SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ * જ જ્યા Jain Ed **** ઉદયન રાજાએ ધારીને તેનું સર્વસ્વ પાછું આપીને અને તેના કપાળ ઊપર લખાવેલા ‘મારી દાસીના પતિ ’ એ અક્ષરો ઢાંકવા માટે પોતાના મુકુટપટ્ટ આપીને શ્રીઉદયન રાજાએ ચંડપદ્યોતને ખમાવ્યા. અહીં શ્રીઉદયન રાજાનું તેના ઉપશાંતપણાથી આરાધકપણું જાણવું. કાઇ વખત બંનેનું આરાધકપણું હોય છે. તે આ પ્રમાણે: એક વખતે કૌશાંબી નગરીને વિષે સૂર્ય અને ચંદ્ર પોતાનાં મૂળ વિમાને શ્રીવીરપ્રભુને વંદન કરવાને આવ્યા. ચંદના સાધ્વી દક્ષપણાને લીધે અસ્તસમય જાણીને પેાતાના સ્થાને ગયા, અને મૃગાવતી સૂર્ય, ચંદ્રના જવાથી અંધકાર ફેલાયે છતે રાત્રિ જાણીને ખીતી થકી ઉપાશ્રયે આવી અને ઈર્ષ્યાપથિકી પ્રતિક્રમીને, સૂતેલાં એવાં ચંદના સાધ્વીને · મારા અપરાધ ક્ષમા કરો ' એમ કહેવા લાગી. ત્યારે ચંદનાએ પણ ‘હે ભદ્રે ! તારા જેવી કુલીનને આમ કરવું તે યુક્ત નથી.' એ પ્રમાણે કહ્યું. તેણીએ ઉત્તરમાં કહ્યું કે ‘ફરીથી આમ કરીશ નહીં.' એમ કહીને પગમાં પડી. એટલામાં ચદના સાધ્વીને ઉંધ આવી ગઈ અને મૃગાવતીને તે પ્રકારે ખમાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી કાઈ સર્પ નજીક આવવાથી ચંદનાના હાથ ઉંચા લેવાના મનાવથી ચંદના સાધ્વી જાગી ગયાં અને કેવીરીતે સર્પની ખબર પડી એમ પૂછતાં ચંદનાએ મૃગાવતીને કેવલજ્ઞાન થએલું જાણીને તેણીને ખમાવતાં પોતે પણ કેવળજ્ઞાન મેળવ્યું. તેથી આવીરીતે મિથ્યાદુષ્કૃત દેવું જોઈએ. પણ કુંભાર અને ક્ષુલ્લુકના દૃષ્ટાંતે દેવું ન જોઇએ. તે દૃષ્ટાંત આ પ્રમાણે: કુંભારનાં For Private & Personal Use Only mational EXAMP t nelibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy