SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત આ પ્રમાણે પ્રાથમિક સંબંધકારિકામાં મંગલ, પ્રજન, અભિધેય અને સંબંધ એ ચારે વસ્તુનું નિરૂપણ કર્યા બાદ ગોક્ષમા” કરેમિ એ છેલ્લા પદથી મોક્ષમાર્ગનું કથન કરવાની કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ કરતા પૂ. આચાર્ય ભગવાન ઉમાસ્વાતિવાચક કહે છે કે રન-શાન-જગાન મોક્ષના આ સૂત્રમાં ઘી ન - વાર્તાઓ અને ક્ષમા એમ બે પદો છે. અહીં સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ ત્રણે સમુદિત જ મોક્ષમાર્ગ છે. એમ અવધારણ સમજવું. જે એ પ્રમાણે અવધારણ કરવામાં ન આવે, અર્થાત્ સમ્યગ દર્શનાદિ ક્ષમાર્ગ છે, એમ સામાન્યતઃ કહેવામાં આવે તે અન્ય ભાનું એટલે સર્વજ્ઞના સિદ્ધાંતમાં મેક્ષના સાધનરૂપે કહેલા સમ્યગ્ર દર્શનાદિ સિવાય અન્ય-દર્શનપ્રતિપાદિત પ્રમાણ-પ્રમેયાદિનું મેક્ષમાર્ગ પણું થાય, અને એમ થાય તે બુદ્ધિમાન પુરુષોએ સર્વજ્ઞના શાસ્ત્રાનુસારે મોક્ષમાર્ગ રૂપે જણાવેલા આ સમ્યગદર્શનાદિ ધર્મોનું સ્થાપન બરાબર ન ઘટે. માટે સમ્યગદર્શનાદિ એ જ મોક્ષમાર્ગ છે, એમ અવધારણાત્મક વાક્ય સમેજવું. અહીં કદાચ એમ શંકા થાય કે– માણવા જે વં તે મારવા એ જિનેશ્વર શાસનમાં જણાવેલા મંતવ્યાનુસાર સમ્યગ દર્શનાદિને જ કેવળ મેક્ષમાર્ગ તરીકે કહેવાનું ન બની શકે, કારણ કે કઈ કઈ પ્રસંગે બાહુબલીના અભિમાન માફક અથવા ચંડકૌશિકના ઉચકોની માફક આશ્ર પણ સંવર (અને પરંપરાએ નિર્જરા તથા મોક્ષના હેતુઓ બને છે. એ અપેક્ષાએ આશ્રવાદિ–અન્ય ભાવમાં પણ મોક્ષમાર્ગ પણું ઘટી શકે છે. આવા પ્રકારની જે શંકા થતી હોય તે તે કરવાની જરૂર નથી.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy