SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા રેખાઓ ઠેરઠેર કપાઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો કુલ તથા ધન અલ્પ હોય છે. અને છે તેનાથી ઉલટા સ્વરૂપની હાય અર્થાત તૂટયા કે કપાયા વગરની હોય તે ધન અને કુટુંબ મોટું હોય છે. જેને મણિબંધથી નીકળી પ્રદેશિની (તર્જની)ના મૂળ પર્યત ગએલી રેખા હોય તે મનુષ્ય ઘણા મોટા કુટુંબવાળો તેમજ પ્રિય થઈ પડે તેવો હોય છે. જે આ ગોત્ર રેખા (મણિબંધમાંથી નીકળી અંગુઠા અને તર્જનીના મધ્ય ભાગમાં જનારી રેખા) ટૂંકી હોય તો તે મનુષ્યનું કુટુંબ ટુંકું હોય, અને મેટી હોય તો મોટું હોય. આ રેખા તૂટેલી હોય તો વંશ તૂટેલો જાણુ અને કેઇ રેખાથી કપાઈ હોય તો વંશ કપાઈ જાય એમ સમજવું. કનિષ્ઠિકા આંગળીથી લઈ મધ્યમા આંગળીને વટાવીને રેખા આગળ ગઈ હોય તેમજ તૂટ્યા કે કપાયા વગરની પરિપૂર્ણ હોય તો મનુષ્ય સે વર્ષ જીવે છે. આ રેખા (આયુરેખા) જેટલી વખત છેદાઈ હોય અને છેદાવા છતાં તૂટી ન ગઈ હોય. તે તેટલી વખત નકકી ઘાત આવે છે, એમ જાણવું. કનિષ્ઠિકા આંગળીથી લઈ તર્જની પર્વતની આયુરેખા સે વર્ષની છે. માટે દરેકેદરેક આંગળીના પ્રદેશને પચીસ વર્ષનો જાણો. ૧૮૩ થી ૧૪૯ ગુરુની ઉર્ધ્વરેખા-મણિબંધથી અંગુઠા અને પ્રદેશિનીના મધ્યભાગમાં જે રેખા જાય તે તેવી રેખાવાળા પુરુષને ધનસંપત્તિયુક્ત તથા વિચક્ષણ બુદ્ધિવાળા પુરુષ સમજવો. ૧૫૦ - શુક્રની ઉર્ધ્વરેખા–આ રેખા અંગુઠામાં જતી હોય તો રાજયપદવી આપે છે, અને જે Jain Educ a tional For Private & Personal Use Only orary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy