SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી મરણ પામ્યા. ત્યાંથી મરીને પાછો વિંધ્યાચલ પર્વતમાં લાલ રંગવાળા અને ચાર દાંતવાળા, સાતસે હાથણીઓનો સ્વામી એ હાથી થયો. એક વખતે દૂર સળગતા એવા દાવાનળને જોવાથી તને તારો પૂર્વભવ યાદ આવ્યા. પછી દાવાનળના ભયથી બચવા માટે તે ચાર ગાઉનું એક માંડલું બનાવ્યું. તે માંડલામાં ચોમાસાની ઋતુમાં જે કાંઈ ઘાસ–વેલા થતા તે બધાંને મૂળમાંથી ઉખેડી સાફ રાખવા લાગ્યો. - એક વખતે તે જ વનમાં મોટો દાવાનળ સળગ્યો. દાવાનળથી બીને બધાં વનવાસી જવો નાસતાં-ભાગતાં પેલા માંડલામાં આશ્રય લેવા દોડી આવ્યા, તું પણ તે જ માંડલામાં જલદી આવી પહોંચ્યા. ધીમેધીમે આખું માંડલું જેથી ચિકાર ભરાઈ ગયું, એક તલપૂર જગ્યા પણ ખાલી ન રહી. આ વખતે તે તારા પોતાના શરીરને ખંજવાળવા તારો એક પગ ઉંચો કર્યો, જે પગ ઉપાડેલો હતો તે જ પગની નીચે બીજી જગ્યાની સંકડાશથી પીડાતો, એક સસલો આવીને બેસી ગયો. તું શરીર ખંજવાળીને જેવો તારો પણ નીચે મુકવા જાય છે, કે તરત જ તારી નજર તે સસલા ઉપર પડી. તને દયા આવવાથી બરાબર અઢી દિવસ સુધી તે તારો પગ અદ્ધર જ રાખે. પછી દાવાનળ શાંત થવાથી સઘળા જીવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પેલો સસલો પણ ચાલ્યો ગયો. તારો પગ ઝલાઈ જવાથી–પગની રગે બંધાઈ જવાથી તું જેવો તારો પગ નીચે મૂકવા જાય છે, તે જ ક્ષણે તું પૃથ્વી પર પડી ગયા. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો તું પડી રહ્યો, છતાં દયાળુ દીલ Jain de For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy