________________
પ્રકાશકનું નિવેદન શ્રીન કલા સાહિત્ય સંશોધક ગ્રંથાવલિના પાંચમા મણકા તરીકે અષ્ટાનિકા ક૯૫–સુબોધિકા નામને આ ગ્રંથ જાહેર પ્રજા સમક્ષ મૂકતાં મને અનહદ આનદ થઈ રહ્યો છે. ગયા વર્ષે વિદ્વર્ય ગુરૂદેવ શ્રીપુણ્યવિજયજી સંપાદિત પવિત્ર કલ્પસૂત્રના પ્રકાશન પછી મારા ગ્રાહકો તરફથી પર્યુષણ પર્વમાં વંચાતાં અઠ્ઠાઈ વ્યાખ્યાને તથા કલ્પસૂત્ર પરની શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે રચેલી સુબાધિકા ટીકાનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર તેને લગતાં ચિત્રો સહિત પ્રકાશિત કરવાની માગણી થતાં, જુદા જુદા ગ્રંથભંડારો તથા સ્વતંત્ર સંગ્રહમાંની ત્રેવીસ હસ્તપ્રતો તથા જેસલમેરના શ્રીજિનભદ્રસૂરિ જ્ઞાનભંડારની વાદીદેવસૂરિના જીવનપ્રસંગોવાળી કાષ્ટપટ્ટિકાઓ પરથી તૈયાર કરાવેલા ૨૨૫ સવાબસો બ્લકે આ પ્રકાશનમાં છપાવવામાં આવેલાં છે. આ સામગ્રીને મને ઉપયોગ કરવા આપવા માટે તે તે ભંડારના વહીવટદાર, પૂજ્ય મુનિમહારાજાઓ વગેરેનો હું અંતઃકરણપૂર્વક આભાર માનવાની આ તક લઉં છું. - આ ગ્રંથમાં રજૂ કરવામાં આવેલાં ચિત્રો પૈકી ચિત્ર નં. ૩ તથા ૪ વાળી પાટલી જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રીજિનભદ્રસૂરિ જ્ઞાનભંડારની છે અને તે વિદ્વાનોના માનવા મુજબ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહદેવના સમયની છે. ચિત્ર નં. ૧૨૬ છાણીમાં આવેલા ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી શાસ્ત્રસંગ્રહની વિ. સં. ૧૨૧૮ની તાડપત્રીય પ્રત પરથી લેવામાં આવેલ છે. ન. ૧૬૯નું ચિત્ર, ઈડરની શેઠ આણંદજી મંગલજીની પેઢીના ભંડારની તાડપત્રીય કલ્પસૂત્રની પ્રતમાંથી લેવામાં આવેલ છે. નં. ૯ મુંબઈના ભારતીય વિદ્યાભવનના સંગ્રહના વિ. સં. ૧૪૨૪ (૧૪ર૭)ની કાગળની કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલું છે. નં. ૮, ૭૦, ૮૦, ૯૨, ૯૩, ૯૭, ૧૦૦, ૧૩૭, ૧૪૮, ૧૪૫, ૧૬૧, ૧૮૦, ૧૯નાં ચિત્રો પંદરમાં સેકાના શરૂઆતના સમયની કલ્પસૂત્રની કાગળની હરતપ્રત કે જે શ્રી હેમચંદ્રસૂરિ
. જો કે
કીકત
Jain Educator
For Private
Personal Use Only
W
ielbrary.org