SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. તે જેમકે તેમનું માતાપિતાએ પાડેલું નામ વધમાન, સ્વાભાવિક રસ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ સ્કૂરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાને પરિશ્રમ કરેલો છે એથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઈ આકસ્મિક ભય ઊભો થતાં કે ભયાનક ક્રૂર સિંહ વગેરે જંગલી જનાવરોને ભય આવતાં એઓ તદ્દન અચલ રહેનારા છે–જરાપણુ પોતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહે એટલે ભૂખ, તરસ વગેરેનાં બાવીશ પરીષહો–સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી. એ પરીષહેને અને દેવતાઓ સંબંધી ચારે પ્રકારના ઉપસર્ગોને ક્ષમા વડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન-જ્ઞાનવાળા છે, શોક અને હર્ષ આવતાં તે બંનેને સમભાવે સહન કરનારા છે –તે તે સદ્ગુણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે, માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર પાડેલું છે. દેવોએ પ્રભુનું નામ વીર કેવી રીતે પાડ્યું, તે વિષે આ પ્રમાણે પ્રાચીન સંપ્રદાય છે – ઊપર જણાવી ગયા પ્રમાણે દેવો, અસુર અને નરેશ્વરોએ પ્રભુનો જનમ મહોત્સવ કર્યા પછી, પ્રભુ કા દાસ-દાસીઓ અને સેવકોની મધ્યમાં ચંદ્રમાની માફક અથવા કલ્પવૃક્ષના અંકુરાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પણ પ્રભુ મહાન તેજસ્વી, ચંદ્રમાં સરખી મનહર મુખાકૃતિવાળા, સુંદર નેત્રવાળા, ભમરા જેવા શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ ઓઠવાળા, હાથીના Jain Ede national For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy