SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ થે બાળકને પ્રથમ ચલાવવાનું તથા પ્રથમ ભાજનનું મૃતબાળકને તથા નવા દીક્ષીત સાધુને મૃદુ, વ, ક્ષિપ્ર, અને ચર નક્ષત્રમાં પ્રથમ હિંડન તથા બેકન (ગોચરી ચર્યા) શુભ છે. બાળકને અણન (ભજન) છ મહીને કરાવવું અને પૂર્વનાં મૃદુ વગેર નક્ષત્રમાંથી સ્વાતિ અને શતમિષા સિવાયના બીજાં નક્ષત્ર લેવાં. નવાં પાત્રો વાપરવાનું મુર્ત-અશ્વિની, ચિત્રા, બનુરાધા, રેવતી, મૃગશીર્ષ, હસ્ત પુષ્ય નક્ષત્રોમાં તથા ગુરૂ અને સેમવાર નવાં પાત્ર વાપરવા શુભ છે. શોરનું મુદ્દ-શુભવારને દિવસે રિક્તા, છઠ, આઠમ અને ખમાવાસ્યા સિવાયના તિથિએ; ચર નક્ષત્રો, ચિત્રા, જ્યેષ્ઠા, અશ્વિની, પુષ્ય, રેવતી, હસ્ત તથા મૃમીર્ષ નક્ષત્રમાં બાળકનું પ્રથમ મુંડન તથા નવીન સાધુને પ્રથમ બેચ કર. મૌજી બંધ-(ઉપનયન)નું મુદ્દત-મેઇબંધનું કામ બ્રાહ્મણને ગર્ભથી અથવા જન્મથી આઠમે વર્ષે થાય છે. ક્ષત્રિયને અગિઆરમે વર્ષે અને વેશ્યને બારમે વર્ષે થાય છે. બ્રાહ્મણને દસમે વર્ષે પણ મૌજી બંધ કરવામાં આવે છે. નવાં વસ્ત્ર અલંકાર પહેરવાનું મુર્ત-હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, ધનિષ્ઠા, અશ્વિની અને રેવતી એ નક્ષત્રોમાં મંગળ, ગુરુ, શુક્ર અને રવિવારે ધારણ કરવાં શુભ છે. ઔષધ ખાવાનું મુહર્ત-મૂલી, શતભિષા, અનુરાધા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી, પુષ્ય, અશ્વિની, મૂળ, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, અને સ્વાતીએ નક્ષત્રમાં શુભવાર તથા રવિવાર સારો છે. * રેગીને માથે પાણી રેડવાનું મુહુર્ત-નીરોગી થએલા માણસને પ્રથમ સ્નાન સોમવાર તથા શુક્રવાર વજીને બાકીના વારોમાં તથા રહિષ્ણુ, રેવતી, ઉત્તરા છે, આશ્લેષા, પુનર્વસુ, સ્વાતી, અને મઘા વજીને બીજા નક્ષત્રમાં કહ્યું છે. નવું અનાજ ખાવાનું મુહૂર્ત-શુભ દિવસે રોહિણી, ત્રણ ઉત્તરા, પુષ, મૃગશીર્ષ, પુનર્વસુ, હસ્ત, ચિત્રા ધનિષ્ઠા, શ્રવણ, રેવતી અને અશ્વિની એ નક્ષત્રમાં નવું અનાજ દાન દઈને ખાવું. રાજાદિક સ્વામિના દર્શનનું મુહર્ત-મૃદુ, ધ્રુવ, ક્ષિક તથા ધનિષ્ઠા અને શ્રવણ નક્ષત્રોમાં સર્વ પ્રજનની સિદ્ધિના માટે રાજદિનું દર્શન કરવું. હસ્તી તથા અશ્વ કમ–અશ્વિની, પુનવસ, પુષ્ય, હરત, ચિત્રા અને સ્વાતી; એ નક્ષત્રોમાં હરતી કમ' શબ છે. તથા અશ્વિની મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતી, ધનિષ્ઠા, શતાષા અને રેવતી એ નક્ષત્રોમાં બશ્વકમ શુભ છે. ગાય વગેરેના બંધન સ્થાનાદિકનું મુહર્તમાના ઉપલક્ષણથી હાથી, ડા, ભેંસ, વગેરેનું સ્થાન (બધિવાનું નવું ઠેકાણું કરવું તે) તથા માન એટલે પ્રથમ ચરવા લઈ જવું તથા પ્રવેશ એટલે ગૃહાદિકમાં પ્રથમ પ્રવેશ કરાવ, તે કાર્યમાં આઠમ ચૌદશ, અમાવાસ્યા તથા વણ, ચિત્રા અને શ્રવ નક્ષત્ર શુભ નથી. - ગા વગેરેને વેચવાનું તથા ખરીદ કરવાનું મુહુર્ત-હસ્ત, ચેષ્ટા, અશ્વિની. રેવતી, શતભિષા, વિશાખા, અનન્સ અને પુષ્ય આટલા નક્ષત્ર સિવાય બીજ નક્ષત્રોમાં ગાયે વગેરે કાવિય શુષ નથી. હળ જોડવાનું મુહુર્ત-હળનું પ્રથમ વહન ત્રણ પૂર્વી, કૃતિકા, આશ્લેષા, જ્યેષ્ઠા, ભાદ્ર, અને બરણીમાં કદાપિ કરવું નહિ. બાકીનાં નક્ષત્ર શુભ છે. * બીજ વાવવાનું મુહુર્ત–બીજ વાવવામાં ત્રણ પ, કરણ, કૃતિકા, આશ્લેષા, પુનર્વસુ, શ્રવણ ચેષ્ઠાવિશાખા અને શતભિષા આટલા નક્ષત્રમાં નિષેધ છે. જળાશય નવું કરાવવાનું મુહુર્ત–વાવ, કુવા, તળાવ વગેરે જળાશય દાવવાનું મુહૂર્ત-અશ્વિની, ભરણી, વિશાખા, કૃતિકા, પૂ ભાદ્રપદ, શ્રવણ, સ્વાતી, ૫. ભાભુની, આશ્લેષા, ઠા, મૂળ અને આદ્રા નક્ષત્રમાં કરવું નહિ. નૃત્ય કરવાનું તથા શીખવવાનું મુહુર્ત—અનુરાધા, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, જયેષ્ઠા, પુષ્ય, રેવતી અને ત્રણ ઉત્તરા, આટલા નક્ષત્રોમાં નૃત્ય કરવાને તથા તથા શીખવવાને કારંભ કરાય છે. 1 વિવાહનાં નક્ષત્ર–મૃગશીર્ષ, મધા, અનુરાધા, હસ્ત, સ્વાતી, મૂળ રેવતી, રોહિણી અને ઉતરા ત્રણે શુભ છે. વિવાહને વિષે–લગ્નને કાંઈ પણ આગ્રહ નથી, અહી તે કેવળ ધનને પૂર્વાર્ધ, મિથુન, કન્યા, તુલા એટલી રાશિના નવાશ જ શુભ છે. વૃક્ષ વાવવાનું મુહુર્ત ત્રણ પૂર્વી, ભરણી, મધા, આદ્રા, પુનર્વસુ કૃતિકા, આશ્લેષા, સ્વાતી, ચેઠા, ધનિષ્ઠા, શ્રવણ આ નક્ષત્રમાં વૃક્ષારાપણું કરવું નહિ.
SR No.546324
Book TitleMahendra Jain Panchang 1958 1959
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1959
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy