SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ તથા વનમાલા બંને જણા અકસ્માત મરણ પામ્યાને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. રાજા અને વનમાલાનું મૃત્યુ સાંભળીને વીરક સાવધાન થઈ ગયો અને મનમાં જ ચિતવવા લાવ્યો કે: “પાપીઓને પાપની સજા બરાબર થઈ. ધીરે ધીરે વરકનું મન વૈરાગ્ય તરફ વળ્યું અને તે જ્ઞાન–વેરાગ્યના બળે મૃત્યુ પામી વ્યંતર થયા. તે વ્યંતરે વિર્ભાગજ્ઞાનથી પેલા બંને યુગલિયાને જોયા અને તે વિચારવા લાગ્યો કે: “અહો ! આ બંને મારા પૂર્વભવના વેરીઓ યુગલિયાનું સુખ ભોગવી રહ્યા છે અને મરણ પછી પાછા દેવ થઈ અનુપમ સુખ ભેગવશે. માટે બંને દુર્ગતિમાં જ જાય તેવો ઉપાય કરું.” આવો વિચાર કરીને બંનેના શરીર પોતાની શક્તિ વડે નાના કરી દીધાં, અને આ ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય સેપી સાતે વ્યસન શીખવ્યાં અને નામ હરિ અને હરિણી રાખ્યું, અને પછી વ્યંતર પિતાને રથાને ચાલ્યો ગયે. આ બંને જણાના વંશમાં જે માણસ થયા તે હરિવંશના નામથી ઓળખાવા લાગ્યા. યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેમના શરીરનું તથા આયુષ્યનું સંક્ષિપ્ત કરવું તથા તે બંનેનું નરકે જવું એ બધું આશ્ચર્ય જ ગણાય. આ સાતમું આશ્ચર્ય જાણવું. આઠમું અજીરું-“ચમરેન્દ્રને ઉત્પાત તે આ પ્રમાણે–પૂરણ નામનો એક ઋષિ તપ તપીને અસરકારોના દ્રિ-ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. તેણે ઉત્પન્ન થતાંની સાથે જ પોતાના મસ્તક ઉપર સધર્મને જોયો. તેણે અદેખાઇથી પ્રેરાઈ, ગુરસે થઈ, પ્રભુ શ્રીવીરનું શરણું લઈ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy