SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ અંકુરા, પનકો-લીલકુલ અને હરિતો–બીજમાંથી ઉત્પન્ન થએલ હરિત એ બધાં ચોમાસામાં ઘણે ભાગે વારંવાર થયા કરે છે. ૫૫ ચોમાસું રહેલા સાધુઓએ કે સાધ્વીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવા કપે છે. તે આ પ્રમાણે: ૧ શૌચને સારૂ એક પાત્ર, ૨ લઘુશંકાને સારૂ બીજું પાત્ર, અને ૩ કફ, બડખા કે લીંટને સારૂ ત્રીજું પાત્ર. પાત્ર ન હોવાથી વખત વીતી જવાને લીધે ઉતાવળ કરતાં આત્મવિરાધના થાય તથા વરસાદ વરસતો હોય તો બહાર જવામાં સંયમ વિરાધના થાય પ૬ ચોમાસું રહેલા સાધુઓએ કે સાધ્વીઓએ આષાઢ ચાતુર્માસ પછી લાંબા વાળ તો દૂર રહે, પરંતુ ગાયના રૂંવાડા જેટલા પણ વાળ રાખવા કલ્પે નહીં. જિનકપીને નિરંતર અને સ્થવિરક૯પીને ચાતુર્માસમાં લોચ કરાવ.” તેથી તે રાત્રિ એટલે ભાદરવા સુદી પાંચમની રાત્રિ અને હાલમાં ચોથની રાત્રિ ઊલંઘવી ને કહ્યું. તે પહેલાં જ લોચ કરાવવું જોઈએ, તેમ કહેવાનો આશય છે. જે સમર્થ હોય તો ચોમાસામાં હમેશાં લોચ કરાવવો, અને જે અસમર્થ હોય તો તે રાત્રિ–ભાદરવા સુદી ચોથની રાત્રિ—ઊલંઘવી ન કલ્પ. સંવત્સરીનું પ્રતિક્રમણ લોચ કરાવ્યા વિના કરવું ક૯પે નહીં. કારણ કે વાળ રાખવાથી અપકાયની વિરાધના થાય છે અને તેના સંસર્ગથી ‘જૂઓની ઉત્પત્તિ થાય છે અને માથામાં ખણવાથી ‘જાઓનો વધ થાય છે અથવા માથામાં નખ વાગે છે. જે અસ્ત્રાથી અથવા કાતરથી મુંડન કરાવે તો આજ્ઞાભંગ આદિ દોષ થાય છે, સંયમ અને આત્માની વિરાધના ૬૨૨ For Private Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy