________________
મંગલકામતા) -પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરચરણરેણું,
આ. વિજય હેમચન્દ્રસૂરિ. કાર્યની સફળતામાં મુખ્ય આધાર વિધિ
વિધિપૂર્વમેવ વિદિત #ાથે સર્વ નાન્વિત મવતિ | કોઇ પણ કાર્ય વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો જ તે ફલવાળું બને છે. વિધિ એટલે કાર્ય કરવાની રીત. પછી તે કાર્ય ખેતીવાડીનું હોય, રસોઇનું હોય કે વેપાર-ધંધાનું હોય. પણ જો તે પ્રામાણિક પુરુષમાન્ય પદ્ધતિ પ્રમાણે કરવામાં આવ્યું હોય તો જ તે યોગ્ય ફળ આપનારું બને છે. તેથી સૌએ વિધિપૂર્વક જ કાર્ય કરવાનો આગ્રહ રાખવો જોઇએ. આમ લૌકિક જગતમાં પણ જો વિધિની આવશ્યકતા ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવ્યો હોય તો વિશ્વકલ્યાણકર ધાર્મિક જગતમાં તેની અનિવાર્ય આવશ્યકતા હોય તે નિર્વિવાદ છે.
ધાર્મિક વિધિ-વિધાન પણ અનેક પ્રકારના છે અને તેને દર્શાવનારા અનેક વિધિ ગ્રંથો અનેક પૂજ્ય પુરુષો દ્વારા રચવામાં આવ્યા છે પણ અહિ જેનો નિર્દેશ કરવા ધાર્યો છે તે શાન્તિસ્નાત્રાદિ વિધાન. વર્તમાનકાલીન વિધિ-વિધાનના પુરસ્કર્તા :
વર્તમાનકાળમાં જૈન શાસનનમાં જે અંજનશલાકા પ્રતિષ્ઠા તથા શાન્તિસ્નાત્રાદિ વિધિ-વિધાન પ્રચલિત છે તેના પુરસ્કર્તા પૂજ્યપાદ વિબુધાગ્રણી ઉપાધ્યાયપ્રવરશ્રી સકલચંદ્રજી મહારાજ છે.
રે રૂ
Jain Education n
ational
For Personal & Private Use Only
www.inneby.org