SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયાણ-અભિજીતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે. પંચકમાં દક્ષિણ દિશામાં "પ્રયાણ કરવું નહિ. } અભિજીત–ઉત્તરાષાઢા નક્ષત્રને એથે પાદ તથા શ્રવણ નક્ષત્રની પહેલી ચાર ઘડી અભિજીત કહેવાય છે. ફાંકડું અથવા થાનું ઘર-વિહાર તથા પ્રવેશમાં વિર્ય છે. - તે આ પ્રમાણે-એકમ શનિવાર, બીજ શુક્રવાર, ત્રીજ ગુરુવાર, ચોથ બુધવાર, પાંચમ મંગળવાર, છઠ સોમવાર અને સાતમ રવિવાર. નગર પ્રવેશ–હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તર ત્રણ, રોહિણી, પુષ્ય, મૃગશીર્ષ, મૂળ અને રેવતી નક્ષત્ર, સોમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિવાર શુભ છે. | વિઘારંભનું મુત—ગુરુ, બુધ, શુક્ર અને રવિવારે, અશ્વિની, ત્રણ પૂર્વા, હસ્ત, મૂળ, ચિત્રા, સ્વાતી, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા, મૃગશીર્ષ, આર્કી, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા, આ નક્ષત્રો વિદ્યારંભ માટે શ્રેષ્ઠ છે. જ્ઞાનની વૃદ્ધિ કરનાર નક્ષત્રો-મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વી, \મૂળ, આબ્લેષા; હસ્ત અને ચિત્રા. નંદીનું (નાંદ માંડવાનું) મુહૂર્તરવિ, સેમ, બુધ, ગુરુ કે શુક્રવાર પૈકી કોઈ વારે; સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, અશ્વિની, અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, રોહિણી અને ત્રણ * ઉત્તરામાંથી કોઈ નક્ષત્ર હોય તે ત્રોચ્ચારણાદિ ક્રિયા માટે નાંદ માંડવી. શાંતિ પૌષ્ટિક કાર્ય–બુધ, ગુરુ, શુક્ર અને રવિવારે-હિણી, મૃગશીર્ષ, મઘા, ઉ. ફાલ્ગની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ; ઉત્તરાષાઢા, (ઉ. ભાદ્રપદ, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં કરવું. - લોચનાં નક્ષત્રો–પુનર્વસુ, પુષ્ય, શ્રવણ અને ધનિષ્ઠા શુભ છે. કૃતિકા, વિશાખા, મઘા અને ભરણી વર્ષ છે. બાકીનાં નક્ષત્ર મધ્યમ છે. - શનિવાર, મંગળવાર, વર્યું છે. અને રિક્તા તિથિ તથા ૬, ૮, ૦)) તિથિ વર્યાં છે. - વાસ્તુ-પ્રારંભ–એટલે સૂત્રપાત તથા ખાતમુહૂર્ત માટે વૈશાખ, શ્રાવણ, માગસર, પોષ અને ફાગુન લેવાનું કહે છે. બીજાની મનાઈ કરે છે. ( દેવાલય ખાત-મીન, મેષ અને વૃષભ એ સંક્રાંતિમાં અગ્નિ કોણમાં ખાત; મિથુન, કર્ક, સિંહ એ ત્રણ સંક્રાંતિમાં ઈશાન કોણમાં ખાત; ૭ કન્યા, તુલા, વૃશ્ચિક એ ત્રણ સંક્રાંતિમાં વાયવ્ય કોણમાં ખાત; ધન, મકર અને કુંભ એ ત્રણ સંક્રાંતિમાં નૈઋત્ય કોણમાં ખાત; ખાતમાં મૃગશીર્ષ અનુરાધા, ચિત્રા, રેવતી, ત્રણ ઉત્તરા, રોહિણી, હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતી નક્ષત્ર લેવાં. શિલા સ્થાપન-પુષ્ય, ત્રણ ઉત્તરા, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશીર્ષ અને શ્રવણ નક્ષત્રમાં થાય છે. પૃથ્વી બેઠી છે કે સુતી છે એ જોવાની રીત-સુદ ૧ થીતિથિ, રવિવારથી વાર અને અશ્વિનીથી નક્ષત્ર ગણી; ત્રણેને સરવાળો કરી, ત્યારે ભાગતાં જો ૧ શેષ રહે તે પૃથ્વી ઉમી. બે શેષ રહે તે બેઠી. ત્રણ શેષ રહે તે સુતી અને શૂન્ય શેષ રહે તે જાગતી જાણવી. ઉભી અને જાગતી ખરાબ, બેડી અને સુતી સારી; અને કૂવો ખોદવામાં સુતી સારી જાણવી. - વાસ્તુ-ગૃહારંભથી પ્રવેશ સુધી)માં ત્રણ ચક્ર લેવાય (વાય) છે. તેમાં આરંભ (ખાત)માં વૃષભ ચક્ર, સ્તંભમાં કુર્મ ચક્ર તથા પ્રવેશમાં કળશ ચક્ર લેવાય છે. વૃષભ ચક–સૂર્યને નક્ષત્રથી મુહૂર્તના દિવસ સુધી સાભિજીત નક્ષત્ર ગણવાં, તેમાં તે (મદના) દિવસે જેટલામું નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ, પહેલાં ૭ અશુભ, પછી ૧૧ શુભ પછી ૧૦ અશુભ. બીજી રીતઃ–નિરભિજીત ગણનાથી પહેલાં ૩ શુભ, પછી ૪ અશુભ પછી ૭ શુભ, પછી ૬ અશુભ, પછી ૨ શુભ, પછી ૫ અશુભ છે. કર્મચક–જે દિવસે સ્થંભ રોપ હોય તે દિવસની તિથિને ૫ વડે ગુણવી અને કૃતિકાથી તે દિવસના નક્ષત્ર સુધીના આંકડા જોડવા અને ૧૨ તેમાં ઉમેરવા, પછી ૯ થી ભાંગતા, શેષ ૪-૭-૧ શેષ રહે તે રૂમ જળમાં છે, તેનું ફળ લાભ; શેષ ૫-૨-૮ રહે તે કૂમ સ્થળમાં છે, તેનું ફળ હાનિ; અને શેષ ૩-૬-૯ રહે તે કુમ આકાશમાં છે, તેનું ફળ મરણ; એમ ત્રણ પ્રકારે કૂર્મ ફળ જોઈ શુભ આવતાં મુદત લેવું. કુંભ (કળશ) ચક્ર:-સૂર્યના નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી ગણતાં પહેલાં પાંચ નક્ષત્રો નેષ્ઠ, પછીનાં આઠ સારાં અને તે પછીના ૮ નેષ્ઠ અને બાકીનાં છ નક્ષત્રો સારાં જાણવો.
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy