છે. માટે આચારની અશુદ્ધિ બિલકુલ ચાલી શકે નહિ. આચાર અશુદ્ધ થાય પછી વિચારને અશુદ્ધ થતાં વાર ન લાગે. દરેક વ્યક્તિએ પત્ર સાંસ્કૃતિક આચારોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. કબીરે કહ્યું છે, “મન જાય તો જાને દો, કીમત જાને દો શરીર.” એટલે કે મન પાપ તરફ જાય તોય જો તનને ત્યાં નહિ જવા દેવાય | તા થાકીને મન પાછું ઠેકાણે આવશે. લક્ષ્મણા સાધ્વીજીએ પ્રાયશ્ચિત્ત તો તરત કરી લીધું પણ મનમાંથી ડંખ ન ગયો. “બીજા | કોઈ આવું કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે ?' આ રીતે ભગવાન આગળ માયા કરીને બીજું જે પાપ કર્યું હતું એટલે તે ધોઈ નાખવા માટે પોતાની મેળે વધુ ને વધુ તપ કરવા લાગ્યા. કુલ | પચાસ વર્ષ સુધી ઘોર તપ કર્યો. તે આ પ્રમાણે. | ૨ ઉપવાસને પારણે ૩ ઉપવાસ: ૩ ઉપવાસને પારણે ૪ ઉપવાસ: ૪ ઉપવાસને પારણે ૫ ઉપવાસ: આ પ્રમાણે દસ વર્ષ સુધી તપ કર્યો. પછી ૧ ઉપવાસને પારણે ૧ ઉપવાસનો તપ બે વર્ષ કર્યો. પારણામાં પણ લુખ્ખી નીવી કરી. | ૧૩૧ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy