SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના બંને કાન રૂઝાવી નાખી. વંદન કરીને સિદ્ધાર્થ તથા ખરક વૈદ્ય પિતપતાને સ્થાને ગયા. વૈદ્ય અને સિદ્ધાર્થ, મરીને દેવલોકમાં ગયા, અને ખીલા મારનાર ગોવાળીઓ મરીને સાતમી નરકે ગયે. આ પ્રમાણે પ્રભુને ઉપસર્ગો થયા. પ્રભુને થએલા ઉપસર્ગોની શરૂઆત પણ ગોવાળીઆથી થઈ, અને ઉપસર્ગની સમાપ્તિ પણ ગાવાળીઆથી જ થઈ મહાવીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વિભાગ પાડીએ તે, કટપૂતના વ્યંતરીએ કરેલો શીત ઉપસર્ગ તે જધન્ય ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ, સંગમદેવે જે કાળચક્ર પ્રભુના ઊપર મૂકયું તે મધ્યમ ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ; અને કાનમાંથી જે ખીલા ખેંચાયા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ જાણો. આ બધા ઉપસર્ગોને પ્રભુએ પરમશાંતિ અને નિશ્ચળતાપૂર્વક સહન કર્યા. શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા. તેઓ કેવી રીતના અનગાર થયા ? તેઓએ સમિતિ પાળી: એટલે હાલવાચાલવામાં કોઈપણ જીવની વિરાધના ન થાય તેને ઉપયોગ રાખ્યો. ભાષાસમિતિ પાળી: એટલે કે બેલવામાં ઉપગ રાખ્યો. એષણાસમિતિ પાળી: એટલે બેંતાલીશ દોષ વગરની ભિક્ષા ગ્રહણ કરવામાં ઉપયોગ રાખે. આદાનભાંડમાત્રનિક્ષેપણુસમિતિ પાળી: એટલે વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવામાં અને પાછાં મૂકવામાં યતના-પ્રમાર્જનાદિ કરવારૂપ ઉપયાગ રાખ્યો. પારિષ્ઠાપકનિકાસમિતિ પાળી: એટલે પિતાના મલ, મૂત્ર, ઘૂંક–બડખા, લીંટ અને n emona For Private & Personal Use Only www .bay.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy