SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ वंदे श्री वीरमानन्दम् પ્રસ્તાવના સ્વર્ગીય પૂજ્ય ગુરુવર્ય આચાર્ય શ્રીમવિજયવલભસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રણમાને હું મારા ગત વર્ષના પંચાંગ સંબંધીના અનુભવો સમાજ સમક્ષ રજુ કરું છું. આ વિષયમાં રસ લેતા પૂ. આચાર્યાદિ મુનિવરે તથા વિદ્વાનેને હું રૂબરૂ તેમજ પંચાંગ દ્વારા પક્ષ રીતે મલ્યો છું. તેઓએ આ પંચાંગની મહત્તા સ્વીકારી મારા આ દિશાના શ્રમને પ્રોત્સાહન આપ્યું છે તે માટે હું સર્વને આભારી છું, આચાર્ય શ્રીમાન મહેન્દ્રસૂરિજી મહારાજનો પરિચય–આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવાનું કારણ અહીં બતાવવું જોઈએ. આ આચાર્ય દીલ્હીના બાદશાહ ફીરોજશાહ તઘલખના મુખ્ય ગણુક હતા. જનમાં ખગોળ શાસ્ત્રના પ્રાણુરૂપ મહાપુરૂષોમાંના આ એક મહાપુરૂષ ખગોળ વિદ્યાને અદ્વિતીય એ યંત્રરાજ નામે ગ્રંથ શકે ૧૨૯૨ એટલે વીર સંવત ૧૮૯૭ વિક્રમ સંવત ૧૪૨૭ માં લખી સમાજ ઉપર ચિર થાયી ઉપકાર કર્યો છે. એની સાબિતી રૂપે એટલું જ કહીશ કે આજ પર્યત પણ આ ગ્રંથ જયપુર તથા બનારસની સંસ્કૃત કોલેજોમાં ઉચ્ચ કેટિનું માન ધરાવે છે. એટલે કે જોતિષાચાર્યની પરીક્ષામાં પાઠય પુસ્તક તરીકે ચાલે છે. આથી વિશે મહત્તા કોઈ પણ ગ્રંથની શું હોઈ શકે? આ મહાપુરૂષના શિષ્ય રત્ન થી મલયચન્દ્રસૂરિજી મહારાજે ઉપરોક્ત ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ ટીકા રચીને સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વિશેષતઃ જયપુર સ્થાપિત મહારાજા શ્રી જયસિંહજીએ પણ તે જ ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ કારિકા રચી ગ્રંથના મૌલિક વિષેને વિસ્તારપૂર્વક ફેટ કરી જયપુર, ઉ જેન, બનારસ, દિલ્હી વગેરે સ્થળોએ વેધશાળા દ્વારા આ યંત્રરાજ ગ્રંથની પ્રત્યક્ષતા સાબિત કરી બતાવી છે. તદુપરાંત બનારસના તિરત્ન પંડિત શ્રી સુધાકર દ્વિવેદીએ પણુ યંત્રરાજ ઉપર ટીપણ રચી ગ્રંથની સર્વમાન્યતા સાબિત કરી છે. આ પંચાંગમાં તિથિ વગેરેનું ગણિત આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હોવાથી આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવામાં આવ્યું છે. પ્રાચીન કાળમાં સમય માપવા માટે ધટીપાત્રો વપરાતાં હતાં. અને તેથી પંચાંગમાં ધડી પળમાં સમય અપાતો હતું તે એગ્ય જ હતું. પણ હાલમાં તો બધે ઘડીઆળ જ વપરાય છે. અને તેથી પ્રચલિત અન્ય પંચાંગનો ઉપગ કરે હોય તો તેમાં આપેલી પડી. પળના કલાક મિનિટ કરી, તેને સૂર્યોદયના કલાક મિનિટમાં ઉમેરવાથી ધડીઆળ વખત મળે છે, આ અગવડ અને મહેનત ટાળવા માટે આ આખું પંચાંગ કલાક મિનિટમાં આપ્યું છે. પંચાંગમાં ટાઈમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યો છે. કારણ કે રેલવે, તાર, ટપાલ વગેરેને લીધે આ ટાઈમ આખા હિન્દુસ્તાનમાં પ્રચલિત છે. તેથી આ પંચાંગ આખા હિંદુસ્તાનમાં એક સરખું ઉપયોગી થઈ પડશે. રેલવેની માફક બપોરને ૧-૨ થી રાતના ૧૧ સુધીના કલાકને ૧૩-૧૪ થી ૨૩ સુધીના કલાક ગણ્યા છે; કરીને રાતના બાર વાગ્યાથી ૦ કલાક ગણીને નવી તારીખ ગણી છે. ૧-૨ વગેરે કલાકે તે તારીખના સૂર્યોદયની પહેલાંના સમય બતાવે છે, તે બરાબર ધ્યાનમાં રાખવું. કિરણવક્રીભવનને લીધે સૂર્યોદય અને સૂર્યાસ્ત ગણિતગત સમય કરતાં લગભગ ૨ મિનિટ વહેલે સૂર્યોદય દેખાય છે. અને એ જ પ્રમાણે ગણુિ નાગત સમય કરતાં ૨ મિનિટ મોડે (વધારે) સૂર્યાસ્ત દેખાય છે. આ સંસ્કાર (કિરણવક્રીભવન) આ પંચાંગમાં આપેલ હોવાથી સૂર્યની સાયન મેષ અને સૂર્યની સાયન તુલા સંક્રાંતિ વખતે દિનમાન (૧૨ ક. ૦૧ મિ. હોવા છતાં) ૧૨ ક. ૫ મિનિટ આપ્યું છે. તેવી જ રીતે દરેક દિનમાન ગણિતામત (દિનમાન) કરતાં ૫ મિનિટ વધારે લખવામાં આવ્યું છે, તે બરાબર છે. લગ્ન કાઢવા માટે તથા ઈષ્ટ ઘડી સાધન માટે આ પંચાંગમાં આપેલ સૂર્યોદયમાં ૨ મિનિટ ઉમેરવી જોઈએ. પંચાંગની સમજણ–પંચાંગના કાઠામાં પ્રથમ ખાનામાં આપેલ આંકડો મુંબઈ સૂર્યોદય સમયે પ્રવર્તમાન તિથિને છે. ત્યાર બાદ વાર અને અંગ્રેજી તારીખ આપેલ છે. જેથી તિથિ, વાર અને તારીખ એક સાથે જોઈ શકાય. પછી નિથિ (અક્ષર) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. ત્યાર બાદ નક્ષત્ર (અક્ષરમાં ) અને તેની સાથે તેને [ જુના પંચાંગની બાંધેલી ફાઈલની જાહેર ખબર પાછળ જુઓ]
SR No.546332
Book TitleMahendra Jain Panchang 1966 1967 1968
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1968
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy