SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ cથા હઝરત જ આવ્યા. લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રાવસ્તી નગરીમાં એક વખતે બે જિન વિચરી રહ્યા છે. આ વાત સાંભળી શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે: “સ્વામિનુ! પિતાને જિન તરીકે ! ઓળખાવનાર આ બીજો કોણ છે?” પ્રભુએ ઉત્તર આપ્યો કે: ગૌતમ! એ માણસ જિન નથી, પરંતુ શરવણ ગામના રહેવાસી મંલિ નામના માણસની સુભદ્રા નામની સ્ત્રીની કૂખે જનમેલે ગોશાળા છે. ઘણી ગાયવાળી બ્રાહ્મણની ગૌશાળામાં તે જનમેલો હોવાથી તેનું નામ ગોશાળ પડ્યું છે. મારી છદ્મરથ અવસ્થામાં તે મારી સાથે છ વરસ સુધી વિચર્યો છે, મારા શિષ્ય તરીકે રહીને કાંઈક બહુ શ્રત થઈને આજે પોતાની જાતને તે જિન તરીકે ઓળખાવે છે.' પછી આ વાત સર્વત્ર ગામમાં ફેલાઈ ગઈ કે ગોશાળ જિન નથી. આ વાત ગોશાળાના સાંભળવામાં આવવાથી તે ક્રોધે ભરાયો. એક દિવસે ભગવાનના શિષ્ય આનંદ ગોચરીએ ગયા હતા. તેમને ગોશાળાએ કહ્યું કે: “હે આનંદ! તું એક દૃષ્ટાંત સાંભળ. એક વખત કેટલાક વ્યાપારીઓ ધન મેળવવા માટે વિવિધ પ્રકારનાં ગાડાઓમાં કરિયાણાં ભરીને પરદેશ જતા હતા. રસ્તામાં મોટું અરણ્ય આવ્યું. ત્યાં વ્યાપારીઓને પાણીની તરસ લાગી, તરસ છીપાવવા માટે આસપાસ તપાસ કરવા છતાં ક્યાં પણ પાણીને પત્તો લાગે નહિ. તેવામાં તેઓની નજરે ચાર રાફડાઓ પડ્યા. એક રાફડો ફાડ્યો, તેમાંથી પુષ્કળ પાણી મળી આવ્યું, તે પાણીથી પોતાની તૃષા છીપાવી અને પોતાની પાસેના વાસણમાં પાણી ભરી લીધું. |:TI nelor Jain Education matinal For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy