SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરમાં પ્રવેશ કર્યો’ યાવતું “માતા સુખે સુખે તે ગર્ભ ધારણ કરે છે.’ . ૧૫૧ તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાને વે૦ દિવ ને સમય આવ્યો ત્યારે તે પોષ વે૦ દિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતને પૂર્વભાગ તથા પાછલે ભાગ જોડાતા હતા તે સમયે–મધરાતે-વિશાખા, નક્ષત્રને યોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ નામના પુત્રને જનમ આપ્યો. અને જે રીતે પુરુષાદાનીય અરહંત પાર્શ્વ જનમ પામ્યા તે રાત ઘણુ દેવો અને દેવીઓ વડે યાવત્ ઊપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કોલાહલવાળી પણ થઈ હતી. બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્શ્વ ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી યાવત ‘તેથી કરીને કુમારનું નામ ‘પાર્વી હો” ૧૫ર પુરૂષાદાનીય અરહંત પાર્શ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા. ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક સં. ના. રૂ. વિ. an બારસંસૂિત્ર-૧૬૧ Fa Pumo ri Us Dely w eeray.org
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy