SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કયા મૂકીને ત્યાં રહેલા અરવચ્છ પરમાણુ–પુણલોને દૂર કરે છે, દૂર કરીને ત્યાં રહેલા સ્વચ્છ પરમાણુપુદગલોને ફેકે છે–વે છે–ફેલાવે છે; એમ કર્યા પછી “ભગવન! મને અનુજ્ઞા આપો” એમ કહીને પોતાની હથેળીના સંપુટમાં શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે (જુઓ ચિત્ર નં. ૮૩). એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરી જે બાજુ ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉંઘના ઘારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ–પુલોને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ–પુદગલોને દૂર કરીને, રવચ્છ–પુદગલોને ફેકે છે–વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે, દિવ્ય પ્રભાવવડે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે (જુઓ ચિત્ર નં. ૮). ગર્ભહરણના ચાર પ્રકાર છે. (૧) ગર્ભાશયમાંથી લઈ ગર્ભાશયમાં. (૨) ગર્ભાશયથી લઈ યોનિમાં, (૩) યોનિથી લઈ ગર્ભાશયમાં અને (૪) યોનિથી લઈ યોનિમાં. અહીંયાં ગર્ભહરણને ત્રીજો પ્રકાર સમજવો. અર્થાત્ દેવાનંદાની કૂખમાંથી યોનિમાર્ગે ગ્રહણ કરી ત્રિશલા માતાની કૂખમાં ગર્ભાશય દ્વારા સંક્રમાવ્યો. આ સિવાયના બાકીના ત્રણ પ્રકારને આ સ્થળે નિષેધ છે, એમ શ્રીભગવતીસૂત્રમાં કહેલું છે. વળી ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રીરૂપે જે ગર્ભ હતો તેને પણ દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં 家、家、家人。 - Jan E. For Private & Personal Use Only bratore
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy