SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ .. sv અગ્નિવેશાયનગાત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી શિષ્ય હતા. શ્રીવીરપ્રભુની પાર્ટ પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી હતા. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે: તેઓશ્રીના જનમ કાઢ્ઢાગ સંનિવેશમાં, ધમ્મિલ નામના બ્રાહ્મણની, ભટ્ટા નામની પત્નીની કૂખે થયા હતા. તેઓ ચાદે વિદ્યાના પારગામી હતા; અને તેઓએ પચાસ વરસની ઊંમરે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ત્રીશ વરસ સુધી તેએએ મહાવીર સ્વામીની સેવા કરી હતી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બાર વરસે–બાણુમા વરસના અંતે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ વરસ સુધી કેવળીપણું પાળીને, સે વરસનું આયુષ્ય પૂર્ણ કરીને, પોતાની પાટે શ્રીજંબુસ્વામીને સ્થાપીને સુધર્માસ્વામી મેાક્ષે ગયા. અગ્નિવેશાયન ગાત્રી રવિર આર્ય સુધર્માને કાશ્યપાત્રી સ્થવિર આર્ય જથ્થુ નામના અંતેવાસી હતા. જંબુસ્વામીનું વૃતાંત આ પ્રમાણે છે: રાજગૃહ નગરમાં ઋષભ નામના પિતા અને ધારિણી નામની માતાની કુક્ષિથી જંબુસ્વામીના જનમ થયા હતા. પાંચમા દેવલાકથી ચવીને જનમેલા જકુમાર સુધર્માસ્વામી પાસે નિરંતર ધર્મ સાંભળવા જતા હતા. પરિણામે તેઓએ બ્રહ્મચર્ય અને સમકિત સુધર્માસ્વામી પાસે ઉચ્ચર્યું હતું. તા પણ માતાપિતાના આગ્રહને વશ થઈ તે આઠ કન્યાએ પરણ્યા હતા (જુએ ચિત્ર નં. ૨૦૮). પરણવા છતાં તેમની સ્નેહભરી વાણીથી તે મુગ્ધ ન થયા. કારણ કે: “ સમ્યક્ત્વ અને શીલરૂપ જે બે તુંબડાથી ભવસમુદ્ર તરી શકાય For Private & Personal Use Only Jain Education International પટ www.jainelibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy