SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ BEશાહીની માહણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયને વંશજ અને કાશ્યપગાત્રને સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારજા વાસિષ્ઠગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે. ૨૬ ત્યારપછી પાયદળસેનાને સેનાપતિ તે હરિભેગમેલી દેવ, દેવેન્દ્ર દેવરાજ શકની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયા અને યાવતું તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે ચાવંતુ બન્ને હથેળીઓ ભેગી કરીને અંજલિ જોડીને ‘એમ દેવની જેવી આજ્ઞા’ એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિણગમસી દેવ, દેવેંદ્ર દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઇશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વિક્રિયસમુદ્ધાતવડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મ પુદગલના સમૂહને સંખ્યય યોજનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારા પોતાના શરીરને નિર્મળ–ઘણું સારું—બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત એ પુદ્ગલ પરમાણુઓ જેમકે રતનનાં, વેજાનાં, સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૩૪ ૪ Jain t ion international
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy