________________
DOG DOG DOOD ૐ PG 2à< p
માલિકી છે. નંદાવર્ત આલેખન એ ગૃહસ્થની ક્રિયા છે. કેશર ધોળતાં, નંદાવર્તાદિ કરતાં પરિવારજનો- સ્વજનો પોતાના 8િ) ભાવોને ભેળવે છે. “સંસારની આંટી-ઘૂંટીમાં અમે ફસાયા છીએ. બહાર નથી નીકળી શકતા, અભાગીયા છીએ. તમો મહાભિનિષ્ક્રમણ કરી રહ્યા છો ધન્યવાદને પાત્ર છો. શુદ્ધ સંયમનું પાલન કરજો ... આત્મશુદ્ધિના માર્ગે આગળ વધશો. 23 અમો પણ જલ્દી આમાંથી છૂટીએ” એ શુભ ભાવનાઓથી વસ્ત્રો વાસિત થાય... શુભ ભાવનાઓ ભવાતી હોય,મંગળ | ગીતો ગવાતા હોય, ઢોલ-શહનાઈ વાગતી હોય. આથી ગૃહસ્થોને શુભ ભાવોનું નિમિત્ત બને. ચાર ગતિમાંથી છુટવા માટે દીક્ષા ! કામ છે માટે દીક્ષાના બધા જ કામ ગૃહસ્થ કરે. પ્ર. વર્ષીદાનમાં પૈસા અને તેની સાથે બદામ ચોખા ઉડાડવાનું કારણ શું? ઉ. ચોખા, પૈસા, બદામ સિવાય કોઈ પણ વસ્તુનું વર્ષીદાન કરાય જ નહીં. પ્રીતિદાન-અનુકંપાદાન વિગેરમાં બધું જ આપી ડ્રો શકે છે, વર્ષીદાનમાં નહીં. તીર્થંકર પરમાત્માનું અનુકરણ કરવાનું નથી. પરમાત્માનો કલ્પ જુદો છે. આપણે આગમ અનુસારી જિતકલ્પ પ્રમાણે ચાલવાનુ છે. વર્ષીદાનમાં કોઈને કાંઇ આપવાની ભાવના નથી. પરંતુ ફેંકી દેવાનો ભાવ છે. પૈસા એટલે અર્થની સઘળાય સંસારનું મૂળ અર્થ વાસના છે. અર્થ મહાઅનર્થકારી છે. આ વાસનાના કારણે જ આત્માનું જ08 દુખમય ભવભમણ ચાલે છે. જગતના જીવોને બતાવવાનું છે કે આ પૈસો- અર્થ રાખવા જેવો નથી. ફેંકી દેવા જેવો છે. જેમ નકામા કચરા જેવી વસ્તુ ફેંકી દીધા પછી શું થાય છે તે વિચારતા નથી તેમ પૈસા ફેંકી દીધા પછી શું થાય છે, કોના હાથમાં આવે છે? તે મુમુક્ષોએ વિચારવાનું નથી, કોઈના હાથમાં આવ્યું એટલે તે ભાવોમાં સહજ ભાવે પરિવર્તન આવે ફોર્સ- જુસ્સો મંદ પડી જાય છે.
pā6 266 2
દીક્ષા વિધિ
bog
ooo Doa
Jain Education internal 200_05
For Private
Personal Use Only
www.jainerary.org