________________
प्रस्तावना
અદ્ભુત ગ્રન્થરત્ન
कयसुकयकुमुयबोहा चउर - चओरप्पमोयसंजणणी । संतिजिणचरित्तकहा जुण्ह व्व वियंभिया जत्तो ।
कुमारवालपडिबोहो॥
પ્રાકૃત સાહિત્યના શિરમોર ગણાતા જે ૧૦ જૈન ગ્રન્યો છે તેમાં અવશ્ય સમાવેશ કરવો પડે તેવી માતબાર આ ગ્રન્થ છે, આને ચરિત્ર કહેવામાં તો કૃતિને અન્યાય થાય તેમ લાગે છે. આ તો સંપૂ કાવ્ય છે. જેમ કુવલયમાળા છે તેવોજ આ રસમય પદાવલિથી ઉભરાતો ગ્રન્થ છે. કાદંબરી, તિલકમંજરી કે નલચંપમાંથી પસાર થતાં સંસ્કૃત ભાષાના પ્રબુદ્ધ અને વ્યુત્પન્ન વિદ્વાનને પણ જેવી બુદ્ધિની કસરત કરવી પડે છે બસ તેવીજ કસરત અહીં પણ કરવી પડે છે.
પ્રારંભના સંખ્યા બંધ નગર વર્ણનો, રાજવી વર્ણનો, સરોવર વર્ણનોમાં કુશાગ્રરોમુખી સંપન્ન વિદ્વાનને એવો અનુભવ થયા વિના નહીં રહે માટે આને તો શાંતિનાથ મહાકથા ચંદ્ કહેવામાં જ ચિત્ય છે.
આનો પ્રારંભ કોક નવોદિત વિદ્યાર્થીનિ હતોત્સાહ કરેતો નવાઈ ન લાગે એટલે મારી તો ભલામણ એવી છે કે વાચકે પર૨ થી શરૂ થતો બારમો ભવ પહેલાં વાંચવો. પછી પહેલાં ભવથી વાચન શરૂ કરવું જેથી આ રચનાનો રસાસ્વાદ માણી શકાય.